મોરબીના 602 જમીન કૌભાંડમાં બોગસ આંબો કાઢી આપવા તલાટી મંત્રીએ લાખો રૂપિયા લીધા હોવાનો ધડાકો: મોટા મગરમચ્છોનું મુશકેલી વધે તેવા સંકેત મોરબીમાં સ્વ. રમેશભાઈ મકનભાઈ રંગપડીયા સ્મૃતિમાં નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાયો મોરબી: પત્રકાર અમીબેન ગજ્જરને ધ સાઇનિંગ સ્ટાર એવોર્ડ આપીને સન્માનિત કરાયા મોરબીના નાની વાવડીમાં 1.30 કરોડના ખર્ચે આધુનિક સુવિધાથી સજ્જ પાર્ક બનવાનું કામ પ્રગતિ હેઠળ મોરબીમાં શુદ્ધ પાણી આપવા માટે ૨.૩૫ કરોડના ખર્ચે ક્લોરીન ડોસીંગ સીસ્ટમની શરૂઆત મોરબીનો ડીપી બનાવવાનું કામ કરતી એજન્સી અધિકારીઓની બેઠક યોજાઈ મોરબી બોયઝ હાઇસ્કુલ ખાતે માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન- માતૃભાષા મહિમાગાનનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં ગંગા સ્વરૂપ બહેનોની ૧૧ દીકરીઓનો દશમો સમૂહ લગ્નોત્સવ સંપન્ન
Breaking news
Morbi Today

મોરબીમાં મેદસ્વિતા મુક્તિ કેમ્પ સંપન્ન: નિષ્ણાતો દ્વારા યોગ અને આહારના માધ્યમથી સ્વાસ્થ્ય રક્ષાનું અપાયું માર્ગદર્શન


SHARE













મોરબીમાં મેદસ્વિતા મુક્તિ કેમ્પ સંપન્ન: નિષ્ણાતો દ્વારા યોગ અને આહારના માધ્યમથી સ્વાસ્થ્ય રક્ષાનું અપાયું માર્ગદર્શન

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મેદસ્વિતા મુક્ત ગુજરાતના સંકલ્પને સાકાર કરવાના ઉમદા હેતુથી મોરબીમાં ભવ્ય મેદસ્વિતા મુક્તિ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. મોરબીના સનાળા રોડ પર સ્થિત આદર્શ શાળા ખાતે આયોજિત આ કેમ્પમાં શહેરના અનેક જાગૃત નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઝોન કોર્ડીનેટર વાલજીભાઈ ડાભી અને જિલ્લા કોર્ડીનેટર દેવાંશ્રી પરમારના સીધા માર્ગદર્શન હેઠળ સુચારૂ રીતે સંપન્ન થયો હતો.

કેમ્પ દરમિયાન યોગ-ટ્રેનર કાજલબેન આદ્રોજા અને ઈન્દિરાબેન ફળદુએ સાધકોને મેદસ્વિતા ઘટાડવા માટેના વિશેષ આસનો, પ્રાણાયામ અને શારીરિક વ્યાયામનું સઘન પ્રશિક્ષણ આપ્યું હતું. આ કાર્યક્રમના વિશેષ આકર્ષણ તરીકે હરિદ્વારથી પધારેલા સ્વામી વિજય દેવજીએ એક્યુપ્રેશર અને યોગ ચિકિત્સા પર ખાસ સત્ર લીધું હતું, જેમાં તેમણે વિવિધ રોગોમાંથી મુક્તિ મેળવવા માટેની સચોટ ચિકિત્સા પદ્ધતિઓ વિશે ઊંડાણપૂર્વક સમજ પૂરી પાડવામાં આવી હતી. સ્વાસ્થ્ય જાગૃતિના આ અભિયાનમાં લાયન્સ ક્લબ-મોરબીના સહયોગથી 'હેલ્ધી ડાયટ ફૂડ કુકિંગ' સ્પર્ધાના સુંદર આયોજન થકી પૌષ્ટિક અને સંતુલિત આહારના મહત્વ વિશે જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી. આ કેમ્પમાં આધુનિક સમયમાં બદલાતી જીવનશૈલી વચ્ચે યોગ અને યોગ્ય આહાર પદ્ધતિને જીવનનો હિસ્સો બનાવી જ મેદસ્વિતા જેવી સમસ્યાઓથી મુક્ત બનવા અનુરોધ કરાયો હતો. મોટી સંખ્યામાં હાજર રહેલા સાધકોએ ભવિષ્યમાં પણ યોગ સાથે જોડાયેલા રહેવાનો નિર્ધાર કર્યો હતો.






Latest News