સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી


SHARE











કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી

મોરબીમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સુખી જીવન કા સારસકારાત્મકતા” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બ્રહ્માકુમારીઝના જયંતી દીદી આવ્યા હતા અને તેઓ કહ્યું હતું કે, વર્તમાન સમય કલયુગની અંતિમ ઘડી છે જેમ વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લઈ આવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે છે.

મોરબીમાં આજે લીલાપર કેનાલ રોડ પર આવેલા ક્લાસિક પાર્ટી પ્લોટ ખાતે મોરબી બ્રહ્માકુમારીઝ દ્વારા “સુખી જીવન કા સાર સકારાત્મકતા” કાર્યક્રમનું આયોજન કરાયું હતુ જેમાં બ્રહ્માકુમારીઝના એડિશનલ એડમિનિસ્ટ્રેટિવ હેડ બી.કે. જયંતિ દીદી આવ્યા હતા અને તેઓની હાજરીમાં લાઈટ એન્ડ સાઉન્ડ શો (ગેટ વે ટુ હેવન) અને દિવ્ય સુર ઝનકાર સંગીત સંધ્યા યોજાઇ હતી ત્યાર બાદ આ કાર્યક્રમમાં આવેલા મોરબીવાસીઓને સંબોધતા બી.કે. જયંતિ દીદીએ જણાવ્યુ હતું કે, આપણે બધા જ પરમાત્માના સંતાનો છીએ અને બધામાં પોઝિટીવી ઉર્જા છે બસ આપણામાં જ નહીં પરંતુ આપણાંમાંથી બીજાને પણ પોઝિટીવી ઉર્જા મળે તેવી આપણે સહુકોઈએ કરવાની જરૂર છે. વધુમાં તેઓએ કહ્યું હતું કે, વર્તમાન સમય કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લઈ આવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે છે. ઉલેખનીય છેકે, રાજયોગી બ્રહ્માકુમારી ચંદ્રિકા દીદી પ્રજાપતિએ બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલયમાં 48 વર્ષ સુધી પોતાનું સંપૂર્ણ જીવન ઈશ્વરીય સેવામાં સમર્પિત કર્યું હતું અને તેઓ તા. 6/2/2025 ના  રોજ અવસાન પામ્યા હતા જેથી કરીને તેઓની પ્રથમ પૂરણતિથિ નિમિતે તેઓની સ્મૃતિમાં આ કાર્યક્રમ મોરબીના આંગણે કરવામાં આવેલ હતો.






Latest News