ઈરાન-ઇઝરાયલના યુદ્ધની અસર: મોરબીમાં પ્રેપેન ગેસની સપ્લાઈની ચેન ખોરાવાઈ તેવા સંકેત, સિરામિક કારખાના બે દિવસ પછી બંધ થાય તેવી શક્યતા ભારતભરમાં અનોખા લગ્ન: મોરબીના વાડી વિસ્તારમાં ધૂળેટીના દિવસે ધામધુમથી શ્રદ્ધાપૂર્વક હોલિકાના શામબાપા સાથે લગ્ન કરાવતો સતવારા સમાજ મોરબી નજીક કારખાનામાં ચાલતા ચાલતા પડી જવાથી યુવાનનું મોત મોરબી જલારામ ધામ ખાતે ધૂળેટીના દિવસે પણ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ ચાલુ રહેશે મોરબીમાં સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ મહિલા પાંખ-રાધે કૃષ્ણ પરિવાર દ્વારા ભાગવત કથા અને સમૂહ રાંદલનું આયોજન મોરબીના લક્ષ્મીનગર પાસે વાહન અકસ્માતમાં યુવાનનું મોત: વાંકાનેર નજીક કારખાનામાં યુવાને જીવન ટુકાવ્યું માળીયા (મી) માં નદી કાંઠે દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ, 3400 લીટર આથો અને 100 લીટર દારૂ ઝડપાયો: આરોપીની શોધખોળ મોરબીમાં પત્રકાર તરીકે પોતાની ઓળખ આપીને ધમકી, ખંડણી અને લૂંટના પ્રયાસના ગુનામાં પકડાયેલ વિશાલ સેજપાલ સહિતના બે આરોપી જેલ હવાલે
Breaking news
Morbi Today

મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે કતલખાના બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ: નોનવેજના વેચાણ ઉપર પ્રતિબંધ


SHARE













મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે કતલખાના બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ: નોનવેજના વેચાણ ઉપર પ્રતિબંધ

મોરબી શહેરી વિસ્તારમાં આવતીકાલે મહાશિવરાત્રીના દિવસે તમામ પ્રકારના કતલખાના બંધ રાખવા માટે મહાનગરપાલિકા દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે અને માસ, મટન, ચિકન અને મચ્છીના વેચાણ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

આવતીકાલે શિવરાત્રીને ધ્યાને રાખીને મોરબી મહાનગરપાલિકા દ્વારા આજે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે અને મોરબી શહેરી વિસ્તારની અંદર આવેલા તમામ પ્રકારના કતલખનાને બંધ રાખવા માટેનો આદેશ કર્યો છે. તેમજ મોરબી શહેર વિસ્તારમાં કોઈપણ જગ્યાએ શિવરાત્રીના દિવસે માસ, મટન, ચિકન અને મચ્છીનું વેચાણ ન કરવા માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમજ આ જાહેરનામાની ચુસ્તપણે અમલવારી થાય તેના માટે તેને સંબંધિત વિભાગના અધિકારીને જાણ પણ કરવામાં આવી છે અને જાહેરનામનો ભંગ કરનાર સામે જીપીએમસી એક્ટ 1949 ની કલમ 329 અને 336 હેઠળની કાર્યવાહી થશે તેવું મહાનગરપાલિકાના કમિશનરે જણાવ્યુ છે.






Latest News