મોરબીમાં આવેલ માધાપરવાડી કન્યા શાળામાં ફ્રિ નિદાન-સારવાર કેમ્પ યોજાયો મોરબીમાં ઠંડીમાં 36 ઘર વિહોણા લોકોને આશ્રયસ્થાન પૂરું પડતી મનપા મોરબીના મુમુક્ષુ વિધિબેને 28 વર્ષે જૈન દીક્ષા લીધી: લીંબડીમાં સંયમનો માર્ગ અપનાવી આત્મકલ્યાણનો સંદેશ આપ્યો પ્રેરણાદાઈ નિર્ણય: મોરબીમાં વૃદ્ધનું રાજકોટ ખાતે સારવારમાં બ્રેનડેડ થતાં બે કિડની-લીવરનું આંગદાન કરાયું મોરબી જિલ્લામાં ખાનગી વીજ કંપની દ્વારા વળતરની સ્પષ્ટતા વગર થતું કામ તાત્કાલિક રોકવાની ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિની માંગ રવિ સીઝન ૨૦૨૬-૨૭: રાજ્ય સરકાર ખેડૂતો પાસેથી રૂ.૨૫૮૫ ના ટેકાના ભાવે ઘઉંની સીધી ખરીદી કરશે વિશ્વ કેન્સર દિવસ: કેન્સર સામે રક્ષણ મેળવવા યોગ, આયુર્વેદ અને સાત્વિક આહારનો સમન્વય જરૂરી: ૪ ફેબ્રુઆરીએ સવારે ૭ કલાકે ડિજિટલ માધ્યમથી જોડાવા મોરબીવાસીઓને આહવાન મોરબીના ટંકારા ખાતે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિની ખાનગી વીજ કંપનીઓની દાદાગીરી સામે સભા: ખેડૂતોની ટ્રેક્ટર રેલીનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી : પાવડીયારી કેનાલમાંથી મળેલ મૃતદેહ કીડી ગામના યુવાનનો હોવાનું ખુલ્યું


SHARE











મોરબી : પાવડીયારી કેનાલમાંથી મળેલ મૃતદેહ કીડી ગામના યુવાનનો હોવાનું ખુલ્યું

મોરબીના નીચી માંડલથી પાવડયારી જતી કેનાલમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો હતો.જેમાં મૃતક યુવાન હળવદના કીડી ગામનો વતની હોવાનું સામે આવ્યું છે.બનાવ અંગે જાણ થતા મોરબી તાલુકા પોલીસ દ્વારા નોંધ કરી તપાસ કરવામાં આવી હતી

વધુમાં મળતી માહિતી પ્રમાણે ત્રણેક દિવસ પહેલા મોરબીની પાવળીયારી કેનાલ નીચી માંડલ ગામ નજીકથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો.આ બનાવ અંગે નીચીમાંડલ ગામના જગદીશભાઈ સોરીયાએ મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી અને જણાવ્યું હતું કે, અમારા ગામના જમાઈ ગણેશભાઈ નાગરભાઈ સુડાણી કોળી (૪૦) તા.કીડી તા.હળવદનો મૃતદેહ કેનાલમાં પડ્યો છે.જેથી તાલુકા પોલીસ મથકના એ.એમ.ગરીયા દ્વારા પહોંચીને તપાસ કરવામાં આવી હતી અને મૃતક ગણેશભાઈ ઉર્ફે ગેલાભાઈ નાગરભાઈ સુડાણી કોળી (૪૦) રહે.કિડી તા.હળવદનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો અને આ બાબતે તેમના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી.જોકે પરિવારજનોને ગણેશભાઇના મોત અંગે કોઈ શંકા-કુશંકા ન હોય પીએમ કરાવવામાં આવ્યું ન હતુ.પોલીસ દ્વારા આ બાબતે નોંધ કરી આગળની તપાસ કરવામાં આવી હતી.

વાહન અકસ્માત

ટંકારાની ગેલેક્સી હોટલ પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો. જેમાં દિનેશભાઈ રામભાઈ ગઢવી (૪૮) રહે.ટંકારાને ઇજાઓ પહોંચી હોય સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.જ્યારે હળવદના ટીકર ગામે તળાવ પાસેથી બાઈક લઈને જતા વખતે વાહન સ્લીપ થતા થાપાના ભાગનું હાડકુ ભાંગી જતા વાસુદેવભાઈ નારાયણભાઈ ચૌહાણ (૪૦) રહે.ટીકરને અત્રેની શિવમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તેમજ મોરબીના કંડલા બાયપાસ પરશુરામ બ્રિજ નજીક ઇકો પલ્ટી મારી જતા અલ્પેશભાઈ અમરશીભાઈ ગામી (૫૦) રહે.યદુન દંન સોસાયટી મોરબીને ૧૦૮ દ્રારા અહીં સિવિલે લાવવામાં આવ્યા હતા.

મારામારીમાં ઇજા

મોરબી-કંડલા બાયપાસ નેકસસ સિનેમા પાસે મારામારીના બનાવમાં ઈજા થતા સુરેશભાઈ રામજીભાઈ દેવીપુજક (૨૮) રહે.રોહીદાસપરા વીસીપરાને સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.તે રીતે જ મોરબીના સામાકાંઠે ત્રાજપર પાસે આવેલ મધુવન સોસાયટી ઓમ રેસીડેન્સીમાં રહેતા અજયકુમાર રામકરન મિણા નામના ૨૭ વર્ષના યુવાને કોઈ કારણસર વધુ પડતી ઊંઘની ગોળીઓ ખાઈ લેતા તેને અત્રે મંગલમ હોસ્પીટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબી નજીકના લાલપર ગામે સિરામિક સીટી ખાતે મારામારીમાં કાનના ભાગે છરી લાગતા મહમદઅનસ ફહીમભાઇ (૨૭) રહે.સીરામીક સીટીને અત્રે સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

યુવાન સારવારમાં

મોરબીના રેલ્વે સ્ટેશન પાછળ આવેલ કન્ટેનર યાર્ડ ખાતે કન્ટેનર ઉપરથી નીચે પડી જતા કમરના ભાગે ઇજા પામેલ નરોતમ ભાઈલાલભાઈ જારીયા (૩૦) રહે.જામનગરને સિવિલે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.જ્યારે વાંકાનેર હાઇવે સરતાનપર રોડ રાતાવિરડા ગામ પાસે આવેલ કલેઆર્ટ ગ્રેનાઇટોના લેબર કવાટરમાં રહીને મજૂરી કામ કરતા પરિવારની રશ્મિબેન શંકરસન સિંઘ નામની ૨૨ વર્ષની મહિલા કોઈ કારણોસર દવા પી ગઇ હોય તેને અત્રેની શિવમ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવી હતી.જ્યારે મકનસર ગામ પાસે બાઇક સ્લીપ થવાના અકસ્માત બનાવમાં સંદીપ છગનભાઈ કપરા (૦૮) મૂળ રહે. રાજસ્થાન હાલ ઈમાનદાર ઇન્ડસ્ટ્રીઝ લેબર કવાટર મકનસરને ઇજા પહોંચી હોય સારવાર માટે ખાનગી હોસ્પિટલે ખસેડાયો હતો.






Latest News