માળીયા (મી)ના ચિખલી ગામ પાસે રેડ: 2800 લિટર આથો, 200 લિટર દેશી દારૂ અને બોલેરો સહિત 4.10 લાખનો મુદમાલ કબ્જે મોરબીના ઘુંટુ રોડ ઉપર ચિચોડામાં હાથ આવી જતા યુવાન રાજકોટ ખસેડાયો મોરબીમાં બ્લડ કેન્સરની બીમારીથી 7 વર્ષની બાળકીનું મોત હળવદમાં સરકારી સાયન્સ, આર્ટ્સ અને કોમર્સ કોલેજ શરૂ કરવા તપનભાઈ દવે કરી શિક્ષણ મંત્રીને કરી રજૂઆત મોરબી: ચેક રીટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા અને બમણી રકમનો દંડ મોરબી: લાલપર પીએચસી દ્રારા સર્વાઇકલ કેન્સરને રોકવા HPV રસીકરણનો પ્રારંભ મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં શિક્ષકે પિતાની સ્મૃતિમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક વસ્તુ અર્પણ કરી મોરબી મહાસંઘ દ્વારા ઝોન કક્ષાની ક્રિકેટ ટુર્નામેન્ટ માટે સિલેક્શન કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં 90 જર્જરિત મકાનોમાં પાણી-ડ્રેનેજ લાઇન બંધ કરતી મનપા


SHARE













મોરબીમાં 90 જર્જરિત મકાનોમાં પાણી-ડ્રેનેજ લાઇન બંધ કરતી મનપા

મોરબીમાં આવેલા જર્જરિત તથા જોખમી બાંધકામોને લઈને જાહેર સલામતીને ધ્યાનમાં રાખી મનપાની ટીમે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને સંબંધિત મિલકત માલિકોને ત્રણ તબક્કામાં નોટિસ આપવામાં આવી હતી. છતાં નોટિસની અવગણ કરીને કોઈ કાર્યવાહી આસામી દ્વારા કરવામાં આવેલ નથી જેથી કરીને જર્જરિત બાંધકામના પાણી તથા ડ્રેનેજ કનેક્શન કાપવાની કાર્યવાહી બિલ્ડીંગ શાખાએ કરી છે. અને અંદાજે 90  જર્જરિત મકનોના પાણી તથા ડ્રેનેજ કનેક્શન કાપવામાં આવ્યા અને હવે વીજ કનેક્શન કાપવાની કાર્યવાહી કરવાની તૈયારી કરવામાં આવેલ છે.

મોરબી મનપાની આ કાર્યવાહીના પરિણામે મિલકત માલિકો દ્વારા કાયદાનું ચુસ્ત પણે પાલન કરીને અંદાજે 80 જેટલી જોખમી મિલકતોને આસામીઓ દ્વારા ઉતારી લેવામાં આવેલ છે. અને મનપાની ટિમ દ્વારા બાકી રહેલ જર્જરિત મિલકતો અંગે પણ નિયમસર સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. વધુમાં અધિકારી જણાવ્યુ હતું કે, તમામ મિલકત માલિકોએ મનપાની નોટિસનું તાત્કાલિક પાલન કરી સહકાર આપવો જરૂરી છે અને મોરબીમાં કોઈપણ જોખમી ઇમારતનો લોકોએ ઉપયોગ કરવો નહીં અને મનપામાંથી જરૂરી મંજૂરી લઇ તેને તોડી પાડવાની કાર્યવાહી કરવા માટે મનપાના અધિકારી જણાવ્યુ છે.






Latest News