મોરબીના પાનેલી ગામે ભારે પવનના લીધે ઝાડ ઉપરથી પપૈયા ખરી પડ્યા
મોરબીમાં તોતિંગ વૃક્ષ વીજ પોલ ઉપર તૂટી પડતાં રસ્તો બંધ
SHARE
મોરબીમાં તોતિંગ વૃક્ષ વીજ પોલ ઉપર તૂટી પડતાં રસ્તો બંધ
મોરબી શહેરમાં વીસીપરા બાજુથી શંકરા આશ્રમ તરફ જવાના રસ્તા ઉપર રાત્રિના સમયગાળા દરમિયાન તોતિંગ વૃક્ષ તૂટી પડ્યું હતું અને તેની બાજુમાં આવેલ વીજ પોલ ઉપર વૃક્ષ તૂટી પડવાના કારણે વીજપોલ પણ તૂટી ગયો હતો જેથી હાલમાં શંકર આશ્રમ તરફ જવાનો રસ્તો બંધ થઈ ગયો છે માટે વહેલી સવારે શંકર આશ્રમે મહાદેવના દર્શન કરવા માટે જતા ભક્તોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને આ અંગેની જાણ તંત્રને કરવામાં આવી છે અને વહેલી તકે તૂટી પડેલા ઝાડને તથા વીજ પોલને હટાવીને રસ્તો લોકોની અવાર જવર માટે ખુલ્લો કરવામાં આવે તેવી મંદિરે જતાં ભક્તોએ લાગણી વ્યક્ત કરી છે