મોરબીના ઔદ્યોગિક વિસ્તારોમાં વીજ ટ્રિપિંગ-સારા રોડ રસ્તા સહિતના પ્રશ્નોની મોરબી પેપર મિલ એસો. દ્વારા કલેકટરને કરાઈ રજૂઆત ટંકારા ત્રણ હાટડી શેરી-મઠવારી વિસ્તારના બધા પરીવારો દ્વારા ભગવાન દ્વારકાધીશની ધ્વજારોહણનો મહાઉત્સવ મોરબી જિલ્લા કલેક્ટરની ખનિજ માફિયાઓ સામે લાલ આંખ: ધરમપુર નજીક ચેકિંગ કરીને ફેલ્સ્પાર ખનિજનો જથ્થો, પ્લાન્ટ અને ટ્રક જપ્ત મોરબીના મકનસર ગામેથી યુવતી ગુમ મોરબીમાં અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા જીલ્લાના નવનિયુક્ત પ્રમુખ-ચૂંટાયેલ આગેવાનોનો સન્માન  સમારોહ યોજાયો મોરબી, માળીયા અને વાંકનેર વિસ્તારમાં દારૂની 4 રેડ: 24 બોટલ દારૂ અને 1500 લિટર આથો કબ્જે વાંકાનેરમાં આઈપીએલની મેચ ઉપર ક્રિકેટ સટ્ટો રમતા એક શખ્સ પકડાયો: એકની શોધખોળ મોરબીમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન નજીક વાડીમાં ગાંજાનું વાવેતર !: 2.18 લાખની કિંમતનો 4 કિલો 376 ગ્રામ ગાંજો કબ્જે
Breaking news
Morbi Today

મોરબીના મચ્છુ-૨ ડેમમાં માછીમારી કરવા ગયેલ યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત


SHARE











મોરબીના મચ્છુ-૨ ડેમમાં માછીમારી કરવા ગયેલ યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત

મોરબી નજીકના જોધપર ગામ પાસે આવેલ મચ્છુ-૨ ડેમમાં માછીમારી કરતા સમયે પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં મહેન્દ્રનગરની બાજુમાં આવેલ ઇન્દિરાનગરમાં રહેતા મુન્નાભાઈ કાથળભાઇ પરમાર (ઉંમર ૩૫) મોરબી નજીકના જોધપર ગામ પાસે આવેલ મચ્છુ-૨ ડેમના પાણીમાં માછીમારી કરવા માટે ગયા હતા ત્યારે કોઈ કારણોસર મચ્છુ-૨ ડેમના પાણીમાં ડૂબી જવાથી તેનું મોત નીપજયું હતું જેથી કરીને મચ્છુ ડેમમાંથી તેની લાશને બહાર કાઢીને લાશને પી.એમ. માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી અને આ બનાવની જાણ થતાં મૃતકના ભાઈ અશોકભાઈ કાથળભાઇ પરમાર દ્વારા મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી કરીને પોલીસે અકસ્માત મૃત્યુ આ બનાવની નોંધ કરીને આગળ રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News