મોરબીમાં સમાજ સેવાનું કામ કરતાં યુવાનને બે શખ્સોએ ઢીકાપાટુનો માર માર્યો: સામસામે ફરિયાદ મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો
Breaking news
Morbi Today

મોરબી સાર્થક વિદ્યામંદિરમાં 25 ડિસેમ્બરે સાર્થક તુલસી દિવસ ઉજવાશે


SHARE













મોરબી સાર્થક વિદ્યામંદિરમાં 25 ડિસેમ્બરે સાર્થક તુલસી દિવસ ઉજવાશે

મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે છેલ્લા નવ વર્ષથી સાર્થક તુલસી દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આગામી તા. 25 ડિસેમ્બરના રોજ સાર્થક વિદ્યામંદિર દ્વારા 10 મો સાર્થક તુલસી દિવસ ઉજવવામાં આવશે. તેની સાથે જુદાજુદા કાર્યક્રમ પણ યોજાશે.

મોરબીમાં કેસર બાગ પાસે આવેલ સાર્થક વિદ્યામંદિર ખાતે ખાતે તા. 25 ડિસેમ્બરે સવારે 8 થી 1 વાગ્યા સુધી તુલસી દિવસની ઉજવણી કરાશે. ત્યારે તુલસી પૂજનતુલસી પ્રદર્શની અને તુલસી રોપા તેમજ માંજર વિતરણ, મહા યજ્ઞ, સમાજ શ્રેષ્ઠીઓ/ સંસ્થાઓનું સન્માન, વિવિધ ઓર્ગેનિક અને આયુર્વેદિક વસ્તુઓનું રાહતદરે વેચાણ, શાળામાં ચાલતા કંઠસ્થીકરણ પ્રકલ્પની 5 કૃતિઓ વિદ્યાર્થીઓ દ્વારા તેમજ શિક્ષણ અને સમાજ જાગૃતિ માટેની 3 કૃતિઓ આચાર્ય (શિક્ષકો) દ્વારા રજૂ કરવામાં આવશે. તેવું શાળાના સંચાલક કિશોરભાઈ શુક્લએ જણાવ્યુ છે. વધુમાં જણાવ્યુ છેકે, સાર્થક તુલસી દિવસની ઉજવણી શરૂ કરવામાં આવી તે શાળાના વિચારને સમાજમાં ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે અને ઘણી શાળામાં હવે તુલસી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.






Latest News