મોરબી સાર્થક વિદ્યામંદિરમાં વ્યસનમુક્તિ જાગૃતિ અભિયાન સેમિનાર શોભના ગાંઠિયા: મોરબીના લાલપર ગામ પાસે નેશનલ હાઇવે રોડ ઉપરની સ્ટ્રીટ લાઈટો બંધ વાંકાનેરના ખીજડિયા ગામે આવેલ શાળામાંથી શિક્ષિકાની તાત્કાલિક બદલી કરવા ઉચ્ચકક્ષાએ કરાઇ રજુઆત મોરબીમાં વિહિપ માતૃ શક્તિ અને દુર્ગાવાહિની દ્વારા બાળ સંસ્કાર વર્ગ યોજાયો હળવદના ચરાડવા ગામે અનુ.જાતિ સમાજના સ્મશાન માટે જમીન ફાળવવા કલેક્ટરને રજૂઆત મોરબી OSEM સ્કૂલના 6 વિદ્યાર્થીઓની SSIP 2.0 અંતર્ગત ત્રણ ઇનોવેટીવ પ્રોજેક્ટની પસંદગી કરાઇ ટંકારાની લજાઈ ચોકડી પાસે સ્થાનિક લોકોએ ઉબડખાબડ રોડ રસ્તાથી કંટાળી ચક્કાજામ કરતાં પોલીસે જાહેરનામા ભંગની કરી કાર્યવાહી મોરબીમાં એલ.ઈ.કોલેજ ખાતે UPSC અને GPSC પરીક્ષાઓ અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો
Breaking news
Morbi Today

મોરબી: રક્ષા પેન્શનર્સ તથા પરિવાર પેન્શનર્સ માટે અમદાવાદ ખાતે જાગૃતિ કાર્યક્રમનું આયોજન


SHARE







મોરબી: રક્ષા પેન્શનર્સ તથા પરિવાર પેન્શનર્સ માટે અમદાવાદ ખાતે જાગૃતિ કાર્યક્રમનું આયોજન

એરિયા એકાઉન્ટ્સ ઓફિસ (દક્ષિણ કમાન) અને સ્ટેશન મુખ્યાલય, અમદાવાદ કેન્ટોન્મેન્ટ ખાતે રક્ષા પેન્શનર્સ તથા પરિવાર પેન્શનર્સ માટે સ્પર્શ જાગૃતિ કાર્યક્રમ યોજાશે

ક્ષેત્રીય લેખા કાર્યાલય (દક્ષિણ કમાન) અમદાવાદ તથા સ્ટેશન મુખ્યાલય, અમદાવાદ કેન્ટ તત્વાધાન હેઠળ તા. ૨૯ ડિસેમ્બર ૨૦૨૫ અને ૩૦ ડિસેમ્બર ૨૦૨૫ ના રોજ છત્રપતિ શિવાજી ઑડિટોરિયમ, અમદાવાદ કેન્ટ ખાતે સ્પર્શ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનું આયોજન સવારે ૦૯:૩૦ વાગ્યાથી કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ દરમિયાન રક્ષા પેન્શનર્સ તથા પરિવાર પેન્શનર્સ માટે જીવન પ્રમાણ (લાઈફ સર્ટિફિકેટ), ઓળખાણ, ફરિયાદ નિવારણ તેમજ સ્પર્શ પેન્શન સંબંધિત અન્ય સેવાઓનું સ્પર્શ પોર્ટલ પર કાર્ય કરવામાં આવશે. પેન્શનર્સને આધારકાર્ડ, પેનકાર્ડ, આધાર સાથે જોડાયેલ મોબાઇલ નંબર, પી.પી.ઓ. (PPO) તથા બેંક ખાતાની વિગતો સાથે લઈને ઉપસ્થિત રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.






Latest News