મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસે હેઠળ જેલલ હવાલે: હળવદ તાલુકાના દારૂના ગુનામાં આરોપી 13 વર્ષે ઝડપાયો વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર
Breaking news
Morbi Today

મોરબી: સગીરાએ લગ્ન કરવાની જીદ કરીને પોતાના જ ઘરમાં ન કરવાનું કરી નાખ્યું


SHARE













મોરબી: સગીરાએ લગ્ન કરવાની જીદ કરીને પોતાના જ ઘરમાં ન કરવાનું કરી નાખ્યું

મોરબીના પીપળી ગામે આવેલ શિવ પાર્ક સોસાયટીમાં રહેતી સગીરાને લગ્ન કરવા હતા પરંતુ તેની ઉંમર પૂરી ન હોવાથી તેની માતાએ ઉંમર પૂરી થયા બાદ લગ્ન કરવા માટે થઈને તેને કહ્યું હતું જે બાબતે સગીરાને મનોમન લાગી આવતા તે સગીરાએ પોતે પોતાની જાતે ઘરની અંદર પંખા સાથે સાડી બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની મૃતક સગીરાની માતાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં મોરબીના પીપળી ગામ પાસે આવેલ શિવ પાર્ક સોસાયટીમાં રહેતા જગદીશભાઈ નગાજીભાઈ પરિહારની 17 વર્ષની દીકરી પૂજા એ પોતે પોતાના ઘરની અંદર પંખા સાથે સાડી બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેનું સ્થળ ઉપર જ મોત નીપજયું હતુ ત્યારબાદ તેના મૃતદેને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતક સગીરાની માતા લાભુબેન ઉર્ફે રાધાબેન જગદીશભાઈ પરિહાર (40) રહે. પીપળી ગામ શિવ પાર્ક સોસાયટી મોરબી વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવવાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વધુમાં પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગત સામે આવી છે કે, મૃતક સગીરાને લગ્ન કરવા હતા પરંતુ તેની ઉંમર પૂરી ન હોવાથી તેની માતાએ સગીરાને ઉંમર 18 વર્ષ પૂરી થઈ જાય ત્યારબાદ લગ્ન કરી આપવા માટે થઈને કહ્યું હતું તે બાબતે સગીરાને મનોમન લાગી આવતા તેણે આવેશમાં આવીને આ અંતિમ પગલું ભરી લીધેલ છે જે અંગેની પોલીસે નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

માર માર્યો

હળવદ તાલુકાના સુરવદર ગામે રહેતા ઈશ્વરભાઈ પ્રભુભાઈ હળવદિયા (40) નામના યુવાનને અજાણ્યા ચાર શખ્સો દ્વારા ધોકા વડે માર મારવામાં આવ્યો હતો જેથી ઈજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.

અકસ્માતમાં ઇજા

માળીયા મીયાણા તાલુકાના ખાખરેચી ગામે રહેતો મહિપતસિંહ અજીતસિંહ જાડેજા (17) નામનો સગીર એકટીવામાં જઈ રહ્યો હતો દરમિયાન કોઈ કારણોસર તે વાહન સ્લીપ થયું હતું અને અકસ્માત થયો હતો જે બનાવમાં ઈજા પામેલ સગીરને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.






Latest News