મોરબીના ઉમિયા સર્કલ-દલવાડી  સર્કલ વચ્ચે રોડના કામમાં નડતર રૂપ દબાણો તોડી પાડ્યા હળવદના ચરાડવા ગામે ગાંજાના કેસમાં ફિટ કરાવી દેવાની ધમકી આપીને પાંચ લાખની ખંડણી માંગવાના ગુનામાં પત્રકારની ધરપકડ ટંકારાના છતર પાસે ગોડાઉનમાં 32,556 બોટલ દારૂ-બીયર જથ્થો મંગાવનાર મુખ્ય સૂત્રધારની ધરપકડ મોરબીમાં વ્યાજે રૂપિયા લેનારા યુવાને વ્યાજ-મુદલ ચૂકવી દીધી તો પણ મહિલા વ્યાજખોર દ્વારા પઠાણી ઉઘરાણી !: ખોટા કેસમાં ફિટ કરી દેવાની ધમકી મોરબી નજીક બાઇકને હડફેટે લઈને આધેડનું મોત નીપજવનાર ટ્રેલર ચાલક સામે ગુનો નોંધાયો મોરબીના સામાકાંઠે વિસ્તારમાં વિદેશી દારૂની 3 રેડ: 239 બોટલ દારૂ સાથે ત્રણ આરોપી પકડાયા આયાતી ઉમેદવાર નહીં, સ્થાનિક આગેવાનને જ ભાજપની ટિકિટ આપવાની માંગ: હવે મોરબી મહાપાલિકાના વોર્ડ નં. 8 માંથી વિરોધનો સૂર ઉઠ્યો મોરબી: ઘરેથી કામ શોધવા જાઉં છું કહીને નીકળેલી યુવતી ગુમ
Breaking news
Morbi Today

વાંકાનેરનાં  ફળેશ્વર ખાતે આગામી ચૈત્ર માસમાં ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન


SHARE











વાંકાનેરનાં  ફળેશ્વર ખાતે આગામી ચૈત્ર માસમાં ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન

(કેતન ભટ્ટી દ્વારા) : વાંકાનેરનાં ફળેશ્વર મહાદેવ મંદિર ખાતે આગામી ચૈત્ર માસમાં ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

હાલ વાંકાનેરમાં ગઢની રાંગ પાસે આવેલ નિલકંઠ મહાદેવ મંદિર ખાતે શ્રીમદ્ ભાગવત સપ્તાહ ચાલી રહી છે, પ્રસિધ્ધ કથાકાર શાસ્ત્રી અનિલ પ્રસાદ જોષી ( ઝૂંડાળા વાળા) રસાળ શૈલીમાં કથાનું રસપાન કરાવી રહ્યા છે, જેનો લાભ લેવા શ્રોતાગણ ઉમટી રહ્યા છે ત્યારે વાંકાનેરનાં ભાજપ અગ્રણી પૂર્વ નગરપતિ જીતુભાઈ સોમાણીએ આગામી ચૈત્ર માસમાં ફળેશ્વર મહાદેવ મંદિર ખાતે ભાગવત સપ્તાહ માટે શાસ્ત્રી અનિલ પ્રસાદજીને રજૂઆત કરી હતી, અને શાસ્ત્રીજીએ પૂર્વ નગરપતિની લાગણી સ્વીકારી હતી,અને આગામી 2022 ચૈત્ર માસમાં ફળેશ્વર મંદિર ખાતે શાસ્ત્રી અનિલ પ્રસાદજીનાં વ્યાસાસને જ ભવ્ય ભાગવત સપ્તાહ યોજવાની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં મહાપ્રસાદ, અનેકવિધ ધાર્મિક પ્રસંગોની ઉજવણી સહિત ભવ્ય આયોજન કરવામાં આવશે, ચૈત્ર માસમાં યોજાનાર ભાગવત સપ્તાહની તારીખ હવે પછી જાહેર કરાશે, ત્યારે વાંકાનેરમાં ભૂકંપ, પૂર કે કોરોના જેવી કુદરતી આફતોનાં વિકટ સમયમાં હમેશાં વાંકાનેરનાં શહેરીજનોની સેવા માટે ખડે પગે રહેતા ભાજપ અગ્રણી જીતુભાઈ સોમાણીનું શાસ્ત્રીજી દ્વારા કથા દરમ્યાન અદકેરું સન્માન કરવામાં આવ્યું હતું.






Latest News