અખિલ ભારતીય કોળી સમાજ નવી દિલ્હી દ્વારા સુરતમાં સંગઠન ચર્ચાનો કાર્યક્ર્મ યોજાયો: દેશના વિવિધ રાજ્યોમાંથી સભ્યો સભામાં આવ્યા ટંકારા તાલુકા પોલીસે 1390 કિલો ચોરાઉ એલ્યુમિનિયમના જથ્થા સાથે એક આરોપીને પકડ્યો, 9.29 લાખનો મુદામાલ કબ્જે: ત્રણ આરોપીની શોધખોળ ઈરાન-ઇઝરાયલના યુદ્ધની અસર: મોરબીમાં પ્રેપેન ગેસની સપ્લાઈની ચેન ખોરાવાઈ તેવા સંકેત, સિરામિક કારખાના બે દિવસ પછી બંધ થાય તેવી શક્યતા ભારતભરમાં અનોખા લગ્ન: મોરબીના વાડી વિસ્તારમાં ધૂળેટીના દિવસે ધામધુમથી શ્રદ્ધાપૂર્વક હોલિકાના શામબાપા સાથે લગ્ન કરાવતો સતવારા સમાજ મોરબી નજીક કારખાનામાં ચાલતા ચાલતા પડી જવાથી યુવાનનું મોત મોરબી જલારામ ધામ ખાતે ધૂળેટીના દિવસે પણ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ ચાલુ રહેશે મોરબીમાં સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ મહિલા પાંખ-રાધે કૃષ્ણ પરિવાર દ્વારા ભાગવત કથા અને સમૂહ રાંદલનું આયોજન મોરબીના લક્ષ્મીનગર પાસે વાહન અકસ્માતમાં યુવાનનું મોત: વાંકાનેર નજીક કારખાનામાં યુવાને જીવન ટુકાવ્યું
Breaking news
Morbi Today

મોરબીમાં રહેતા યુવાનના પતિની સાથે છૂટાછેડા થતાં બાદ લાગી આવતા ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત


SHARE













મોરબીમાં રહેતા યુવાનના પતિની સાથે છૂટાછેડા થતાં બાદ લાગી આવતા ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત

મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ સમૃદ્ધિ પેલેસમાં રહેતા યુવાનના તેની પત્ની સાથે છૂટાછેડા થઈ ગયા હતા ત્યારથી તે ગુમસુમ રહેતો હતો અને તેને લાગી આવતા તે યુવાને પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું ઘટના સ્થળે મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આપઘાતના આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

મોરબીના હળવદ રોડ ઉપર મહેન્દ્રનગર ગામ પાસે આવેલ રામેશ્વર પાર્ક સમૃદ્ધિ પેલેસ બ્લોક નંબર 701 માં રહેતા જયદીપભાઇ ચંદુલાલ સંઘાણી (28) એ પોતાના રહેણાંક મકાનની અંદર પોતાની જાતે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેનું ઘટના સ્થળે મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આપઘાતના આ બનાવની દિનેશભાઈ માકાસણા (52) રહે. રવાપર રોડ ઉમા રેસીડેન્સી ગજાનંદ સોસાયટી વિજયનગર પાછળ મોરબી વાળાએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં આ બનાવની તપાસ કરી રહેલા એ.એમ.જાપડીયાએ જણાવ્યુ હતું કે, મૃતક યુવાનના તેની પત્ની સાથે છૂટાછેડા થઈ ગયા હતા જે બાબતે તેને લાગી આવતા તેને આ પગલું ભર્યું છે.જે અંગેની પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.  

મારા મારીમાં ઇજા

મોરબી નજીકના પાપડીયારી પાસે રહેતા પાવન માનસિંગ માલવી (22) નામના યુવાનને કેનાલ નજીક રાધે કૃષ્ણ કારખાના સામે મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.

મહિલા સારવારમાં

મોરબીના હળવદ રોડ ઉપર આવેલ ઉંચી માંડલ ગામ પાસે કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા અર્ચનાબેન રાજુભાઈ વર્મા (28) નામની મહિલા ભૂલથી દવા પી જતા તેને સારવાર માટે હોસ્પિટલે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News