મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં શિક્ષકે પિતાની સ્મૃતિમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક વસ્તુ અર્પણ કરી મોરબી મહાસંઘ દ્વારા ઝોન કક્ષાની ક્રિકેટ ટુર્નામેન્ટ માટે સિલેક્શન કેમ્પ યોજાયો અખિલ ભારતીય કોળી સમાજ નવી દિલ્હી દ્વારા સુરતમાં સંગઠન ચર્ચાનો કાર્યક્ર્મ યોજાયો: દેશના વિવિધ રાજ્યોમાંથી સભ્યો સભામાં આવ્યા ટંકારા તાલુકા પોલીસે 1390 કિલો ચોરાઉ એલ્યુમિનિયમના જથ્થા સાથે એક આરોપીને પકડ્યો, 9.29 લાખનો મુદામાલ કબ્જે: ત્રણ આરોપીની શોધખોળ ઈરાન-ઇઝરાયલના યુદ્ધની અસર: મોરબીમાં પ્રેપેન ગેસની સપ્લાઈની ચેન ખોરાવાઈ તેવા સંકેત, સિરામિક કારખાના બે દિવસ પછી બંધ થાય તેવી શક્યતા ભારતભરમાં અનોખા લગ્ન: મોરબીના વાડી વિસ્તારમાં ધૂળેટીના દિવસે ધામધુમથી શ્રદ્ધાપૂર્વક હોલિકાના શામબાપા સાથે લગ્ન કરાવતો સતવારા સમાજ મોરબી નજીક કારખાનામાં ચાલતા ચાલતા પડી જવાથી યુવાનનું મોત મોરબી જલારામ ધામ ખાતે ધૂળેટીના દિવસે પણ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ ચાલુ રહેશે
Breaking news
Morbi Today

મોરબીના લાલપર નજીક કેનાલમાં ડૂબી ગયેલા યુવાનનો મૃતદેહ મચ્છુ-2 ડેમમાંથી નીકળ્યો


SHARE













મોરબીના લાલપર નજીક કેનાલમાં ડૂબી ગયેલા યુવાનનો મૃતદેહ મચ્છુ-2 ડેમમાંથી નીકળ્યો

મોરબીના લાલપર ગામ પાસે રહેતો યુવાન કેનાલમાં ન્હાવા માટે થઈને પડ્યો હતો ત્યારે તે કેનાલના પાણીમાં ડૂબી જતા તેનું મોત નીપજયું હતું અને ત્યારબાદ કેનાલના પાણી સાથે તેનો મૃતદેહ મોરબીના જોધપર ગામ પાસે આવેલ મચ્છુ-2 ડેમ સુધી પહોંચ્યો હતો જેથી તેના મૃતદેહને ત્યાંથી પાણીમાંથી બહાર કાઢીને પીએમ માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મૂળ એમપીનો રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના લાલપર ગામ પાસે આવેલ પ્રિયાગોલ્ડ કારખાનાની બાજુમાં રહેતો ગૌતમ બાબુલાલ હાડા (24) નામનો યુવાન તા.૧૦-૨ નાં સાંજે ૬;૩૦ વાગ્યે લાલપર ગામ પાસેથી પસાર થતી નર્મદાની કેનાલમાં ન્હાવા માટે થઈને ગયો હતો અને ત્યા તે પાણીમાં ડૂબી ગયો હતો ત્યારબાદ તેનો મૃતદેહ પાણીમાં તણાઈને મોરબીના જોધપર ગામ પાસે આવેલ મચ્છુ-2 ડેમ સુધી પહોંચી ગયો હતો જેથી ત્યાંથી તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો અને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુ બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

અકસ્માતમાં ઇજા

ટંકારા તાલુકાના વીરપર ગામે રહેતા ગલ્લારામભાઈ (50) નામના આધેડને અકસ્માતના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.






Latest News