મોરબીના કલેક્ટરે ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની લીધી મુલાકાત બ્રાહ્મણી-૨ ડેમના પાણીના પ્રવાહથી મયુરનગર-રાયસંગપર રોડનો કોઝવે ધોવાયો મોરબીનો મચ્છુ 2 ડેમ છલકાતા મેયર, ધારાસભ્ય, કલેકટર અને કમિશનરે નવા નીરના કર્યા વધામણાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર-મોરબી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી જગન્નાથજીની રીટર્ન રથયાત્રા ઉજવણી કરી મોરબીના શનાળા નજીક મેડીકલ કોલેજ સામે સ્કુટરને કાર ચાલકે હડફેટે લેતા ત્રણ મહિલા સારવારમાં વાંકાનેરની શિક્ષિકાને પતિ સહિતના સાસરીયાઓનો ત્રાસ વાત્સલ્ય અને કરુણાની મહેક : મેંગોપીપલ પરીવારના 'પ્રોજેક્ટ મુસ્કાન'નો ૯ મા વર્ષમાં મંગલ પ્રવેશ શારીરિક સ્વચ્છતાની સાચી સમજણ સાથે નિઃશુલ્ક સેનેટરી પેડ્સનું વિતરણ કરાયું વાંકાનેર પંથકમાં મેઘરાજાની આક્રમક બેટીંગ : 4.5 ઈંચ પાણી પડી જતા અનેક વિસ્તારો જળબંબાકારવાંકાનેર પંથકમાં મેઘરાજાની આક્રમક બેટીંગ : 4.5 ઈંચ પાણી પડી જતા અનેક વિસ્તારો જળબંબાકાર
Breaking news
Morbi Today

મોરબીમાંથી ઉધારમાં ટાઇલ્સ લઈને આપેલ ચેક રિટર્ન થવાના કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા કોર્ટનો આદેશ


SHARE







મોરબીમાંથી ઉધારમાં ટાઇલ્સ લઈને આપેલ ચેક રિટર્ન થવાના કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા કોર્ટનો આદેશ

મોરબીની કોર્ટમાં ચેક રીર્ટનનો કેસ ચાલી ગયો હતો જેમાં આરોપીને એક વર્ષની સજા, ચેકની રકમની ડબલ રકમ વળતર પેટે ફરીયાદીને આરોપીએ આપવા માટેનો કોર્ટે હુકમ કર્યો છે.

આ કેસની પ્રાપ્ત વિગતો એવી છે કે, મોરબીની સેલજા સિરામિક પ્રા.લી. મોરબીની કંપનીમાંથી આરોપી મે/એસ ફ્યૂઝન ટાઇલ એન્ડ ફીટીંગ ના પ્રોપરાઈટર ઝાલા જયેશભાઇ જીવાભાઈ રહે. ગીર સોમનાથ વાળાએ ઉધારથી ટાઈલ્સની ખરીદી કરી હતી અને આરોપીએ ફરીયાદીને ૨,૮૮,૨૪૯ નો તા ૨૪/૨/૨૫ નો સહી કરી ચેક આપેલ હતો જે ચેક ફરીયાદીબેંકમાં જમાં કરાવતા તે ચેક ફંડ ઈનસફીસીયન્ટના શેરા સાથે પરત આવ્યો હતો જેથી ફરીયાદીની કંપનીએ ચેક રીર્ટનની લીગલ નોટીસ વકીલ બળદેવ કાચરોલા મારફત આપી હતી જો કે, આરોપીચેક મુજબની રકમ ભરપાઈ કરી ન હતી જેથી કરીને ફરિયાદી તેના વકીલ બળદેવ કાચરોલા મારફત મોરબીની કોર્ટમાં ચેક રિટર્નની ફરીયાદ કરી હતી જે કેસ મહે. એડી. ચીફ જયુ. મેજી. સાહેબની કોર્ટમાં ચાલ્યો હતો જેમાં ફરીયાદીના વકીલ બળદેવ પી. કાચરોલાની દલીલો તેમજ પુરાવાઓને ધ્યાને લઈને કોર્ટે આરોપીને એક વર્ષની સાદી કેદની સજા, ચેકની રકમ રૂપીયા ૨,૮૮,૨૪૯ ની ડબલ રકમ ૫,૭૬,૪૯૮ ફરીયાદની તારીખથી વાર્ષીક ૯ ટકા ટકાના વ્યાજે સાથે વળતર પેટે ફરીયાદીને ચુકવવાનો હુકમ કર્યો છે. તેમજ આરોપી વળતર ભરવામાં કસુર કરે તો વધુ ૯૦ દિવસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કર્યો છે આ કેસમાં ફરીયાદીના વકીલ તરીકે બળદેવ પી. કાચરોલા રોકાયેલ હતા.






Latest News