હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીના જોધપર ગામ પાસે બનાવવામાં આવેલ નમો વનની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુલાકાત લીધી


SHARE













મોરબીના જોધપર ગામ પાસે બનાવવામાં આવેલ નમો વનની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુલાકાત લીધી

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોરબીમાં જોધપર ગામે પાસે આવેલ પાંજરાપોળની જગ્યામાં બનાવવામાં આવેલ નમો વનની મુલાકાત લીધી હતી. આ તકે નમો વનમાં વિકસાવવામાં આવેલી વિવિધ પર્યાવરણીય સુવિધાઓ અને હરિયાળાનું મુખ્યમંત્રીએ નિરીક્ષણ કરી પાંજરાપોળ ટ્રસ્ટનાં ટ્રસ્ટીઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. અને નમો વનની સંભાળ, વિકાસ અને વિસ્તરણ અંગે મુખ્યમંત્રીએ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

મોરબી પાંજરાપોળ ટ્રસ્ટની જમીન જોધપર ગામ પાસે આવેલ પટેલ બોર્ડિંગની પાછળના ભાગમાં આવેલ છે ત્યારે હાલમાં ટ્રસ્ટ દ્વારા સદભાવના વૃધ્ધાશ્રમ તથા વન વિભાગને સાથે રાખીને દસ લાખ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે ઉલેખનીય છે કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગત તા.17 સપ્ટેમ્બરનાં રોજ જન્મ દિવસ નિમિતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલેના હસ્તે નમો વનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને ત્યારે 40 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલ વનકવચમાં મુખ્યમંત્રીએ વૃક્ષારોપણ કર્યુ હતું. અને ચાર મહિના પછી આજે મુખ્યમંત્રી મોરબી આવ્યા હતા ત્યારે તેઓએ નમો વનનું નિરીક્ષણ કરીને વૃક્ષોથી લીલછમ નમો વન ને જોઈને મુખ્યમંત્રીએ રાજીપો વ્યક્ત કર્યો હતો. અને પર્યાવરણના વિવિધ પડકારોને નિવારવા માટે વૃક્ષો વાવી તેની માવજત કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. ત્યારે મોરબી ખાતે વિકસતું નમો વન શહેરની શોભા વધારવાની સાથે ઓક્સિજનમાં વધારો કરશે. તેમજ લોકોને પર્યટન સ્થળ મળી રહેશે. તેવી લાગણી વ્યક્ત કરી હતી અને આ તકે મુખ્યમંત્રી સાથે શ્રમ અને રોજગાર મંત્રી કાંતિભાઈ અમૃતિયા તેમજ ત્રિકમભાઈ છાંગા તથા હિરેનભાઇ પારેખ, પ્રજ્ઞેશભાઈ વાઘેલા અને પાંજરાપોળના ટ્રસ્ટી વેલજીભાઇ પટેલ, જયેશભાઈ શાહ, હિતેશભાઇ ભાવસાર સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.






Latest News