ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના નવા સાદુળકા પાસે સર્વોપરી શૈક્ષણિક સંકુલમાં રકતદાન કેમ્પ યોજાશે


SHARE







મોરબીના નવા સાદુળકા પાસે સર્વોપરી શૈક્ષણિક સંકુલમાં રકતદાન કેમ્પ યોજાશે

મોરબી નજીકના નવા સાદુળકા ગામ પાસે આવેલ સર્વોપરી શૈક્ષણિક સંકુલ ખાતે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને આ રક્તદાન કેમ્પ આગામી તારીખ ૨૯ ડિસેમ્બરને બુધવારે સવારના ૯ થી બપોરના ૧ વાગ્યા સુધી યોજાશે અને રક્તદાન કેમ્પમાં લોકોને બહોળી સંખ્યામાં રક્તદાન કરીને મહામૂળી માનવ જિંદગીને બચાવવા માટે સહકાર આપવા માટે સંસ્થાના સંચાલકો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે અને આ રક્તદાન કેમ્પ માટે રજિસ્ટ્રેશન મોબાઈલ નંબર ૮૨૦૦૩ ૦૦૦ ૮૬ અને ૮૩૪૭૯ ૩૦૩૦૫ ઉપર કરવામાં આવશે.

રામાનંદી સાધુ સમાજ જોગ

શ્રી મોરબી રામાનંદી સાધુ સેવા સમિતિ દ્વારા સમૂહ યજ્ઞોપવિત તથા યુવા પસંદગી મેળાનું આયોજન કરવામાં આવેલ છે. આ માટેના ફોર્મ રામાનંદ ભવન રામઘાટ, સંજયભાઇ રામાનંદ ટ્રાવેલ્સ વિજય ટોકિજ પાસે, બજરંગ સાઇકલ માર્ટ જેલ રોડ, સર્વોદય નોવેલ્ટી સ્ટોર્સ શાકમાર્કેટ પાસે, ભારત ન્યૂજ ગેંડા સર્કલ મોરબી-૨ પાસેથી મળશે ફોર્મ તા.૨૦-૧૨ થી તા.૨૫-૦૧ સુધી સ્વીકારવામાં આવશે. યજ્ઞોપવિતની ફી રૂ.૨૫૦૦ તથા યુવા પસંદગી મેળાની ફી રૂ.૧૦૦૦ રાખેલ છે. આ આયોજન તા.૨૦-૨ ના રોજ રાખવામા આવેલ છે. જેની નોંધ લેવી.

વાંકાનેર બાર એસો. ના પ્રમુખપદે

વાંકાનેર બાર એસોસીએશનના પ્રમુખપદ માટેની ચુંટણી યોજવામાં આવેલ હતી.ચુંટણી અંગેની કાયદેસરની પ્રક્રિયા નિયમ મુજબ પુર્ણ કરવમાં આવેલ જેમા મતગણતરીના અંતે પ્રમુખ તરીકે અનિરૂધ્ધસિંહ સતુભા ઝાલા ચુંટાયા હતા.તે સિવાયના હોદા માટે બિનહરીફ હોદેદારો નીચે મુજબ છે.પી.એસ.શાહ ( ૨ ) એસ . વી . પરાસરા એમ . આર . સોલંકી ( ૩ ) ( ૪ ) એસ . એમ . શેરસીયા ( ૫ ) વી . આર . બાંભવા ( ૬ ) એ . એ . માથકીયા ( ૭ ) બી . એસ . લુંભાણી વાંકાનેર તા . ૧૭/૧૨/૨૦૨૧ : ઉપ પ્રમુખ સેક્રેટરી જોઈન્ટ સેક્રેટરી ખજાનચી કારોબારી સભ્ય કારોબારી સભ્ય કારોબારી સભ્ય ` ખારી જ્ય આમ ઉપરોકત વિગતે થયેલ પ્રક્રિયા બાબતે અમો નીચે સહી કરનારાઓ અમારુ સમથૅન જાહેર કરીએ છીએ અને જે બદલ આ નીચે અમારી સહી કરી આપેલ છે






Latest News