મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો મોરબી નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે વ્યક્તિ સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં 90 જર્જરિત મકાનોમાં પાણી-ડ્રેનેજ લાઇન બંધ કરતી મનપા


SHARE













મોરબીમાં 90 જર્જરિત મકાનોમાં પાણી-ડ્રેનેજ લાઇન બંધ કરતી મનપા

મોરબીમાં આવેલા જર્જરિત તથા જોખમી બાંધકામોને લઈને જાહેર સલામતીને ધ્યાનમાં રાખી મનપાની ટીમે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને સંબંધિત મિલકત માલિકોને ત્રણ તબક્કામાં નોટિસ આપવામાં આવી હતી. છતાં નોટિસની અવગણ કરીને કોઈ કાર્યવાહી આસામી દ્વારા કરવામાં આવેલ નથી જેથી કરીને જર્જરિત બાંધકામના પાણી તથા ડ્રેનેજ કનેક્શન કાપવાની કાર્યવાહી બિલ્ડીંગ શાખાએ કરી છે. અને અંદાજે 90  જર્જરિત મકનોના પાણી તથા ડ્રેનેજ કનેક્શન કાપવામાં આવ્યા અને હવે વીજ કનેક્શન કાપવાની કાર્યવાહી કરવાની તૈયારી કરવામાં આવેલ છે.

મોરબી મનપાની આ કાર્યવાહીના પરિણામે મિલકત માલિકો દ્વારા કાયદાનું ચુસ્ત પણે પાલન કરીને અંદાજે 80 જેટલી જોખમી મિલકતોને આસામીઓ દ્વારા ઉતારી લેવામાં આવેલ છે. અને મનપાની ટિમ દ્વારા બાકી રહેલ જર્જરિત મિલકતો અંગે પણ નિયમસર સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. વધુમાં અધિકારી જણાવ્યુ હતું કે, તમામ મિલકત માલિકોએ મનપાની નોટિસનું તાત્કાલિક પાલન કરી સહકાર આપવો જરૂરી છે અને મોરબીમાં કોઈપણ જોખમી ઇમારતનો લોકોએ ઉપયોગ કરવો નહીં અને મનપામાંથી જરૂરી મંજૂરી લઇ તેને તોડી પાડવાની કાર્યવાહી કરવા માટે મનપાના અધિકારી જણાવ્યુ છે.






Latest News