માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીમાં ઘરમાં ઘૂસીને વૃદ્ધની હત્યા કરનાર આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર


SHARE

















મોરબીમાં ઘરમાં ઘૂસીને વૃદ્ધની હત્યા કરનાર આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર

મોરબીના શનાળા રોડ આરાધના સોસાયટીમાં ચોરી કરવા ઇરાદે ઘરમાં ઘસેલા પાડોસી યુવાને વૃદ્ધની હત્યા કરી હતી જે ગુનામાં આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને તેને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા જેથી કરીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ જીઆઇડીસીની સામેની આરાધના સોસાયટીમાં રહેતા દિનેશભાઇ અમૃતલાલભાઈ મહેતા જાતે જૈન વાણીયા (ઉમર ૭૬) તેમના ઘરે એકલા હતા. માટે તેઓના પાડોશી દિનેશભાઇના ઘરે ગત ગુરુવારે સાંજે છએક વાગ્યાના અરસામાં નાસ્તો આપવા માટે ગયા હતા ત્યારે ઈજાગ્રસ્ત હાલતમાં દિનેશભાઈ મહેતા ઘરમાંથી મળી આવ્યા હતા અને તેને હોસ્પિટલે ખસેડાયા હતા જો કે, ડોકટરે તેઓને મૃત જાહેર કર્યા હતા માટે પોલીસે મૃતક દિનેશભાઈ મહેતાની અમદાવાદના પાલડી વિસ્તારમાં આમ્રપલી  એપાર્ટમેન્ટમાં રહેતી દીકરી નિમિષાબેન વિરલભાઇ શાહની ફરિયાદ લઈને આરાધના સોસાયટીમાં રહેતા કલ્પેશ ઉર્ફે ઘોઘાભાઈ મૂળજીભાઈ કંઝારીયા જાતે સતવારા (ઉમર ૩૪) સામે ગુનો નોધ્યો હતો અને ફરિયાદીએ જણાવ્યુ હતુ કે, તેઓના પિતા ઘરમાં એકલા હતા ત્યારે ચોરી કરવાના ઇરાદે કલ્પેશ ઉર્ફે ઘોઘો કણઝારીયા તેના પિતાના ઘરમાં ઘુસ્યો હતો અને તેના પિતાની હત્યા કરી નાખી હતી જેથી પોલીસે આરોપી કલ્પેશ ઉર્ફે ઘોઘાભાઈ મૂળજીભાઈ કંઝારીયા જાતે સતવારા (ઉમર ૩૪) રહે. શનાળા રોડ આરાધના સોસાયટી વાળાની ધરપકડ કરેલ છે અને જે ધોકો મારીને તેને દિનેશભાઇની હત્યા કરી હતી તેને પોલીસે કબજે કરી લીધેલ છે અને આરોપીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીના એક  દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે જેથી પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે




Latest News