ટંકારાના મીતાણા ગામ નજીક જુદીજુદી જગ્યાએથી વિજ કંપનીના 7240 મીટર એલ્યુમિનિયમના વાયરની ચોરી
મોરબીના પંચાસર રોડે બાઈકની આડે ખુટિયો આવતા સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત
SHARE
મોરબીના પંચાસર રોડે બાઈકની આડે ખુટિયો આવતા સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત
મોરબીના પંચાસર રોડ પર આવેલ મામાદેવના મંદિર પાસેથી યુવાન બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના બાઈકની આડે ખુટિયો આવતા બાઈક સ્લીપ થઈ ગયું હતું અને અકસ્માત થયો હતો જે બનાવમાં યુવાનને માથા અને શરીરે ગંભીર ઇજા થઈ હતી જેથી તેને પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જો કે, સારવાર કારગત ન નિવડતાં તે યુવાનનું મોત નીપજયું હતું અને આ બનાવ સંદર્ભે હાલમાં પોલીસે ફરિયાદ લઈને મૃતક યુવાન સામે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી તાલુકાના ધુળકોટ ગામે રહેતો યુવરાજ હસમુખભાઈ ઝાલા (22) નામનો યુવાનો ગત તા. 16/2 ના રાત્રિના 10:30 વાગ્યાના અરસામાં મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ મામાદેવના મંદિર પાસેથી પોતાનું બાઈક નંબર જીજે 36 એજી 3518 લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક તેના બાઈકની આડે ખુટિયો આવતા બાઈક સ્લીપ થઈ ગયું હતું અને અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં યુવરાજને માથા અને શરીરે ગંભીર ઇજા થઈ હોવાથી તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જોકે ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી પોલીસે તાલુકા પોલીસે આ બનાવ સંદર્ભે હાલમાં ધુળકોટ ગામે રહેતા ગુલાબભાઈ અરજણભાઈ પરમાર (47)ની ફરિયાદ લઈને મૃતક યુવાન સામે ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.