મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં આજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત મોરબીમાં મંગેતર સાથે રસોઇ બનાવવા બાબતે બોલાચાલી બાદ યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક કારખાનામાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત: બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું
Breaking news
Morbi Today

મોરબીના લાલપરમાં લેમીનેટ કારખાનામાં કામે જતી છોકરીઓ બાથરૂમ જતી હોય ત્યાં પાછળ કેમ જાય છે..? તેમ કહેતાં મજૂર દંપતીને માર પડયો


SHARE













મોરબીના લાલપરમાં લેમીનેટ કારખાનામાં કામે જતી છોકરીઓ બાથરૂમ જતી હોય ત્યાં પાછળ કેમ જાય છે..? તેમ કહેતાં મજૂર દંપતીને માર પડયો

મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલ લાલપર ગામે સનમાઈકાના કારખાના લેબર કવાટર પાસે કારખાનામાં મજુરીકામ કરતા દંપતીને માર મારવામાં આવ્યો હતો જેથી કરીને સારવાર લીધા બાદ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

મોરબી તાલુકા પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ મોરબીના પંચાસર ગામના વતની અને હાલ મોરબીના સામાકાંઠા આવેલ બૌધ્ધનગર સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા વાલજીભાઈ ગોવિંદભાઈ ટુંડીયા અને તેમના પત્ની ગૌરીબેન (ઉંમર ૩૦) લાલપર ગામ પાસે આવેલા રેઇન્બો લેમીનેટસ નામમા સનમાઈકાના કારખાનામાં મજુરી કામ કરે છે જયાં તા.૨૩-૧૨ ના સવારે દશેક વાગ્યાના અરસામાં મારામારીના બનાવમાં ઈજાઓ થઈ હતી જેથી સારવાર લીધા બાદ ગૌરીબેન વાલજીભાઈ ટુંડીયાએ મોરબી તાલુકા પોલીસ મથક ખાતે સંજય વણોલ, જયદીપ વણોલ અને દિનેશ પટેલ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, તેમના પતિ વાલજીભાઈએ સંજય વણોલને કહ્યું હતું કે કારખાનામાં કામે આવતી છોકરીઓ બાથરૂમ કરવા જાય ત્યારે તું કેમ પાછળ જાય છે..? તેથી ઉશ્કેરાઈ જઈને સંજય વણોલે તેમના પતિ વાલજીભાઈની સાથે બોલાચાલી ઝઘડો કર્યો હતા અને માર માર્યો હતો તે દરમ્યાન પોતે વચ્ચે છોડાવવા પડતાં સંજય વણોલ અને જયદીપ વણોલે બંનેને ઢીકાપાટુનો મુઢ માર માર્યો હતો જયારે દિનેશ પટેલે દંપતીને જાહેરમાં જ્ઞાતિ પ્રત્યે હડધૂત  કર્યા હતા.હાલ ગૌરીબેનની ફરીયાદ ઉપરથી તાલુકા પોલીસે સંજય વણોલ, જયદીપ વણોલ અને દિનેશ પટેલ વિરૂદ્ધ ફરિયાદ નોંધી છે જેની એસસીએસટી સેલના ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાયએ તપાસ હાથ ધરી છે.






Latest News