મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ કચ્છના 3 દિવ્યાંગ ખેલાડીઓની આંતર રાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં પસંદગી થતાં સાંસદ વિનોદ ચાવડાએ કર્યું સન્માન મોરબીની પી.જી.પટેલ કોલેજની ઇન્ટર કલાસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં SY BBA ની ટીમ બની ચેમ્પિયન મોરબીના સિરામિક ઉદ્યોગકારો સાથે સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડના અધિકારીઓની મિટિંગ યોજાઇ મોરબીનો પાડા પુલ 15 દિવસમાં રીપેર ન કરે તો આંદોલન: જિલ્લા યુવક કોંગ્રેસની ચીમકી મોરબીમાં સાયબર ફ્રોડના ગુના પકડાયેલ ડોક્ટર સામે અગાઉ 3 રાજ્યોમાં નોંધાયા છે ફરિયાદ, હાલમાં આરોપી જેલ હવાલે, વધુ એકની ધરપકડ મોરબીમાં રિસામણે ગયેલી પત્ની સાથે ફોન ઉપર વાત કર્યા બાદ દવા પી ગયેલ યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી: સગીરાએ લગ્ન કરવાની જીદ કરીને પોતાના જ ઘરમાં ન કરવાનું કરી નાખ્યું


SHARE













મોરબી: સગીરાએ લગ્ન કરવાની જીદ કરીને પોતાના જ ઘરમાં ન કરવાનું કરી નાખ્યું

મોરબીના પીપળી ગામે આવેલ શિવ પાર્ક સોસાયટીમાં રહેતી સગીરાને લગ્ન કરવા હતા પરંતુ તેની ઉંમર પૂરી ન હોવાથી તેની માતાએ ઉંમર પૂરી થયા બાદ લગ્ન કરવા માટે થઈને તેને કહ્યું હતું જે બાબતે સગીરાને મનોમન લાગી આવતા તે સગીરાએ પોતે પોતાની જાતે ઘરની અંદર પંખા સાથે સાડી બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની મૃતક સગીરાની માતાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં મોરબીના પીપળી ગામ પાસે આવેલ શિવ પાર્ક સોસાયટીમાં રહેતા જગદીશભાઈ નગાજીભાઈ પરિહારની 17 વર્ષની દીકરી પૂજા એ પોતે પોતાના ઘરની અંદર પંખા સાથે સાડી બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેનું સ્થળ ઉપર જ મોત નીપજયું હતુ ત્યારબાદ તેના મૃતદેને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતક સગીરાની માતા લાભુબેન ઉર્ફે રાધાબેન જગદીશભાઈ પરિહાર (40) રહે. પીપળી ગામ શિવ પાર્ક સોસાયટી મોરબી વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવવાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વધુમાં પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગત સામે આવી છે કે, મૃતક સગીરાને લગ્ન કરવા હતા પરંતુ તેની ઉંમર પૂરી ન હોવાથી તેની માતાએ સગીરાને ઉંમર 18 વર્ષ પૂરી થઈ જાય ત્યારબાદ લગ્ન કરી આપવા માટે થઈને કહ્યું હતું તે બાબતે સગીરાને મનોમન લાગી આવતા તેણે આવેશમાં આવીને આ અંતિમ પગલું ભરી લીધેલ છે જે અંગેની પોલીસે નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

માર માર્યો

હળવદ તાલુકાના સુરવદર ગામે રહેતા ઈશ્વરભાઈ પ્રભુભાઈ હળવદિયા (40) નામના યુવાનને અજાણ્યા ચાર શખ્સો દ્વારા ધોકા વડે માર મારવામાં આવ્યો હતો જેથી ઈજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.

અકસ્માતમાં ઇજા

માળીયા મીયાણા તાલુકાના ખાખરેચી ગામે રહેતો મહિપતસિંહ અજીતસિંહ જાડેજા (17) નામનો સગીર એકટીવામાં જઈ રહ્યો હતો દરમિયાન કોઈ કારણોસર તે વાહન સ્લીપ થયું હતું અને અકસ્માત થયો હતો જે બનાવમાં ઈજા પામેલ સગીરને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.






Latest News