મોરબીનાં ચકમપર(જી) ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને બે શખ્સોએ માર માર્યો
મોરબીના મચ્છુ-૨ ડેમમાં માછીમારી કરવા ગયેલ યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત
SHARE
મોરબીના મચ્છુ-૨ ડેમમાં માછીમારી કરવા ગયેલ યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત
મોરબી નજીકના જોધપર ગામ પાસે આવેલ મચ્છુ-૨ ડેમમાં માછીમારી કરતા સમયે પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં મહેન્દ્રનગરની બાજુમાં આવેલ ઇન્દિરાનગરમાં રહેતા મુન્નાભાઈ કાથળભાઇ પરમાર (ઉંમર ૩૫) મોરબી નજીકના જોધપર ગામ પાસે આવેલ મચ્છુ-૨ ડેમના પાણીમાં માછીમારી કરવા માટે ગયા હતા ત્યારે કોઈ કારણોસર મચ્છુ-૨ ડેમના પાણીમાં ડૂબી જવાથી તેનું મોત નીપજયું હતું જેથી કરીને મચ્છુ ડેમમાંથી તેની લાશને બહાર કાઢીને લાશને પી.એમ. માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી અને આ બનાવની જાણ થતાં મૃતકના ભાઈ અશોકભાઈ કાથળભાઇ પરમાર દ્વારા મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી કરીને પોલીસે અકસ્માત મૃત્યુ આ બનાવની નોંધ કરીને આગળ રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી