મોરબીની યદુનંદન ગૌશાળામાં માનવ સેવા સંસ્થાના કાર્યકર્તાનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો
મોરબીમાં ઘરમાં ઘૂસીને વૃદ્ધની હત્યા કરનાર આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર
SHARE









મોરબીમાં ઘરમાં ઘૂસીને વૃદ્ધની હત્યા કરનાર આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર
મોરબીના શનાળા રોડ આરાધના સોસાયટીમાં ચોરી કરવા ઇરાદે ઘરમાં ઘસેલા પાડોસી યુવાને વૃદ્ધની હત્યા કરી હતી જે ગુનામાં આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને તેને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા જેથી કરીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી
મોરબીના શનાળા રોડ ઉપર આવેલ જીઆઇડીસીની સામેની આરાધના સોસાયટીમાં રહેતા દિનેશભાઇ અમૃતલાલભાઈ મહેતા જાતે જૈન વાણીયા (ઉમર ૭૬) તેમના ઘરે એકલા હતા. માટે તેઓના પાડોશી દિનેશભાઇના ઘરે ગત ગુરુવારે સાંજે છએક વાગ્યાના અરસામાં નાસ્તો આપવા માટે ગયા હતા ત્યારે ઈજાગ્રસ્ત હાલતમાં દિનેશભાઈ મહેતા ઘરમાંથી મળી આવ્યા હતા અને તેને હોસ્પિટલે ખસેડાયા હતા જો કે, ડોકટરે તેઓને મૃત જાહેર કર્યા હતા માટે પોલીસે મૃતક દિનેશભાઈ મહેતાની અમદાવાદના પાલડી વિસ્તારમાં આમ્રપલી એપાર્ટમેન્ટમાં રહેતી દીકરી નિમિષાબેન વિરલભાઇ શાહની ફરિયાદ લઈને આરાધના સોસાયટીમાં રહેતા કલ્પેશ ઉર્ફે ઘોઘાભાઈ મૂળજીભાઈ કંઝારીયા જાતે સતવારા (ઉમર ૩૪) સામે ગુનો નોધ્યો હતો અને ફરિયાદીએ જણાવ્યુ હતુ કે, તેઓના પિતા ઘરમાં એકલા હતા ત્યારે ચોરી કરવાના ઇરાદે કલ્પેશ ઉર્ફે ઘોઘો કણઝારીયા તેના પિતાના ઘરમાં ઘુસ્યો હતો અને તેના પિતાની હત્યા કરી નાખી હતી જેથી પોલીસે આરોપી કલ્પેશ ઉર્ફે ઘોઘાભાઈ મૂળજીભાઈ કંઝારીયા જાતે સતવારા (ઉમર ૩૪) રહે. શનાળા રોડ આરાધના સોસાયટી વાળાની ધરપકડ કરેલ છે અને જે ધોકો મારીને તેને દિનેશભાઇની હત્યા કરી હતી તેને પોલીસે કબજે કરી લીધેલ છે અને આરોપીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે જેથી પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે
