મોરબીના લોકો ઓમિક્રોનનો ડર નહિ, સાવચેતી રાખે: ડો.મનિષ સનારીયા
મોરબી જિલ્લામાથી ભૂચરમોરી ખાતે શૌર્ય કથામાં આવવા જવા માટે વ્યવસ્થા ગોઠવાઈ
SHARE
મોરબી જિલ્લામાથી ભૂચરમોરી ખાતે શૌર્ય કથામાં આવવા જવા માટે વ્યવસ્થા ગોઠવાઈ
મોરબીમાં રાજપૂત સમાજ દ્વારા મોરબી શહેર તેમજ પાંચેય તાલુકાના સેન્ટર ઉપરથી ધ્રોલ ખાતે તાજેતરમાં જે સાત દિવસ શૌર્ય કથા સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં જવા અને આવવા માટેની વ્યવસ્થા ગોઠવવી છે તેવું અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના પ્રમુખે માહિતી આપતા જણાવે છે
અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા વિશ્વમાં પ્રથમ વખત ભુચરમોરી ધ્રોલ ખાતે તા.૨૫ થી ૩૧ સુધી સાત દિવસથી શૌર્ય કથા સપ્તાહનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે ત્યારે આશરાધર્મ અને વચનપાલન ખાતરની પ્રાણોનું આહુતિ આપનારા વીર ક્ષત્રિયોની ઉજ્જવળ પરંપરા અનેક યુદ્ધોની સાચી હકીકત તેમજ રાજપુતોના ભવ્ય ઇતિહાસને ઉજાગર કરવા માટે આ કથા સપ્તાહનું આયોજન કરવામાં આવેલ છે અને સાત દિવસ સુધી રાજપૂત સમાજના ગુજરાત ભરના તમામ સંગઠનના આગેવાનો અને રાજકીય આગેવાનો તથા સંતો મહંતો દરરોજ જુદી જુદી ચારણી સાહિત્યના નિષ્ણાંત ગઢવી ચારણ પણ ઉપસ્થિત રહેશે ત્યારે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ મોરબી જિલ્લાના પ્રમુખ નીરૂભાઇ બેચુભા ઝાલાએ માહિતી આપતા જણાવ્યું છે કે ધ્રોલ ખાતે જે શૌર્ય કથાનું આયોજન કરવામાં આવ્યું છે તે કથામાં આવવા અને જવા માટે મોરબી જિલ્લાના તમામ પાંચેય તાલુકામાં રાજપૂત સમાજના ગામો અને મોરબી શહેરમાંથી તારીખ વાઇસ આયોજન ગોઠવવામાં આવેલ છે ત્યારે મોરબી જિલ્લાના રાજપૂત સમાજના તમામ લોકોને શૌર્ય કથામાં આવવા માટે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે