ગુજરાતના હાસ્ય કલાકાર હકાભા ગઢવીની ફોર્ચ્યુનર ગાડીના નદીમાં ખાબકી મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળ દ્વારા જિલ્લા કક્ષાની સામાન્ય જ્ઞાન કસોટી યોજાઇ મોરબીના ઘોડાધ્રોઈ ડેમના બે દરવાજા એક ફૂટ સુધી ખોલ્યા: કોઝવે બંધ મોરબીના રાજપર ગામે જૂના ઝઘડાનો ખાર રાખીને યુવક ઉપર મનોજ પનારા સહિતનાઓનો છરી વડે હુમલો મોરબી નજીક કારખાનામાં ગરમ પાણીની કુંડીમાં પડી જતા યુવાનનું મોત વાંકાનેરના સરતનપર રોડ ઉપર કારખાનામાં લોખંડ કાપતા સમયે ગ્રાઈન્ડરમાંથી ઈલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ઘરેથી કારખાને જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ મોરબી રાજકોટ હાઇવેના ખાડાનું નિરીક્ષણ કરીને 48 કલાકમાં મરામત કરાવવા મહેશ રાજકોટીયાનું તંત્રને અલ્ટિમેટમ
Breaking news
Morbi Today

મોરબીના ગ્રામ્ય વિસ્તારમાંથી સગીરાનું અપહરણ બનાવમાં મહિલા સહિત બે ની ધરપકડ


SHARE







મોરબીના ગ્રામ્ય વિસ્તારમાંથી સગીરાનું અપહરણ બનાવમાં મહિલા સહિત બે ની ધરપકડ

મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પરિવારની સગીર દીકરીને લગ્નની લાલચ આપીને તેનું અપહરણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું જેથી આ બનાવ સંદર્ભે ભોગ બનેલ સગીરાની બહેન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મહિલા સહિત કુલ મળીને બે વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવવા આવતા પોલીસે મહીલા સહીત બે લોકોની ધરપકડ કરીને આગળની તજવીજ શરૂ કરેલ છે.

હાલમાં તાલુકા પોલીસ પાસેથી જાણવા મળતી માહિતી મુજબ મૂળ બિહારના અને હાલમાં મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પરિવારની ૧૧ વર્ષની સગીર દીકરીનું મોરબી તાલુકાના લક્ષ્મીનગર પાસેના રોટરીનગર વિસ્તારમાં રહેતો અજય ભાંખોડિયા નામનો શખ્સ લગ્નની લાલચ આપીને અપહરણ કરી ગયો હતો.ત્યારબાદ સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.જેથી સગીરાની બહેન દ્રારા અજય ભંખોડીયા તેમજ મનિષાબેન અનિલભાઈ વાલેરા રહે.અમદાવાદ સામે ગુનો નોંધાવવામાં આવતા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.કે.ચારેલે ગુનો નોંધીને સગીરવયની દીકરીના અપરણના બનાવની ગંભીરતાના પગલે જુદી જુદી ટીમો બનાવીને તપાસ શરૂ કરી હતી.અને તાત્કાલિક આ બનાવમાં સંડોવાયેલ અજય નરસીભાઇ ભંખોડીયા (૨૦) રહે.રોટરીનગર લક્ષ્મીનગર ગામની પાસે માળિયા હાઇવે તા.મોરબી તથા મનીષાબેન અનિલભાઈ કાળુભાઈ વાલેરા (૩૨) ધંધો કેટરિંગ કામ રહે. 'શક્તિ' સુન્દરમનગર સોસાયટી મોતીપુરા શાહવાડી નારોલ અમદાવાદ મૂળ રહે.હનુમાન મંદિર પાસે અંકેવાળીયા તા.લીમડી જી.સુરેન્દ્રનગરની આ બાબતે ધરપકડ કરી હતી અને બંને વિરુદ્ધ ધોરણસરની આગળની તપાસ હાથ ધરી હતી.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના ટંકારા તાલુકાના લજાઈ ગામે રહેતા જયાબેન ભવાનભાઈ મારૂ નામના ૮૩ વર્ષના વૃદ્ધા બાઈક પાછળ બેસીને જતા હતા ત્યાં વાહન સ્લીપ થતાં ઈજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.જ્યારે માળિયાના મેઘપર ગામે રહેતા શારદાબેન મૂળુભાઈ ખાભરા નામના ૫૩ વર્ષના વૃદ્ધા ગામ પાસેથી બાઈકમાં બેસીને જતા હતા ત્યારે વાહન સ્લીપ થઈ ગયેલ હોય તેમને ઇજા થઈ હોય સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.તેમજ માળિયાના જાજાસર ગામ પાસે બાઈક સ્લીપ થવાના બનાવમાં રાજુભાઈ બાજુભાઈ કોળી (૪૬) રહે.રાસંગપરને ઈજા થઈ હોય તેમને પણ સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.

યુવાન સારવારમાં

મોરબીના અણીયારી ટોલનાકા પાસે ટ્રક રોડની સાઈડમાં ઉતરી ગયો હતો.જે અકસ્માત બનાવમાં ઇજાગ્રસ્ત થયેલા વિનોદભાઈ છેલ્લાભાઈ વાંઝા (૨૪) રહે.તિલકનગર ટંકારાને અત્રે આયુષ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે હળવદના સરંભડા ગામના ભીમાભાઇ મહાદેવભાઇ બાવળીયા નામનો ૩૮ વર્ષનો યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે હળવદના સુંદરી ભવાની ગામ પાસે તેનું વાહન સ્લીપ થયું હોય ઇજા પામેલ હાલતમાં સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો. તેમજ મોરબીના જમાતખાના પાસે રહેતા પ્રવીણભાઈ રતિભાઈ પરમાર નામના ૫૮ વર્ષના આધેડને ફેફસાની બીમારી હોય અને બીમારી સબબ તેમને અત્રે સારવાર માટે લાવવામાં આવેલ હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જણાવાયેલ છે.જ્યારે મોરબીના રામકો વિલેજ નજીક રહેતા દિનેશભાઈ ત્રિભોવનભાઈ ગોરીયા નામના ૫૧ વર્ષના આધેડ કોઈ કારણોસર ફીનાઇલ પી ગયા હોય તેમને સારવાર માટે અત્રેની ક્રિષ્ના હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા જેથી પોલીસ દ્વારા બનાવની નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.તેમજ શારદાબેન થોભણભાઈ દલસાણીયા નામના ૬૩ વર્ષના વૃદ્ધા બાઇકની પાછળ બેસીને જતા હતા ત્યારે વાહન સ્લીપ થયેલ હોય તે બનાવમાં ઈજા પામ્યા હોય તેમને પણ સારવાર માટે લઇ જવાયા હોવાથી પોલીસે નોંધ કરી તપાસ કરી હતી. 






Latest News