મોરબીમાં સીએમના આગમન પહેલા વિરોધ પ્રદર્શન કરનાર કોંગ્રેસ અને આપના આગેવાનોની અટકાયત મોરબીમાં આઇટીની ટીમનો સપાટો, બાંધકામ-સિરામિક સાથે જોડાયેલા ચાર જુદાજુદા ગ્રૂપમાંથી કરોડોની રોકડ-જવેરાત મળી: અનેક બેંક એકાઉન્ટ સીલ મોરબીના પીપળી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ ગયેલ યુવાન રાજકોટ સારવારમાં ખસેડાયો હળવદના રાયસંગપુર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના લાલપર નજીક અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબી અભયમની ટીમે પતિના ત્રાસથી એક વર્ષની દિકરીને લઈને ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રોડ ક્રોસ કરવા માટે ઉભેલા વૃદ્ધને કચડી નાખનારા કન્ટેનર ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને વૃદ્ધને મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબીની નવયુગ વિદ્યાલયમાં ભારતીય સંસ્કૃતિ ઉજાગર કરતો કાર્યક્રમ યોજાયો


SHARE













મોરબીની નવયુગ વિદ્યાલયમાં ભારતીય સંસ્કૃતિ ઉજાગર કરતો કાર્યક્રમ યોજાયો

દેશના કોઈપણ નાગરિકે પોતાના ધર્મ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા રહેવું એ અત્યંત આવશ્યક છે. કેટલાક તહેવારો અને વિશેષ દિવસો દરમ્યાન પોતાની ભવ્ય ભારતીય સંસ્કૃતિને ભૂલીને પશ્ચિમી સંસ્કૃતિના રંગે રંગાઈ જતાં ભૂલકાઓ અને યુવાનોને ભારતીય સંસ્કૃતિ તરફ પાછા વાળવા તેમજ આ દેશની મહાન અને દિવ્ય પરંપરાઓ અને મૂલ્યો પ્રત્યે તેઓને જાગૃત કરવાના ઉમદા હેતુ સાથે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ નવયુગ વિદ્યાલય ખાતે ભારતીય સંસ્કૃતિનો ઉજાગર કરતો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા સમૂહ પ્રાર્થનાએકપાત્રી અભિનયવેશભૂષારેલીસમૂહ નૃત્ય જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવાનો પ્રયાસ કરાયો હતો. આ પ્રસંગે નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી.ડી. કાંજીયાનવયુગ એજયુ. એન્ડ ચેરી. ટ્રસ્ટના પ્રમુખ રંજનબેન કાંજીયા તેમજ ટ્રસ્ટી બળદેવભાઈ સરસાવાડીયાએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. અને આ કાર્યક્રમમાં કૃતિઓને જજ કરવા માટે નિર્ણાયક તરીકે પારૂલબેન પટેલહર્ષાબેન પોકાર તેમજ પિન્કીબેન પારવાણી ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે નવયુગ વિદ્યાલયના નિલેષભાઈ આઘારા સહિતના સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી હતી.




Latest News