મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

મોરબીના લીલાપર-કેનાલ રોડ ઉપર એક્ટિવા સ્લીપ થતા 34 વર્ષીય યુવાનનું મોત


SHARE













મોરબીના લીલાપર-કેનાલ રોડ ઉપર એક્ટિવા સ્લીપ થતા 34 વર્ષીય યુવાનનું મોત

મૃતક કારખાનમાં સુપરવાઈઝર હતો, કામ પતાવી ઘરે જતો હતો ત્યારે બનેલો બનાવ,સફેદ પટ્ટા ન કર્યાં હોય, સ્પીડ બ્રેકર ન દેખાતા એક્ટિવા સ્લીપ થયું : ઈજા થતા 34 વર્ષીય સંદીપ જાનીનું મોત

મૃતક મૂળ માળીયા (મી.)ના ઘાટીલાનો વતની, હાલ મોરબીના નાની વાવડી પાસે રહેતો, બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં કલ્પાંત


મોરબી નજીક લીલાપર કેનાલ રોડ પર સ્પીડ બ્રેકર પર સફેદ પટ્ટા ન કર્યાં હોય, સ્પીડ બ્રેકર ન દેખાતા એક્ટિવા સ્લીપ થયું હતું. જેમાં ઈજા થતા 34 વર્ષીય સંદીપ જાનીનું સારવારમાં મોત નીપજ્યું હતું. મૃતક કારખાનમાં સુપરવાઈઝર હતો. કામ પતાવી ઘરે જતો હતો ત્યારે બનેલો બન્યો હતો. બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં કલ્પાંત છવાયો હતો.

મળતી માહિતી અનુસાર, મૃતક સંદીપ મધુસુદનભાઈ જાની (ઉંમર વર્ષ 34) મૂળ મૂળ માળીયા (મી.)ના ઘાટીલા ગામનો વતની હતો. પણ હાલ મોરબીના નાની વાવડી પાસે પરિવાર સાથે રહેતો હતો અને રફાળેશ્વર પાસે આવેલ વિનાયક પોલી પ્લાસ્ટ નામના કારખાનામાં સુપરવાઈઝર તરીકે નોકરી કરતો હતો. તા. 26/12ના રોજ રાત્રે 9.30 વાગ્યાં આસપાસ સંદીપ પોતાના એક્ટિવા પર કારખાનેથી કામ પતાવી પોતાના ઘર તરફ જતો હતો.

ત્યારે મોરબી લીલાપર કેનાલ રોડ ઉપર બોરીયા પાટા વિસ્તારમાં પહોંચતા ત્યા રાત્રીના અંધારામાં સ્પીડ બ્રેકર ન દેખાતા એક્ટિવા સ્લીપ થઈ ગયું હતું. જેથી સંદીપને માથે અને શરીરે ઈજાઓ થઈ હતી.તેને મોરબીની હોસ્પિટલ બાદ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમ્યાન ગઈકાલે મોડી રાત્રે તેમણે દમ તોડી દીધો હતો. પોલીસે જરૂરી કાગળ કાર્યવાહી કરી મૃતદેહ પીએમમાં ખસેડ્યો હતો. મૃતકના પરિવારજનોએ જણાવ્યા મુજબ, સંદીપને સંતાનમાં બે દીકરીઓ છે. દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોક છવાયો છે.

ગેરકાયદેસર સ્પીડ બ્રેકર દૂર કર્યાં
સૂત્રોએ જણાવ્યું કે, જ્યાં સંદીપ જાનીનું એક્ટિવા સ્લીપ થયું ત્યારે ગેરકાયદેસર સ્પીડ બ્રેકર હતું. એટલે કે કોઈ સ્થાનિકોએ પોતાની રીતે આ સ્પીડ બ્રેકર બનાવ્યું હતું. અકસ્માતની ઘટના બનતા હાલ તંત્રએ આવા ગેરકાયદેસર સ્પીડ બ્રેકર દૂર કર્યાં હતા
 






Latest News