માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

વાંકાનેરનાં  ફળેશ્વર ખાતે આગામી ચૈત્ર માસમાં ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન


SHARE

















વાંકાનેરનાં  ફળેશ્વર ખાતે આગામી ચૈત્ર માસમાં ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન

(કેતન ભટ્ટી દ્વારા) : વાંકાનેરનાં ફળેશ્વર મહાદેવ મંદિર ખાતે આગામી ચૈત્ર માસમાં ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

હાલ વાંકાનેરમાં ગઢની રાંગ પાસે આવેલ નિલકંઠ મહાદેવ મંદિર ખાતે શ્રીમદ્ ભાગવત સપ્તાહ ચાલી રહી છે, પ્રસિધ્ધ કથાકાર શાસ્ત્રી અનિલ પ્રસાદ જોષી ( ઝૂંડાળા વાળા) રસાળ શૈલીમાં કથાનું રસપાન કરાવી રહ્યા છે, જેનો લાભ લેવા શ્રોતાગણ ઉમટી રહ્યા છે ત્યારે વાંકાનેરનાં ભાજપ અગ્રણી પૂર્વ નગરપતિ જીતુભાઈ સોમાણીએ આગામી ચૈત્ર માસમાં ફળેશ્વર મહાદેવ મંદિર ખાતે ભાગવત સપ્તાહ માટે શાસ્ત્રી અનિલ પ્રસાદજીને રજૂઆત કરી હતી, અને શાસ્ત્રીજીએ પૂર્વ નગરપતિની લાગણી સ્વીકારી હતી,અને આગામી 2022 ચૈત્ર માસમાં ફળેશ્વર મંદિર ખાતે શાસ્ત્રી અનિલ પ્રસાદજીનાં વ્યાસાસને જ ભવ્ય ભાગવત સપ્તાહ યોજવાની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં મહાપ્રસાદ, અનેકવિધ ધાર્મિક પ્રસંગોની ઉજવણી સહિત ભવ્ય આયોજન કરવામાં આવશે, ચૈત્ર માસમાં યોજાનાર ભાગવત સપ્તાહની તારીખ હવે પછી જાહેર કરાશે, ત્યારે વાંકાનેરમાં ભૂકંપ, પૂર કે કોરોના જેવી કુદરતી આફતોનાં વિકટ સમયમાં હમેશાં વાંકાનેરનાં શહેરીજનોની સેવા માટે ખડે પગે રહેતા ભાજપ અગ્રણી જીતુભાઈ સોમાણીનું શાસ્ત્રીજી દ્વારા કથા દરમ્યાન અદકેરું સન્માન કરવામાં આવ્યું હતું.




Latest News