હળવદના ચરાડવા ગામે કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત: મોરબીના ઘૂટું ગામે કૂવામાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત મોરબી સુરજબાગમાં બાલ ભવન બનાવવા ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના પ્રમુખની માંગ મોરબીમાં જલારામ ધામ ખાતે સ્વ.રમણીકભાઈ પોપટ અને પોપટ પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે મોરબીમાં દત્તક લીધેલી વિદ્યાર્થિનીને મુસ્કાન વેલફેર સોસાયટીનો સતત સહયોગ મોરબીમાં રાજપૂત સમાજ ભવન માટે જમીન આપવા બદલ રાજવી પરિવારના મહારાજા કુમારીઓનું ટ્રસ્ટીઓ દ્વારા સન્માન કરીને આભાર વ્યક્ત કરાયો મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબના પ્રમુખ પદે સતત બીજા વર્ષે ડો. સુષ્માબેન દુધરેજીયાની  નિમણુક ભયંકર પરિસ્થિતિના એંધાણ: મોરબીના સિરામિક વોલ ટાઇલ્સના કારખાના 1 મે સુધી બંધ, ઉદ્યોગકારોનો સામૂહિક નિર્ણય, પાર્કિંગ પોર્સોલિન અને ડબલ ચાર્જ ટાઇલ્સમાં પણ બંધ લંબાવશે મોરબીના અજય લોરીયાની ક્રાઈમ કુંડળી સાથે સિરામિક ઉદ્યોગકારો-પાટીદાર સમાજના આગેવાનોએ એસપીને કરી રજૂઆત: ભોગ બનેલા લોકોને ફરિયાદ કરવા આહ્વાન
Breaking news
Morbi Today

મોરબી સુરજબાગમાં બાલ ભવન બનાવવા ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના પ્રમુખની માંગ


SHARE











મોરબી સુરજબાગમાં બાલ ભવન બનાવવા ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના પ્રમુખની માંગ

મોરબી સુરજબાગમાં બગીચો બનાવવા માટેનું કામ ચાલી રહ્યું છે જો કે, ત્યાં બાલ ભવન બનાવવામાં આવે તેના માટે ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન પ્રમુખ દ્વારા મનપાના કમિશનરને રજૂઆત કરવામાં આવેલ છે.

ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન પ્રમુખ રામ મહેતાએ મનપાના કમિશનરને લેખિતમાં રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબીમાં આશરે ત્રીસથી વધારે બાળકો માટે ડાન્સ કલાસીસ છે તેમજ સંગીત કલાસીસ છે અને શાસ્ત્રીય સંગીતના પણ વર્ગો નાટય સંસ્થા છે. મોરબી એક કલાની નગરી છે પરંતુ બાળકોના સર્વાંગી વિકાસ માટે મોરબીમાં એક પણ બાલ ભવન નથી. આપના તરફથી પ્રજાની સુખાકારી માટે બાગ બગીચા, લાયબ્રેરી તથા અન્ય સ્થળોનો વિકાસ કરવામાં આવી રહ્યો છે જે અંતર્ગત હાલે સુરજબાગમાં સરસ બગીચો બનાવવામાં આવી રહયો છે તે ખુશીની વાત છે. પરંતુ ત્યાં જગ્યા છે અને બાળકોના માનસિક તથા શારીરિક તેમજ સર્વાંગી વિકાસ માટે જો બાલ ભવન બનાવવામાં આવે તો સંગીત, નાટય, ડાન્સ, કરાટે તમામ પ્રવૃતિ એક સ્થળે એક સાથે થઈ શકે છે જેમ રાજકોટમાં બાલભવન છે તેમ અહીં પણ બનાવવામાં આવે તો વધારે સારૂ સાથોસાથ ટાઉન હોલ પણ ઝડપથી કાર્યરત થાય તો નાટય, સંગીત, ડાન્સના શો શરૂ થાય અને બહારથી સારા નાટકો આવે પ્રજાને સારા સાંસ્કૃતિક કાર્યક્રમો જોવા મળે તેમ છે જેથી કરીને આ બાબતને ધ્યાને લઈને કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે.






Latest News