વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો મોરબી નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે વ્યક્તિ સારવારમાં ટંકારાના ભૂતકોટડા ગામે વાડીની ઓરડીની બાજુમાંથી દારૂની 13 બોટલ સાથે એક પકડાયો મોરબીની તિરૂપતિ સોસાયટીમાં આધેડે જીવન ટુંકાવ્યુ, સરસ્વતી સોસાયટીમાં ઘરના બાથરૂમમાં મહિલાએ જીવન ટુંકાવ્યુ
Breaking news
Morbi Today

મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે કતલખાના બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ: નોનવેજના વેચાણ ઉપર પ્રતિબંધ


SHARE













મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે કતલખાના બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ: નોનવેજના વેચાણ ઉપર પ્રતિબંધ

મોરબી શહેરી વિસ્તારમાં આવતીકાલે મહાશિવરાત્રીના દિવસે તમામ પ્રકારના કતલખાના બંધ રાખવા માટે મહાનગરપાલિકા દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે અને માસ, મટન, ચિકન અને મચ્છીના વેચાણ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

આવતીકાલે શિવરાત્રીને ધ્યાને રાખીને મોરબી મહાનગરપાલિકા દ્વારા આજે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે અને મોરબી શહેરી વિસ્તારની અંદર આવેલા તમામ પ્રકારના કતલખનાને બંધ રાખવા માટેનો આદેશ કર્યો છે. તેમજ મોરબી શહેર વિસ્તારમાં કોઈપણ જગ્યાએ શિવરાત્રીના દિવસે માસ, મટન, ચિકન અને મચ્છીનું વેચાણ ન કરવા માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમજ આ જાહેરનામાની ચુસ્તપણે અમલવારી થાય તેના માટે તેને સંબંધિત વિભાગના અધિકારીને જાણ પણ કરવામાં આવી છે અને જાહેરનામનો ભંગ કરનાર સામે જીપીએમસી એક્ટ 1949 ની કલમ 329 અને 336 હેઠળની કાર્યવાહી થશે તેવું મહાનગરપાલિકાના કમિશનરે જણાવ્યુ છે.






Latest News