ટંકારાના વીરપર ગામે ઘરના ફળિયામાં કરેલ દિવાલના જુના ઝઘડાનો ખાર રાખીને પડોશીઓ વચ્ચે બઘડાટી: હવે સામસામી ફરિયાદ વાંકાનેરમાં બાઈક સાથે બાઈક અથડાતા સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલ વૃદ્ધનું મોત મોરબીમાં પોલીસ સ્ટેશન સામેથી બાઈકની ચોરી કરનાર આરોપી ઝડપાયો મોરબીની પંચાસર અને અવની ચોકડી પાસે અકસ્માતના જુદા જુદા બે બનાવમાં પાંચ વ્યક્તિને ઇજા: બે કાર ચાલક સામે ફરિયાદ મોરબી જિલ્લામાં વ્યક્તિગત પક્ષાપક્ષીનો ભોગ બની રહ્યા છે યોગ બોર્ડમાં જોડાનાર ટ્રેનરો મોરબી રોટરી ક્લબની ગવર્નર નિલેશભાઈ શાહએ લીધી મુલાકાત મોરબી ડો.બાબા સાહેબ આંબેડકર શાળાના શિક્ષકોએ માધાપરવાડી શાળાની મુલાકાત લીધી મોરબીમાં નવયુગ કોલેજના 400થી વધુ વિદ્યાર્થીઓનો થેલેસેમિયા ટેસ્ટ કરાયો
Breaking news
Morbi Today

મોરબીમાં મચ્છુ નદીના પટમાંથી ઝુંપડા, લારી અને ગલ્લા સહિતના દબાણો હટાવતી મહાપાલિકા


SHARE





મોરબીમાં મચ્છુ નદીના પટમાંથી ઝુંપડા, લારી અને ગલ્લા સહિતના દબાણો હટાવતી મહાપાલિકા

મોરબીમાં મચ્છુ નદીના પટમાં કરવામાં આવેલા કાચા પાકા ઝુંપડાના દબાણો સહિતના દબાણ હતા તેને દૂર કરવા માટેની કામગીરી મહાપાલિકાની ટીમ દ્વારા કરવામાં આવી હતી અને આજે મચ્છુ નદીના પટમાં જેટલા પણ દબાણ હતા તેને દૂર કરવામાં આવ્યા છે.

મોરબીમાં મહાપાલિકાની ટીમ દ્વારા વન વોર્ડ વન વીક અંતર્ગત જુદા જુદા વિસ્તારની અંદર જે કાચા પાકા દબાણ હોય છે તેને દૂર કરવા માટેની કામગીરી કરવામાં આવતી હોય છે ત્યારે આજે મોરબીના મચ્છુ નદીના પટમાં જે કાચા પાકા ઝુંપડા સહિતના દબાણો અને કેટલાક રેકડી, ગલ્લા,  લારીઓના દબાણ હતા તેને દૂર કરવા માટેની કામગીરી મહાપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરેની સૂચના મુજબ શરૂ કરવામાં આવી હતી અને ડેપ્યુટી કમિશનરની હાજરીમાં મહાપાલિકાના કર્મચારીઓ દ્વારા તમામ દબાણોને દૂર કરવામાં આવ્યા હતા. વધુમાં અધિકારીએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે ચોમાસા દરમિયાન દૂર કરવાની કામગીરી કરવામાં આવતી હોય છે પરંતુ લાંબા સમયથી અહીંયા લોકો રહેતા હોય માટે નદીનો પટ્ટ ખાલી કરાવવા સમયે માથાકૂટો થતી હોય છે જેથી નદીના પટમાં કોઈપણ પ્રકારના દબાણો ન થાય તે માટે થઈને આ દબાણ હટાવવા માટેની કાર્યવાહી કરવામાં આવી હતી.




Latest News