ટંકારાના વીરપર ગામે પોતાના જ ઘરમાં વૃદ્ધે ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત
SHARE
ટંકારાના વીરપર ગામે પોતાના જ ઘરમાં વૃદ્ધે ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત
ટંકારાના વીરપર ગામે રહેતા વૃદ્ધે પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
ટંકારા તાલુકાના વીરપર ગામે રહેતા હરજીભાઈ કુંવરજીભાઈ લીખીયા (85)એ કોઈ અગમ્ય કારણસર પોતે પોતાની જાતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તે વૃદ્ધનું મોત નીપજ્યું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવની મૃતક વૃદ્ધના દીકરા સુરેશભાઈ લીખિયા (55) રહે. વીરપર ગામ વાળાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી છે
અકસ્માતમાં ઇજા
મૂળી તાલુકાના વીરપર ગામે રહેતા પ્રભુભાઈ પ્રેમાભાઈ સોરીયા (55) નામના આધેડ મોરબીના ઊંચી માંડલ ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઈક અકસ્માતના બનાવમાં તેમને ઈજા થઈ હતી જેથી તેઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી
યુવાને મારમાર્યો
માળિયા વનાળીયા સોસાયટીની પાછળના ભાગમાં રહેતા દીપકભાઈ હરેશભાઈ અંબાલીયા (35) નામના યુવાનને ભડીયાદ કાંટે જવાહર સોસાયટીમાં બેટ વડે માથાના ભાગે અને પીઠના ભાગે માર મારતા ઈજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે