મોરબીના પાનેલી ગામેથી કહ્યા વગર યુવાન ગુમ મોરબી હિમશન આર્ટીસ્ટ ફેડરેશન દ્રારા તા.૩૧ ના સ્વ.મહમદ રફિની યાદમાં સંગીત સંધ્યા યોજાશે મોરબીના લાલપર ગામ પાસે હાઇવે ઉપરથી ટ્રક બંધ પડી જતાં ટ્રાફિકજામ મોરબી જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા કેન્દ્રિય શિક્ષણ મંત્રીના રાજીનામાની ઉજવણીમાં વિજય માર્ચ યોજાઇ મોરબી એસટી ડેપોમાં આવીને ઊભી રહેલ બસમાંથી યુવાન મૃતદેહ મળ્યો મોરબીમાં ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા 1,84,000 લોકોની સહી સાથે કલેક્ટરને આવેદપત્ર પાઠવ્યું હળવદ પત્રકાર એસો. દ્વારા 2 ઓગસ્ટના રોજ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબીમાં ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા સરકારી શાળામાં ચોપડાનું વિતરણ કરાયું
Breaking news
Morbi Today

મોરબીના ગોર ખીજડીયા ગામ નજીક પ્રદૂષણ મામલે સરપંચની ભૂખ હડતાળની ચીમકી


SHARE







મોરબીના ગોર ખીજડીયા ગામ નજીક પ્રદૂષણ મામલે સરપંચની ભૂખ હડતાળની ચીમકી

મોરબીના ગોર ખીજડીયા ગામ પાસે કારખાનાઓના લીધે પ્રદૂષણ ફેલાઈ છે જેની અનેક વખત રજૂઆત કરી છે તો પણ કોઈ પગલાં લેવામાં આવેલ નથી અને પ્રદૂષણ સતત વધી રહ્યું છે જેથી કરીને ગોર ખીજડીયા ગામના સરપંચ દ્વારા ગ્રામજનોને સાથે રાખીને ભૂખ હડતાળ કરવાની ચીમકી ઉચ્ચારી છે.

ગોર ખીજડીયા ગામના ગૌતમ મોરડીયાએ જણાવ્યુ છે કે, ગામના સિમ વિસ્તારમાં છેલ્લા વર્ષોમાં અનેક કારખાના આવેલ છે અને તેમાંથી પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે જેથી કરીને ગામના લોકો ત્રાહિમામ પોકારી ગયા છે અને નદીનું પાણી પણ પ્રદુષિત થઈ રહ્યું છે અને લોકોને શ્વાસ લેવામાં તકલીફ થાય છે અને ખેતીને પણ નુકશાન થાય છે જેથી અગાઉ જીપીસીબી અને એનજીટી સુધી રજૂઆત કરાઇ છે અને ગ્રામજનો દ્વારા રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું છે તો પણ પ્રદૂષણનો પ્રશ્ન ઉલેકાયેલ નથી અને તંત્રની બેદરકારીના લીધે 3 મહિના પહેલા કેમિકલયુક્ત પાણીના કારણે અનેક માછલાઓના મોત પણ થયા હતા. અત્રે ઉલેખનીય છે કે, ગત વર્ષે જાન્યુઆરી માહિનામાં ગ્રામ પંચાયત દ્વારા જીપીસીબીના ચેરમેનને લેખિત રજૂઆત કરાઇ હતી તો પણ કોઈ પગલાં લેવામાં આવેલ નથી ત્યારે જો આગામી 2થી 3 દિવસમાં કોઈ કાર્યવાહી કરવામાં નહિ આવે તો સરપંચ સહિત ગ્રામજનો ભૂખ હડતાળ કરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.






Latest News