મોરબી સાર્થક વિદ્યામંદિરમાં વ્યસનમુક્તિ જાગૃતિ અભિયાન સેમિનાર શોભના ગાંઠિયા: મોરબીના લાલપર ગામ પાસે નેશનલ હાઇવે રોડ ઉપરની સ્ટ્રીટ લાઈટો બંધ વાંકાનેરના ખીજડિયા ગામે આવેલ શાળામાંથી શિક્ષિકાની તાત્કાલિક બદલી કરવા ઉચ્ચકક્ષાએ કરાઇ રજુઆત મોરબીમાં વિહિપ માતૃ શક્તિ અને દુર્ગાવાહિની દ્વારા બાળ સંસ્કાર વર્ગ યોજાયો હળવદના ચરાડવા ગામે અનુ.જાતિ સમાજના સ્મશાન માટે જમીન ફાળવવા કલેક્ટરને રજૂઆત મોરબી OSEM સ્કૂલના 6 વિદ્યાર્થીઓની SSIP 2.0 અંતર્ગત ત્રણ ઇનોવેટીવ પ્રોજેક્ટની પસંદગી કરાઇ ટંકારાની લજાઈ ચોકડી પાસે સ્થાનિક લોકોએ ઉબડખાબડ રોડ રસ્તાથી કંટાળી ચક્કાજામ કરતાં પોલીસે જાહેરનામા ભંગની કરી કાર્યવાહી મોરબીમાં એલ.ઈ.કોલેજ ખાતે UPSC અને GPSC પરીક્ષાઓ અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો
Breaking news
Morbi Today

મોરબી ધનવંત્રી ભવન ખાતે યોજાયેલ કેમ્પનો ૫૦૦ થી વધુ દર્દીઓએ લાભ લીધો


SHARE







મોરબી ધનવંત્રી ભવન ખાતે યોજાયેલ કેમ્પનો ૫૦૦ થી વધુ દર્દીઓએ લાભ લીધો

મોરબીમાં એમ.પી.શેઠ ગર્લ્સ હાઈસ્કૂલના પૂર્વ આચાર્ય પિતા ઈન્દુભાઈ, રાષ્ટ્રીય પ્રાથમિક શાળાના સંચાલિકા-આચાર્યા માતા જયેન્દ્રબાળાબેન, ફૈબા વિદ્યાબેન (મોટાબેન ) મેહતા આ દિવંગતોની પુનિત યાદમાં ઇન્દુલાલ એચ.મહેતા પરિવાર દ્વારા ધન્વંતરી ભવન કાયાજી પ્લોટ ખાતે ડૉ.હસ્તલેખા મહેતા (હસ્તીબેન) ના ૨૦૦ માં કેમ્પનું આયોજન થયુ હતુ.

આ કેમ્પમાં કાંસ્ય થેરાપી સારવાર મનસુખભાઈ સરવૈયા ભાડલાવાલા તરફથી અંદાજે ૧૨૦ થી વધુ દર્દીને આપવામાં આવેલ હતી. સ્ટર્લિંગ હોસ્પિટલ રાજકોટ દ્વારા ૮૦ થી વધુ દર્દીઓને બ્લડ સુગર અને બીપી ચેક કરવામાં આવ્યું હતું તેમજ ઇસીજી કાઢી આપેલ હતા તથા નિષ્ણાત તબીબ દ્વારા તપાસ કરવામાં આવેલ છે. સુપ્રસિધ્ધ શશિકાંત મહારાજના પૌત્ર ભરતભાઈ વ્યાસ અને તેમના પત્ની મનીષાબેન દ્વારા દાંતની સારવાર તેમજ જાલંધર આયર્વેદિક પદ્ધતિથી ૩૦ કરતા વધુ કાઢી આપવામાં આવેલ હતા. અને ડૉ.સુરેશભાઈ કાલરીયા દ્વારા આંખની તપાસ તેમજ સારવાર કરવામાં આવી હતી અને કુલ મળીને ૫૦૦ થી વધુ દર્દીઓએ કેમ્પનો લાભ લીધે લહતો. આ કેમ્પ આયુર્વેદના પ્રમુખ બીપીનભાઈ લહેરુ દ્વારા ડો. હસ્તલેખાબેન તેમજ તેમની ટીમને પ્રોત્સાહિત કરેલ હતા.






Latest News