મોરબી પાટીદાર શિક્ષક સમાજ દ્વારા સ્નેહમિલન,મોટિવેશન અને તેજસ્વીતા સન્માન દેદીપ્યમાન સમારોહ સંપન્ન વાંકાનેરમાં વેપારીને રીક્ષામાં બેસાડી રૂા.42 હજારનો હાથ મારનાર ચાર શખ્સોને દબોચી લેતી પોલીસ મોરબીમાં કચરો નાખવા બાબતે બોલાચાલી કરીને માતા-પુત્રીને ગાળો આપીને પાઇપ વડે માર માર્યો મોરબીના બંધુનગર પાસેથી દારૂની 4 બોટલ સાથે ઇકો કારમાંથી બે શખ્સ પકડાયા: 1.23 લાખનો મુદામાલ કબ્જે મોરબીમાં શનિ-રવિવારે કેન્સર નિદાન કેમ્પ યોજાશે ગાંધીધામથી જામનગર ઘરે જઈ રહેલા યુવાનને રસ્તામાં કાળનો ભેટો: માળીયા (મી)ના ચાંચાવદરડા પાસે ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત મોરબીમાંથી પાંચ ચાઈનીઝ ફીરકી સાથે વેપારી યુવાન પકડાયો મોરબીના રફાળેશ્વર-જાંબુડીયા વચ્ચે ટ્રક ચાલકે ડબલ સવારી એક્ટિવાને ઉડાવ્યું: બે ઇજાગ્રસ્ત સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં મચ્છુ નદીના પટમાંથી ઝુંપડા, લારી અને ગલ્લા સહિતના દબાણો હટાવતી મહાપાલિકા


SHARE











મોરબીમાં મચ્છુ નદીના પટમાંથી ઝુંપડા, લારી અને ગલ્લા સહિતના દબાણો હટાવતી મહાપાલિકા

મોરબીમાં મચ્છુ નદીના પટમાં કરવામાં આવેલા કાચા પાકા ઝુંપડાના દબાણો સહિતના દબાણ હતા તેને દૂર કરવા માટેની કામગીરી મહાપાલિકાની ટીમ દ્વારા કરવામાં આવી હતી અને આજે મચ્છુ નદીના પટમાં જેટલા પણ દબાણ હતા તેને દૂર કરવામાં આવ્યા છે.

મોરબીમાં મહાપાલિકાની ટીમ દ્વારા વન વોર્ડ વન વીક અંતર્ગત જુદા જુદા વિસ્તારની અંદર જે કાચા પાકા દબાણ હોય છે તેને દૂર કરવા માટેની કામગીરી કરવામાં આવતી હોય છે ત્યારે આજે મોરબીના મચ્છુ નદીના પટમાં જે કાચા પાકા ઝુંપડા સહિતના દબાણો અને કેટલાક રેકડી, ગલ્લા,  લારીઓના દબાણ હતા તેને દૂર કરવા માટેની કામગીરી મહાપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરેની સૂચના મુજબ શરૂ કરવામાં આવી હતી અને ડેપ્યુટી કમિશનરની હાજરીમાં મહાપાલિકાના કર્મચારીઓ દ્વારા તમામ દબાણોને દૂર કરવામાં આવ્યા હતા. વધુમાં અધિકારીએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે ચોમાસા દરમિયાન દૂર કરવાની કામગીરી કરવામાં આવતી હોય છે પરંતુ લાંબા સમયથી અહીંયા લોકો રહેતા હોય માટે નદીનો પટ્ટ ખાલી કરાવવા સમયે માથાકૂટો થતી હોય છે જેથી નદીના પટમાં કોઈપણ પ્રકારના દબાણો ન થાય તે માટે થઈને આ દબાણ હટાવવા માટેની કાર્યવાહી કરવામાં આવી હતી.






Latest News