આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો મોરબીના ખાખરાળા ગામે આશાસ્પદ યુવાનને અંતિમ પગલું ભરી લેતા મોત ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીમાં ભૂલી પડી ગયેલ 6 વર્ષની બાળકીનું 181 ની ટીમે પરિવાર સાથે મિલન કરાવ્યુ


SHARE













મોરબીમાં ભૂલી પડી ગયેલ 6 વર્ષની બાળકીનું 181 ની ટીમે પરિવાર સાથે મિલન કરાવ્યુ

મોરબી પંકથામાંથી એક છ વર્ષની આસપાસની બાળકી રડતી હાલતમા મળી આવી હતી જેથી રિક્ષા ચાલક તેને નજીકના પોલીસ સ્ટેશને સોંપી ગયો હતો ત્યારે બાદ પોલીસે 181 ની ટીમને આ અંગેની જાણ કરી હતી જેથી મોરબી 181 અભયમ તથા પોલીસ દ્વારા બાળકીનું કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું અને તેના પરિવારની માહિતી મેળવીને બાળકીને તેના પરિવારને સોંપી દેવામાં આવેલ છે.

મોરબીમાં બે દિવસ પહેલા રોજ સાંજના સમયે પોલીસ સ્ટેશનથી 181 અભયમ મહિલા હેલ્પલાઇનમાં ફોન આવેલ હતો કે, એક નાની બાળકી એકલી રસ્તા પર રડતી હતી અને ડરી ગયેલ હતી જેટી રિક્ષાવાળા ભાઈ બાળકીને પોલીસ સ્ટેશન ખાતે સોંપી ગયેલ હતા જે અંગેની 181 ટીમને જાણ કરી હતી હતી જેથી 181 ટીમના કાઉન્સિલર સેજલ પટેલ, કોન્સ્ટેબલ વિલાસબેન તેમજ પાયલોટ મહેશભાઈએ પોલીસ સ્ટેશને પહોચ્યા હતા અને અજાણી બાળકીને વિશ્વાસમાં લઈને તેના માતા પિતાની માહિતી મેળવવા માટેનો પ્રયાસ કર્યો હતો. જો કે, બાળકી ડરી ગયેલ હોવાથી કશું બોલતી ન હતી જેથી પ્રાથમિક માહિતી મળેલ ન હતી પરંતુ ઘણા પ્રયત્નો બાદ બાળકીનો પરિવાર મળી આવતા તેમનું કાઉન્સિલિંગ કરતા સામે આવ્યું હતું કે, તેઓ મધ્યપ્રદેશના છે અને મોરબી કંપનીમાં મજૂરી કામ કરવા માટે આવેલ હોય તેપોત પોતાના કામમાં વ્યસ્ત હતા ત્યારે બાળકી રમતા- રમતા ઘણી દૂર નીકળી ગયેલ હતી અને રસ્તો ભૂલી ગયેલ હતી તેઓએ આજુ-બાજુના વિસ્તારમાં તેમજ ઘણા લોકોને તેમની બાળકી બાબતે પૂછપરછ કરેલ હતી પરંતુ કોઈ ભાળ મળી ન હતી જેથી તેઓ પણ ચિંતિત  હતા ત્યાર બાદ તેમની પાસેથી દીકરીના તમામ આધાર-પુરાવા મેળવી તેમના પરિવારને સલાહ- સુચન માર્ગદર્શન અને કાયદાકીય માહિતી આપીને હવે પછી દીકરીનું ધ્યાન રાખવા માટે સમજાવીને દીકરી તેના પરિવાને સોંપીને બાળકીને તેના પરિવાર સાથે સુખ:દ મિલન કરાવેલ છે. 






Latest News