આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો મોરબીના ખાખરાળા ગામે આશાસ્પદ યુવાનને અંતિમ પગલું ભરી લેતા મોત ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીના પીપળી પાસે આવેલ ચાર સોસાયટીઓમાં પ્રાથમિક સુવિધા માટે સ્થાનિક લોકોના કલેક્ટર કચેરીએ પ્રતિક ધરણા


SHARE













મોરબીના પીપળી પાસે આવેલ ચાર સોસાયટીઓમાં પ્રાથમિક સુવિધા માટે સ્થાનિક લોકોના કલેક્ટર કચેરીએ પ્રતિક ધરણા

મોરબીના પીપળી ગામ નજીક આવેલી ચાર સોસાયટીઓની અંદર રહેતા લોકોને બિલ્ડરો દ્વારા રોડ, ગટર, પાણી, લાઈટ વિગેરે પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવતી નથી અને તેઓની સાથે છેતરપિંડી કરવામાં આવી છે તેવા આક્ષેપ સાથે મહિલા સહિતના સ્થાનિક લોકો કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને ત્યાં તેઓને તાત્કાલિક પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવે તેવી માંગ સાથે પ્રતિકરણ ધારણા કર્યા હતા

મોરબીના પીપળી ગામ નજીક આવેલ માનસધામ 1-2, ત્રિલોક ધામ અને ગોકુલધામ સોસાયટીમાં અંદાજે 300 જેટલા રહેણાંક મકાન આવેલા છે અને ત્યાં રહેતા લોકોને બિલ્ડરો દ્વારા રોડ, ગટર, લાઈટ, પાણી સહિત પ્રાથમિક સુવિધા આપવા માટેના વચન આપ્યા હતા પરંતુ તે પ્રકારની સુવિધાઓ તેમને આપવામાં આવી નથી જે બાબતે અગાઉ થોડા સમય પહેલા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બિલ્ડરો સામે ગુનો પણ નોંધાયેલ છે દરમિયાન શુક્રવારે આ ચારેય સોસાયટીમાં રહેતા મહિલાઓ સહિતના લોકો કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને ત્યાં તેઓએ જણાવ્યું હતું કે બિલ્ડરો દ્વારા લાઈટ, પાણી, ગટર, રોડ વિગેરે જેવી સુવિધાઓ આપવામાં આવી નથી અને તંત્રમાં અનેક વખત રજૂઆત કરવા છતાં પણ તેઓને સુવિધાઓ આપવામાં આવતી નથી કારણ કે તેઓને મકાન લીધા હતા તો પણ પ્લોટના દસ્તાવેજ કરી આપવામાં આવ્યા છે જેથી કરીને ગ્રામ પંચાયત તેનો વેરો લેતી નથી અને સુવિધા આપવામાં આવતી નથી. વધુમાં સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા વર્ષોથી આ સોસાયટીઓ બનાવમાં આવેલ છે તેમ છતાં પણ કોઈ પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવતી નથી અને બિલ્ડરો તરફથી સંતોષકારક જવાબ આપવાના બદલે દાદાગીરી કરવામાં આવે છે અને મકાન લેનારા વ્યક્તિઓને બિલ્ડરો તરફથી પૂરતા ડોક્યુમેન્ટ પણ આપવામાં આવ્યા નથી જેથી સ્થાનિક લોકોની સાથે છેતરપિંડી કરવામાં આવી હોય તેઓને ન્યાય અને પ્રાથમિક સુવિધા મળે તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરી હતી.






Latest News