કચ્છમાં માતાના મઢે દર્શન કરીને દીવ જતાં પરિવારને નડ્યો અકસ્માત: માળીયા (મી)ના હરિપર નજીક ટાયર ફાટતાં ઇકો ગાડી ડિવાઇડર કૂદીને ટ્રક સાથે અથડાતાં બે બાળક સહિત કુલ ચાર વ્યક્તિઓના મોત, બેને ઈજા રાજ્યના શ્રમમંત્રીનાં અથાક પ્રયાસોથી 10 લાખ વૃક્ષો વાવી મોરબીને હરિયાળું બનાવ્યુ માળીયા (મી)માં ફાયરિંગ કરીને હત્યા કરવાના ગુનામાં દોઢ વર્ષથી નાસતા ફરતા ઇનામી આરોપીને એલસીબીની ટીમે દબોચી લીધો મોરબીના વીસીપરા વિસ્તારમાં નિયમિત-પૂરતા પ્રમાણમાં પાણી આપવાની કોંગ્રેસની માંગ મોરબીની ડો. બી.આર.આંબેડકર સરકારી કુમાર છાત્રાલયમાં પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ: ઓનલાઈન અરજીઓ મંગાવાઈ મોરબી જિલ્લાના સાપકડા ગામે ખેડૂતોને વળતર ચૂકવ્યા વગર વીજપોલ ઉભા કરવાનું કામ રોકવાતા ખેડૂતો મોરબી જિલ્લાની પાંચ પૈકીની 4 તાલુકો પંચાયતમાં ભાજપ અને 1 માં કોંગ્રેસના પ્રમુખ-ઉપપ્રમુખ ચૂંટાયા મોરબીમાંથી ગુમ થયેલા બે યુવાનોની ભાળ મળતા પરિવારમાં હાશકારો
Breaking news
Morbi Today

ભાજપને જટકો, મોરબી જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મુકેશભાઈ ગામીએ ભાજપ સાથે છેડો ફાડીને કોંગ્રેસમાં ઘર વાપસી કરી


SHARE











મોરબી જિલ્લામાં ભાજપના સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટેના ઉમેદવારો જાહેર થયેલ હતી ત્યાં ભાજપને જટકા મળવાનું શરૂ થઈ ગયું છે. છેલ્લા બે વર્ષોથી ભાજપ સાથે જોડાયેલ મોરબી જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ આજે ભાજપ સાથે છેડો પાડીને પુનઃ કોંગ્રેસમાં જોડાયા છે અને ક્ષણિક ક્રોધના કારણે કોંગ્રેસને તેઓએ જે તે સમયે છોડી હતી. જોકે, કોંગ્રેસ કાયમ તેઓના દિલમાં હતી જેથી આજે મુકેશભાઈ ગામી પોતાના કાર્યકરો સાથે કોંગ્રેસમાં વિધીવત રીતે જોડાયા છે

સામાન્ય રીતે ચૂંટણી નજીક આવે એટલે તડજોડનું રાજકારણ શરૂ થતું હોય છે અને ઘણા બધા રાજકારણીઓ પક્ષ પલટા કરતા હોય છે અને પક્ષ બદલાવતા હોય આવું બનતું હોય છે જોકે આવી સ્થિતિ સામાન્ય રીતે ચૂંટણી માટે ઉમેદવારોની ટિકિટ જાહેર થયા ત્યાર પછી ઊભી થતી હોય છે અને મોટાભાગે ટિકિટ ન મળે તેના કારણે પક્ષ પલટા થતા હોય છે જોકે આજે મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે મોરબી જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ નયનભાઈ અઘારા, મોરબી શહેર કોંગ્રેસના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા, મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રભારી મહેશભાઈ રાજપુત ની હાજરીમાં મોરબી જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય મુકેશભાઈ ગામી દ્વારા પોતાના વિસ્તારમાંથી તેઓની સાથે અગાઉ ભાજપમાં જોડાયેલા આગેવાનો, હોદ્દેદારો અને ટેકેદારોને લઈને વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા છે ત્યારે કોંગ્રેસ પરિવાર દ્વારા તેઓને આવકારવામાં આવેલ છે અને એક કાર્યકર તરીકે તેઓ આજે ફરી પાછા કોંગ્રેસમાં જોડાયા છે આ તકે મુકેશભાઈ ગામીએ જણાવ્યું હતું કે ક્ષણિક ક્રોધના કારણે કોંગ્રેસ પક્ષથી નારાજ થઈને તેઓ બે વર્ષ પહેલા ભાજપ પક્ષમાં જોડાયા હતા જોકે તેઓને દિલમાં કાયમી માટે કોંગ્રેસ હતી અને ખાસ કરીને મોરબી જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સ્વર્ગસ્થ કિશોરભાઈ ચીખલીયા જ્યારે હયાત હતા ત્યારે અનેક વખત તેઓએ મુકેશભાઈ ગામીને પુના કોંગ્રેસમાં આવવા માટે થઈને કહ્યું હતું ત્યારે આજે કિશોરભાઈ ચીખલીયાને  શ્રદ્ધાંજલિનેના ભાગરૂપે તેઓ ભાજપ સાથે છેડો ફાડીને પુન કાર્યકર્તા તરીકે કોંગ્રેસમાં જોડાયા છે અને આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થાય તેના માટે તેઓ તથા તેઓની ટીમ તન મન ધનથી કોંગ્રેસ માટે પ્રચાર પ્રસારમાં જોડાશે.






Latest News