મોરબીના મચ્છુ-૨ ડેમમાં માછીમારી કરવા ગયેલ યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત
મોરબીના ત્રાજપરમાં ઘરે એસિડ પી ગયેલા વૃદ્ધનું સારવારમાં મોત
SHARE
મોરબીના ત્રાજપરમાં ઘરે એસિડ પી ગયેલા વૃદ્ધનું સારવારમાં મોત
મોરબીના ત્રાજપર વિસ્તારમાં રહેતા વૃદ્ધ કોઈ કારણોસર થોડા દિવસો પહેલાં પોતાના ઘરે એસિડ પી ગયા હતા જેથી કરીને તેઓને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ ખાતે લઇ ગયા હતા જોકે ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નિપજતાં આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ત્રાજપરમાં રહેતા લક્ષ્મણભાઈ ભનાભાઈ વરાણીયા (ઉંમર ૮૧) પોતાના ઘરે ગત તા. ૫/૧૨ ના રોજ સાંજના છ વાગ્યાના અરસામાં એસિડ ગયા હતા જેથી કરીને તેઓને સારવાર માટે પ્રથમ મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જોકે સારવાર દરમિયાન લક્ષ્મણભાઇ વરાણીયાનું મૃત્યુ નીપજયું હતું જેથી કરીને આ બનાવની અમદાવાદ સિવિલ હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
યુવાનનું મોત
હળવદ તાલુકાના મયૂરનગર ગામે રહેતા કાળુભાઈ સુખાભાઈ ચાવડા (ઉંમર ૪૫) પોતાની વાડીએ પાણી વાળતા હતા ત્યારે પાણીના ધોરિયામાં બેભાન થઈને પડી ગયા હતા જેથી કરીને તેઓને બેભાન અવસ્થામાં સારવાર માટે પ્રથમ હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ અને ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા જોકે સારવાર કારગત ન નિવડતા કાળુભાઈ સુખાભાઈ ચાવડાનું ચાલુ સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. જેથી કરીને આ બનાવની હળવદ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી