હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો મોરબીના વિદ્યુત સ્મશાનમાં સફાઈ કામ કરતી મહિલાનું વીજ શોક લાગતા મોત
Breaking news
Morbi Today

મોરબીના જુના ઘૂટું રોડ ઉપરથી સગીરાનુ અપહરણ, તપાસ શરૂ


SHARE













મોરબીના જુના ઘૂટું રોડ ઉપર આવેલ કારખાનામાંથી સગીરાનુ અપહરણ

મોરબીના જુના ઘૂટું રોડ ઉપર આવેલ સીરામીક કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા પરિવારની સગીર વયની દીકરીનું અપહરણ કરવામાં આવ્યું છે અને તેને શોધવા છતાં કોઈ જગ્યાએથી પતો લાગ્યો ન હતો જેથી હાલમાં સગીરાના પિતા દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા અને સગીરાને શોધવા માટે તજવીજ શરૂ કરે છે

મૂળ છોટાઉદેપુર જિલ્લાના રહેવાસી અને હાલમાં મોરબીમાં રોજગારી માટે થઈને આવેલ અને જુના ઘૂટું રોડ ઉપર આવેલ સીરામીક કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતાં પરિવારની 16 વર્ષની સગીર દીકરીનું ગત તા. 12/1 ના રોજ અજાણ્યા શખ્સ દ્વારા અપહરણ કરવામાં આવેલ છે જેથી તેને શોધવા માટે થઈને પરિવારજનો દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યા હતા તેમ છતાં પણ સગીરાનો કોઈ જગ્યાએથી પતો લાગ્યો ન હતો જેથી હાલમાં સગીરાના પિતા દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તથા સગીરાને શોધી કાઢવા માટે તજવીજ હાથ ધરી છે આ અંગેની આગળની વધુ તપાસ પીએસઆઇ એસ.એચ.ભટ્ટ અને તેની ટીમ ચલાવી રહી છે

મહિલા દાઝી જતાં સારવારમાં

મોરબી તાલુકાના હરીપર (કે) ગામે આવેલ ગ્રાફીટો કંપનીમાં રહેતા અને મજૂરી કામ કરતા ઘીરીબેન રામજીભાઈ (42) નામના મહિલા તાપણા પાસે બેઠા હતા દરમિયાન કોઈ કારણસર તે દાજી ગયા હતા જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી

મારામારીમાં ઇજા

મોરબીના વિજયનગર વિસ્તારની અંદર મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં શાંતુબેન પુનાભાઈ મકવાણા (60) તથા ભુપેન્દ્રભાઈ પુનાભાઈ મકવાણા (38) નામના બે વ્યક્તિઓને ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News