Morbi Today
મોરબીમાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર (ઇસ્કોન) દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ મહામહોત્સવની ઉજવણી કરાઇ
SHARE
મોરબીમાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર (ઇસ્કોન) દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ મહામહોત્સવની ઉજવણી કરાઇ
મોરબીમાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર (ઇસ્કોન) દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ મહામહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે મહાઆરતી અને વિવિધ ફ્રૂટના જ્યુસ અને ફૂલ વડે મોરબીના ભક્તોએ રામ દરબારનો મહાભિષેક કર્યો હતો. આ ઉત્સવમાં વધુ આનંદ પ્રદાન કરવા વૃંદાવનથી ગુડાકેશ પ્રભુજી પધાર્યા હતા અને શ્રી રામ કથાનું બધાને રસપાન કરાવ્યુ હતું. મોરબીથી અતુલ વિષ્ણુદાસ દ્વારા સર્વે મોરબીની જનતાને ભગવાનના ઉત્સવોમાં ભાગ લેવો જોઈએ અને ટૂંક સમયમાં ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા ઉત્સવ આવી રહ્યો છે તો આ વર્ષે મોરબીના આસપાસના ગામડાઓમાં પણ જગન્નાથજીની રથયાત્રા નીકળશે.









