મોરબીમાં ઘરેથી નીકળી ગયેલી મહિલાનું પતિ સાથે મિલન કરાવતી મોરબી જિલ્લા 181 અભયમ ટીમ મોરબીમાં શ્રમયોગીઓ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન કરી શકે તે માટે ૨૬ એપ્રિલે સવેતન રજા આપવીમોરબીમાં શ્રમયોગીઓ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન કરી શકે તે માટે ૨૬ એપ્રિલે સવેતન રજા આપવી મોરબી  :  લગ્ન મુહૂર્તે થતાં બાળલગ્નો અટકાવવા મોરબી જિલ્લામાં હેલ્પલાઇન નમ્બર્સ જાહેર કરાયા મોરબીના આમરણ નજીક કાર-માલ વાહક વાહન વચ્ચે અકસ્માત, બંને વાહનમાં નુકસાની મોરબીની ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે સહોદયા સૌરાષ્ટ્ર શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ સમારોહ યોજાયો મોરબીમાં સ્વ. શાંતાબેન બરાસરાની ઉત્તરક્રિયા નિમિત્તે યોજાયો રક્તદાન કેમ્પમાં 152 લોકોએ કર્યું રક્તદાન મોરબીના નારણકા ગામે બહુચરાજી માતાજી મંદિરે શીલાસ્થાપનનો કાર્યક્રમ યોજાશે મોરબી જિલ્લા-ગુજરાતનો વિકાસ રોકવાનું કામ કરનારાઓને હવે ઘર ભેગા કરવાના છે: હર્ષ સંઘવી
Breaking news
Morbi Today

મોરબીમાં આર્થિક સંકડામણને પગલે યુવાન ગુમ


SHARE













મોરબીમાં આર્થિક સંકડામણને પગલે યુવાન ગુમ

મોરબીના સામાકાંઠે આવેલ મહેન્દ્રસિંહજી હોસ્પિટલ પાસે રહેતા પરિવારનો યુવાન ઘરેથી ગુમ થઈ ગયો હોય તેની માતા દ્વારા પોલીસમાં જાણ કરવામાં આવતા પોલીસે નોંધ કરીને શોધખોળ શરૂ કરી છે.

વધુમાં મળતી માહિતી પ્રમાણે મોરબીના સામાકાંઠે મહેન્દ્રસિંહજી હોસ્પિટલ સામે આઠ ઓરડી વિસ્તારમાં રહેતા રસીલાબેન અશોકભાઈ મેરૂભાઈ માંડવીયા (કોળી) નામના મહિલાએ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી કે, તેમનો દિકરો દશરથ અશોકભાઈ માંડવીયા (૨૨) તા.૫/૪ ના રાત્રિના કોઈને કંઇ કહ્યા વગર ક્યાંક ગુમ થઈ ગયેલ છે.આર્થિક સંકળામણને પગલે ઘરેથી કોઈને કહયા વિના દશરથ ચાલ્યો ગયો હોવાની પોલીસમાં જાણ કરવામાં આવતા પોલીસ દ્વારા આ બાબતે ગુમશુધા નોંધ દાખલ કરવામાં આવી છે.જેની આગળની તપાસ એ.એમ.ઝાપડિયા ચલાવી રહ્યા છે.
ફિનાઇલ પી જતા સારવારમાં
જોડિયાના રસનાળ ગામે રહેતા નયનાબા હકુમતસિંહ જાડેજા નામના ૩૩ વર્ષીય મહિલા તેઓના ઘરે ફીનાઇલ પી ગયા હોય વધુ સારવાર માટે અહિની સિવિલે લાવવામાં આવ્યા હતા.બનાવની જાણ થતાં એ ડિવિઝન પોલીસ મથકના આર.આર.મિયાત્રા દ્વારા નોંધ કરી તપાસ કરવામાં આવી હતી અને બનાવ સંદર્ભે જોડીયા પોલીસને જાણ કરવામાં આવી હતી.
વાહન અકસ્માત
મોરબીના વાંકાનેર ખાતે રેલવે રેલ્વે સ્ટેશન નજીક આવેલ વિસ્તારમાં રહેતા બ્રીસમભાઈ રામજીભાઈ સોલંકી (૪૦) અને આશાબેન બ્રીસમભાઈ સોલંકી (૩૫) ને બાઈક લઈને જતા સમયે બાઈક અને છકડો રિક્ષા વચ્ચે અકસ્માત થતા બંનેને વધુ સારવાર માટે અત્રે સારવાર માટે સિવીલે લાવવામાં આવ્યા હતા.તેમ પોલીસ સૂત્રએ જણાવ્યું હતું અને બનાવની તપાસ માટે નોંધ કરી વધુ તપાસ માટે વાંકાનેર પોલીસને જાણ કરી હતી.જ્યારે હળવદની ટીકર ચોકડી પાસે બાઈક સાથે અન્ય બાઇક અથડાવાના અકસ્માત બનાવમાં કિરીટભાઇ ગોવિંદરામ દુધરેજીયા (૫૭) રહે.ટીકર તા.હળવદને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.






Latest News