મોરબીમાં ઘરેથી નીકળી ગયેલી મહિલાનું પતિ સાથે મિલન કરાવતી મોરબી જિલ્લા 181 અભયમ ટીમ મોરબીમાં શ્રમયોગીઓ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન કરી શકે તે માટે ૨૬ એપ્રિલે સવેતન રજા આપવીમોરબીમાં શ્રમયોગીઓ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન કરી શકે તે માટે ૨૬ એપ્રિલે સવેતન રજા આપવી મોરબી  :  લગ્ન મુહૂર્તે થતાં બાળલગ્નો અટકાવવા મોરબી જિલ્લામાં હેલ્પલાઇન નમ્બર્સ જાહેર કરાયા મોરબીના આમરણ નજીક કાર-માલ વાહક વાહન વચ્ચે અકસ્માત, બંને વાહનમાં નુકસાની મોરબીની ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે સહોદયા સૌરાષ્ટ્ર શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ સમારોહ યોજાયો મોરબીમાં સ્વ. શાંતાબેન બરાસરાની ઉત્તરક્રિયા નિમિત્તે યોજાયો રક્તદાન કેમ્પમાં 152 લોકોએ કર્યું રક્તદાન મોરબીના નારણકા ગામે બહુચરાજી માતાજી મંદિરે શીલાસ્થાપનનો કાર્યક્રમ યોજાશે મોરબી જિલ્લા-ગુજરાતનો વિકાસ રોકવાનું કામ કરનારાઓને હવે ઘર ભેગા કરવાના છે: હર્ષ સંઘવી
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ચૂંટણી માટે ઉમેદવારી કરનારા ભાજપના નારાજ આગેવાનો, કોંગ્રેસ અને આપના ઉમેદવારો સહિત કુલ 33 એ ફોર્મ પાછા ખેંચ્યા


SHARE













મોરબી જીલ્લામાં ચૂંટણી માટે ઉમેદવારી કરનારા ભાજપના નારાજ આગેવાનો, કોંગ્રેસ અને આપના ઉમેદવારો સહિત કુલ 33 એ ફોર્મ પાછા ખેંચ્યા

મોરબી જીલલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પક્ષ અને અપક્ષમાંથી જે આગેવાનોએ ઉમેદવારી કરી હતી તેમાંથી ફોર્મ પાછા ખેંચવાના દિવસે મહાનગરપાલિકાના અલગ અલગ વોર્ડમાંથી 4 અને જિલ્લા પંચાયતની જુદીજુદી બેઠક ઉપરથી 7 ઉમેદવારી પત્ર પાછા ખેચી લેવામાં આવેલ છે જેથી કરીને મોરબી મહાનગરપાલિકાની 52 બેઠક ઉપર 177 ઉમેદવાર અને 24 બેઠક માટે 74 ઉમેદવાર ચૂંટણીના મેદાનમાં છે.

મોરબી મહાનગરપાલિકાના અલગ અલગ વોર્ડમાંથી ઘણા આગેવાનોએ અપક્ષમાં ઉમેદવારી કરી હતી જેમાંથી વોર્ડ નંબર 6 માંથી કોંગ્રેસનાં ઉમેદવાર ધનીબેન રામજીભાઇ પરમાર, વોર્ડ નંબર 6 માંથી અપક્ષ ઉમેદવારી કરનારા પાલિકાના માજી પ્રમુખ અનોપસિંહ જાડેજાએ તેનું ફોર્મ પાછું ખેંચી લીધેલ છે જો કે, હજુ તેઓના પત્ની સિતાબા અનોપસિંહ જાડેજાએ પણ અપક્ષના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું છે અને તેઓ ચૂંટણીના મેદનમાં છે અત્રે ઉલેખનીય છે કે, અનોપસિંહ જાડેજાના પત્નીનું અપક્ષમાંથી ઉમેદવારી માટેનું ફોર્મ ભરવા માટે ગયા હતા ત્યારે મોરબી તાલુકા સેવા સદન ખાતે રાજ્ય મંત્રી અને મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સાથે રકજક થઈ હતી જેના વિડીયો પણ વાયરલ થયા હતા. આ ઉપરાંત મોરબીના વોર્ડ 10 માંથી અપક્ષ ઉમેદવાર તરીકે ભાજપમાંથી નારાજ થઈને હર્ષદભાઈ કંઝારીયાએ ફોર્મ ભર્યું હતું જેઓ આજે તેની અપક્ષ ઉમેદવાર તરીકેનું ફોર્મ પાછું ખેચાયું છે. જ્યારે વોર્ડ નંબર 13 માંથી અપક્ષ ઉમેદવાર તરીકે દીપેશ તુલસીભાઇ સોનગ્રાએ ફોર્મ ભર્યું હતુ જે તેને પાછું ખેંચી લીધેલ છે.

મોરબી જિલ્લા પંચાયતની ખાનપર બેઠક ઉપરથી અપક્ષ ઉમેદવાર દીપકભાઈ રગિયાએ ફોર્મ પાછું ખેંચી લીધેલ છે. આ ઉપરાંત ખાખરેચી, મહીકા અને તીથવા બેઠક ઉપરથી એક-એક અને ચંદ્રપુર બેઠક ઉપરથી બે ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચી લીધેલ છે. તેમજ મોરબી જિલ્લા પંચાયતની આમરણ બેઠક ઉપરથી આપના ઉમેદવાર તરીકે હસીનાબેન કાસમભાઈ સુમરાએ ફોર્મ ભર્યું હતું જો કે, ફોર્મ પાછા ખેંચવાના દિવસે આપના ઉમેદવારે પોતાનું ફોર્મ પરત ખેચી લીધેલ છે અને તેઓએ સતાવર રીતે કોંગેસના ઉમેદવારને સમર્થન જાહેર કર્યું છે

જયારે ટંકારા તાલુકા પંચાયતની બંગાવડી બેઠક ઉપરથી કોંગ્રેસના ઉમેદવાર ચેતનાબેન કટારિયા ફોર્મ ભર્યું હતું જો કે, ફોર્મ પાછા ખેચવાના દિવસે તેઓએ પોતાનું કોંગ્રેસના ઉમેદવાર તરીકેનું ફોર્મ પાછું ખેંચી લીધેલ છે અને તેઓએ ભાજપ અને ભાજપના ઉમેદવારને સમર્થન આપ્યું છે. ટંકારા તાલુકા પંચાયતની નાના ખીજડીયા બેઠક પર ધ્રુવનગરના રાજવી ધર્મરાજસિંહ બાલકૃષ્ણ જાડેજાએ અપક્ષ ઉમેદવારી કરી હતી જો કે, ફોર્મ પાછા ખેંચવાના દિવસે ધર્મરાજસિંહ બાલકૃષ્ણ જાડેજાએ ઉમેદવારી ફોર્મ પાછું ખેંચી લીધેલ છે અને તેઓ કોંગ્રેસમાં વિધિવત રીતે જોડાયા છે. ઉલેખનીય છેકે, મોરબી જિલ્લાની પાંચ તાલુકા પંચાયતમાં કુલ મળીને 17 ઉમેદવારોએ તેના ફોર્મ પાછા ખેચી લીધેલ છે. જયારે ત્રણ નગરપાલિકામાં વાંકનેરમાંથી 5 ઉમેદવારોએ તેના ફોર્મ પાછા ખેચી લીધેલ છે.






Latest News