આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો મોરબીના ખાખરાળા ગામે આશાસ્પદ યુવાનને અંતિમ પગલું ભરી લેતા મોત ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો
Breaking news
Morbi Today

રાજ્ય મંત્રી અને મોરબીના ધારાસભ્યના પ્રયાસોથી માળિયા (મી)ના CCI કેન્દ્રમાં સપ્તાહમાં ત્રણ દિવસ કપાસની ખરીદી કરાશે


SHARE













રાજ્ય મંત્રી અને મોરબીના ધારાસભ્યના પ્રયાસોથી માળિયા (મી)ના CCI કેન્દ્રમાં સપ્તાહમાં ત્રણ દિવસ કપાસની ખરીદી કરાશે

માળિયા (મી)ના ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે અને માળીયાના સીસીઆઈ ખરીદ કેન્દ્ર ખાતે સપ્તાહમાં બે દિવસ જ ખરીદી થતી હતી જો કે રાજ્ય મંત્રી અને મોરબીના ધારાસભ્યના પ્રયાસોથી હવે સપ્તાહમાં ત્રણ દિવસ કપાસની ખરીદી કરવામાં આવશે.

માળીયા મિયાણા તાલુકાનાં સીસીઆઈ કેન્દ્રમાં બે જ દિવસ ખરીદી કરવામાં આવતી હતી જેથી કરીને ખેડૂતોને કપાસ વેચાણમાં વિલંબ થતો હતો જેથી કરીને કપાસ ખરીદી ઝડપથી કરવામાં આવે અને ખેડૂતોનો કપાસ સમયસર વેચાઈ જાય તે માટે માળિયા પંથકના ખેડૂતો અને તાલુકા ભાજપના આગેવાનો દ્વારા રાજ્ય મંત્રી અને મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને કપાસ ખરીદીના દિવસ વધારવા માટેની રજૂઆત કરી હતી જેથી કરીને કાંતિભાઈ અમૃતિયાએ કરેલા પ્રયાસોથી હવે માળીયા (મી)ના સીસીઆઈ કેન્દ્રમાં કપાસ ખરીદી માટેનો સમય બે દિવસથી વધારી ત્રણ દિવસ કરવામાં આવેલ છે જેથી સોમવારથી સપ્તામાં ત્રણ દિવસ માળીયાના ખેડૂતો તેમનો કપાસ ત્યાં વેચી શકશે.






Latest News