મોરબીમાં સીએમના આગમન પહેલા વિરોધ પ્રદર્શન કરનાર કોંગ્રેસ અને આપના આગેવાનોની અટકાયત મોરબીમાં આઇટીની ટીમનો સપાટો, બાંધકામ-સિરામિક સાથે જોડાયેલા ચાર જુદાજુદા ગ્રૂપમાંથી કરોડોની રોકડ-જવેરાત મળી: અનેક બેંક એકાઉન્ટ સીલ મોરબીના પીપળી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ ગયેલ યુવાન રાજકોટ સારવારમાં ખસેડાયો હળવદના રાયસંગપુર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના લાલપર નજીક અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબી અભયમની ટીમે પતિના ત્રાસથી એક વર્ષની દિકરીને લઈને ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રોડ ક્રોસ કરવા માટે ઉભેલા વૃદ્ધને કચડી નાખનારા કન્ટેનર ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને વૃદ્ધને મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

વાંકાનેરનાં  ફળેશ્વર ખાતે આગામી ચૈત્ર માસમાં ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન


SHARE













વાંકાનેરનાં  ફળેશ્વર ખાતે આગામી ચૈત્ર માસમાં ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન

(કેતન ભટ્ટી દ્વારા) : વાંકાનેરનાં ફળેશ્વર મહાદેવ મંદિર ખાતે આગામી ચૈત્ર માસમાં ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

હાલ વાંકાનેરમાં ગઢની રાંગ પાસે આવેલ નિલકંઠ મહાદેવ મંદિર ખાતે શ્રીમદ્ ભાગવત સપ્તાહ ચાલી રહી છે, પ્રસિધ્ધ કથાકાર શાસ્ત્રી અનિલ પ્રસાદ જોષી ( ઝૂંડાળા વાળા) રસાળ શૈલીમાં કથાનું રસપાન કરાવી રહ્યા છે, જેનો લાભ લેવા શ્રોતાગણ ઉમટી રહ્યા છે ત્યારે વાંકાનેરનાં ભાજપ અગ્રણી પૂર્વ નગરપતિ જીતુભાઈ સોમાણીએ આગામી ચૈત્ર માસમાં ફળેશ્વર મહાદેવ મંદિર ખાતે ભાગવત સપ્તાહ માટે શાસ્ત્રી અનિલ પ્રસાદજીને રજૂઆત કરી હતી, અને શાસ્ત્રીજીએ પૂર્વ નગરપતિની લાગણી સ્વીકારી હતી,અને આગામી 2022 ચૈત્ર માસમાં ફળેશ્વર મંદિર ખાતે શાસ્ત્રી અનિલ પ્રસાદજીનાં વ્યાસાસને જ ભવ્ય ભાગવત સપ્તાહ યોજવાની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં મહાપ્રસાદ, અનેકવિધ ધાર્મિક પ્રસંગોની ઉજવણી સહિત ભવ્ય આયોજન કરવામાં આવશે, ચૈત્ર માસમાં યોજાનાર ભાગવત સપ્તાહની તારીખ હવે પછી જાહેર કરાશે, ત્યારે વાંકાનેરમાં ભૂકંપ, પૂર કે કોરોના જેવી કુદરતી આફતોનાં વિકટ સમયમાં હમેશાં વાંકાનેરનાં શહેરીજનોની સેવા માટે ખડે પગે રહેતા ભાજપ અગ્રણી જીતુભાઈ સોમાણીનું શાસ્ત્રીજી દ્વારા કથા દરમ્યાન અદકેરું સન્માન કરવામાં આવ્યું હતું.




Latest News