મોરબીના પાનેલી ગામેથી કહ્યા વગર યુવાન ગુમ મોરબી હિમશન આર્ટીસ્ટ ફેડરેશન દ્રારા તા.૩૧ ના સ્વ.મહમદ રફિની યાદમાં સંગીત સંધ્યા યોજાશે મોરબીના લાલપર ગામ પાસે હાઇવે ઉપરથી ટ્રક બંધ પડી જતાં ટ્રાફિકજામ મોરબી જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા કેન્દ્રિય શિક્ષણ મંત્રીના રાજીનામાની ઉજવણીમાં વિજય માર્ચ યોજાઇ મોરબી એસટી ડેપોમાં આવીને ઊભી રહેલ બસમાંથી યુવાન મૃતદેહ મળ્યો મોરબીમાં ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા 1,84,000 લોકોની સહી સાથે કલેક્ટરને આવેદપત્ર પાઠવ્યું હળવદ પત્રકાર એસો. દ્વારા 2 ઓગસ્ટના રોજ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબીમાં ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા સરકારી શાળામાં ચોપડાનું વિતરણ કરાયું
Breaking news
Morbi Today

મોરબીના બગથળાથી કાંતિપુર રોડને રીપેર કરો : કે.ડી.બાવરવા


SHARE







મોરબીના બગથળાથી કાંતિપુર રોડને રીપેર કરો : કે.ડી.બાવરવા 

ગુજરાત સ્ટેટ આમ આદમી પાર્ટીના જોઇન્ટ સેક્રેટરી તેમજ મોરબી આપ પાર્ટીના અગ્રણી કાંતિલાલ ડી બાવરવા (કે.ડી.બાવરવા) એ રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર લખીને રજૂઆત કરી છેકે, મોરબી જીલ્લાના મોરબી તાલુકાના બગથળા ગામેથી કાંતિપુર ગામને જોડતો રસ્તો છેલ્લા કેટલાક સમયથી અત્યંત બિસ્માર હાલતમાં છે.જો કોઈ બીમાર વ્યક્તિને દવાખાને લઇ જવો  હોય તો રસ્તામાં વધારે બીમાર થાય તેવી પરિસ્થિતિ  છે.

વધુમાં ગામ લોકોને પોતાની  રોજીરોટી માટે કે  ખરીદી માટેના કારણોસર મોરબી જવું હોય તો ખુબજ તફ્લીક પડી રહી છે.તેથી આ રસ્તાને તાત્કાલિક રીપેર કરવો જરૂરી છે.જો આ કામને ધ્યાને લઇને તાત્કાલીક સુધારણા નહીં કરવામાં આવે તો ના છુટકે ગામ લોકોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલાન્ત્મક કાયક્રમો આપવાની ફરજ પડશે તેથી આ બાબતે વહેલાસર યોગ્ય કરવા રજૂઆત કરવામાં આવેલ છે






Latest News