હળવદના કડિયાણા ગામે વાડીને પાણી પાવા માટે સહિયારી પાણીની લાઇન નાખનારા યુવાન સહિત બે લોકોને નજીવી વાતમાં ધોકા-છોરીયા વડે માર માર્યો કચ્છમાં માતાના મઢે દર્શન કરીને દીવ જતાં પરિવારને નડ્યો અકસ્માત: માળીયા (મી)ના હરિપર નજીક ટાયર ફાટતાં ઇકો ગાડી ડિવાઇડર કૂદીને ટ્રક સાથે અથડાતાં બે બાળક સહિત કુલ ચાર વ્યક્તિઓના મોત, બેને ઈજા રાજ્યના શ્રમમંત્રીનાં અથાક પ્રયાસોથી 10 લાખ વૃક્ષો વાવી મોરબીને હરિયાળું બનાવ્યુ માળીયા (મી)માં ફાયરિંગ કરીને હત્યા કરવાના ગુનામાં દોઢ વર્ષથી નાસતા ફરતા ઇનામી આરોપીને એલસીબીની ટીમે દબોચી લીધો મોરબીના વીસીપરા વિસ્તારમાં નિયમિત-પૂરતા પ્રમાણમાં પાણી આપવાની કોંગ્રેસની માંગ મોરબીની ડો. બી.આર.આંબેડકર સરકારી કુમાર છાત્રાલયમાં પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ: ઓનલાઈન અરજીઓ મંગાવાઈ મોરબી જિલ્લાના સાપકડા ગામે ખેડૂતોને વળતર ચૂકવ્યા વગર વીજપોલ ઉભા કરવાનું કામ રોકવાતા ખેડૂતો મોરબી જિલ્લાની પાંચ પૈકીની 4 તાલુકો પંચાયતમાં ભાજપ અને 1 માં કોંગ્રેસના પ્રમુખ-ઉપપ્રમુખ ચૂંટાયા
Breaking news
Morbi Today

મોરબીના લક્ષ્મીનગર ગામેથી સગીરાનું અપહરણ કરનાર પરિણીત ઢગો ઝડપાયો,જેલ હવાલે


SHARE











મોરબીના લક્ષ્મીનગર ગામેથી સગીરાનું અપહરણ કરનાર પરિણીત ઢગો ઝડપાયો,જેલ હવાલે

મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલા લક્ષ્મીનગર ગામ ખાતે રહીને મજૂરી કામ કરતા મૂળ છોટાઉદેપુરના પરિવારની સગીરવયની દિકરીનું અપહરણ કરી જનાર પરણિત ઢગા ને તાલુકા પોલીસે પકડીને જેલ હવાલે કરેલ છે. 

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે, થોડા દિવસો પહેલા મોરબીના લક્ષ્મીનગર ગામેથી મૂળ છોટાઉદેપુરના વતની એવા મજુર પરિવારની સગીરવયની દીકરીનું અપહરણ કરવામાં આવ્યું હતું.જે બાબતે ભોગ બનેલ સગીરાની માતા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી.જેની તપાસ ચલાવીને તાલુકા પોલીસ મથકના પીઆઇ તથા સ્ટાફ દ્વારા આ ગુનામાં આરોપી સુરેશભાઈ ખલિયાભાઈ નાયક રહેવાસી જે તે સમયે લક્ષ્મીનગર તા.મોરબી મૂળ રહે.હુડેસિયા ગામ કોલીપાટી તા. જેતપુર પાવી જિલ્લો છોટાઉદેપુર ની ધરપકડ કરીને તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.કોર્ટે જેલ હવાલે કરવાનો હુકમ કરતા તેને જેલ હવાલે કરવામાં આવ્યો હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

ઇજાગ્રસ્ત રાજકોટ ખસેડાયા

મોરબીના સામાકાંઠે ત્રાજપર ચોકડી પાસે વાહન અકસ્માતના બનાવમાં ઈજા પામેલ પ્રવીણભાઈ મનજીભાઈ કણસાગરા (રહે.પાવન પાર્ક મોરબી-૨) નામના ૪૬ વર્ષના યુવાનને પ્રાથમિક સારવાર મોરબી ખાતે આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યો હોવાનું સૂત્રમાંથી જાણવા મળેલ છે.જ્યારે મોરબી સામાકાંઠે સોઓરડીમાં રહેતા પંકજભાઈ પાલાભાઈ બારોટ નામના ૨૪ વર્ષના યુવાનને ઇઁસ્માઇભાઇના બંગલા નજીક છરી-ધોકા વડે પાંચેક લોકો દ્વારા માર મારવામાં આવ્યો હતો.જેથી ઈજા પામતા તેને સારવાર માટે લઇ જવાયો હતો.બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના મોમજીભાઈ દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના ટંકારા ખાતે ખજૂરાહો હોટલ નજીક ગાડી પલ્ટી મારી જતા કરશનભાઈ કાનાભાઈ ભરડા (૩૫) રહે.માંગરોળ અને રામદેવ ભીખાભાઈ ભરડા (૪૦) રહે.માંગરોળ ને અત્રેની સિવિલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.જ્યારે હળવદના કડીયાણા ગામે ઘરે સીડી ઉપરથી નીચે પડી જતા વનિતાબેન જયંતીભાઈ વડવી નામના ૬૫ વર્ષીય વૃદ્ધાને સારવાર માટે મોરબી સિવિલે લાવવામાં આવ્યા હતા.બનાવને પગલે મોરબી પોલીસ દ્વારા નોંધ કરીને વધુ તપાસ માટે હળવદ પોલીસની જાણ કરવામાં આવી હતી.તેમજ મોરબીના ન્યુ નવલખી ખાતે રહેતા નવાઝભાઈ આમદભાઈ ગંઢ નામના ૧૪ વર્ષના સગીરને પીપળીયા ચોકડી નજીક ઇકો કારના ચાલકે હડફેટે લેતા તેને ઈજા પામેલ હાલતમાં અત્રેની આયુષ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.






Latest News