મોરબીના પાનેલી ગામેથી કહ્યા વગર યુવાન ગુમ મોરબી હિમશન આર્ટીસ્ટ ફેડરેશન દ્રારા તા.૩૧ ના સ્વ.મહમદ રફિની યાદમાં સંગીત સંધ્યા યોજાશે મોરબીના લાલપર ગામ પાસે હાઇવે ઉપરથી ટ્રક બંધ પડી જતાં ટ્રાફિકજામ મોરબી જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા કેન્દ્રિય શિક્ષણ મંત્રીના રાજીનામાની ઉજવણીમાં વિજય માર્ચ યોજાઇ મોરબી એસટી ડેપોમાં આવીને ઊભી રહેલ બસમાંથી યુવાન મૃતદેહ મળ્યો મોરબીમાં ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા 1,84,000 લોકોની સહી સાથે કલેક્ટરને આવેદપત્ર પાઠવ્યું હળવદ પત્રકાર એસો. દ્વારા 2 ઓગસ્ટના રોજ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબીમાં ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા સરકારી શાળામાં ચોપડાનું વિતરણ કરાયું
Breaking news
Morbi Today

મોરબીના માણેકવાડા ગામે 77 માં પ્રજાસતાક પર્વની ઉજવણી કરાઇ


SHARE







મોરબીના માણેકવાડા ગામે 77 માં પ્રજાસતાક પર્વની ઉજવણી કરાઇ

પ્રજાસતાક પર્વ નિમિતે તિરંગાને સલામી અને ભારતમાતા પૂજનના કાર્યક્રમનું મોરબીના માણેકવાડા ગામે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સરપંચ બ્રિજરાજસિંહ જાડેજાના હસ્તે તિરંગાને આકાશમાં લહેરાવ્યો હતો અને ત્યાર બાદ માણેકવાડા પ્રાથમિક શાળાને આ વર્ષ 2025 નો સક્ષમ શાળાનો તાલુકા અને જિલ્લા સ્તરનો પુરસ્કાર શાળાના આચાર્ય જિતેન્દ્રભાઈ ભીમાણીને અર્પણ કરવામાં આવ્યો હતો, ત્યાર બાદ બાલવાટિકાથી લઈને ધોરણ 8 સુધીના કુમાર અને કન્યાઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. તેમજ ગત વર્ષની વાર્ષિક પરીક્ષામાં બાલવાટિકાથી ધો.8 સુધીમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવેલ વિદ્યાર્થીઓને શીલ્ડ અને શૈક્ષણિક કીટ આપીને સન્માનીત કરવામાં આવ્યું હતા દર વર્ષની જેમ આ વર્ષ પણ વિધાર્થીઓને શીલ્ડ, શૈક્ષિણક સામગ્રી દાતા રતિભાઈ પ્રાગજીભાઈ દેત્રોજા (પૂર્વ ઉપસરપંચ) દ્વારા આપવામાં આવી છે.કાર્યક્રમનું સંચાલન હિતેશભાઈ ગોપાણી દ્વારા કરવામાં આવ્યું હતું.






Latest News