ગુજરાત રાજપૂત યુવા સંઘના મોરબી જિલ્લાના પ્રમુખ પદે મહેન્દ્રસિંહ ઝાલાની વરણી હવે પાઇલોટિંગ સાથે નહીં રાખે: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડીઝલ બચાવવાની અપીલ બાદ રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનો નિર્ણય ટંકારા આઇટીઆઇ ખાતે ૧૬ મે એ ભરતી મેળાનું આયોજન સૂડી વચ્ચે સોપારી: મોરબીના સિરામિક કારખાનામાં વીજ પુરવઠો આવતો નથી ?, જનરેટર માટે પેટ્રોલપંપેથી ડીઝલ બેરલમાં આપતા નથી ! મોરબીમાં ઘરેથી નીકળી ગયેલ  મહિલાનું અભયમની ટીમે પરિવાર સાથે મિલન કરાવ્યુ મોરબી રામધન આશ્રમ ખાતે ઉમિયા માતાજીનો પાટોત્સવ યોજાયો વાંકાનેરના રંગપર ગામે સમૂહ લગ્નમાં આવેલ યુવાને અગાઉ પ્રેમ લગ્ન કરેલ હોય યુવતીના ચાર ભાઈ સહિત કુલ 5 વ્યક્તિઓએ માર માર્યો, જાનથી મારી નાખવાની ધમકી ઉતમ સ્વસ્થ્ય માટે લાઈફ સ્ટાઇલમાં થોડો ચેન્જ અનિવાર્ય: મોરબીમાં યોજાયેલ આરોગ્ય કથામાં વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની ટકોર
Breaking news
Morbi Today

મોરબીના યુવાન સહિત 34 લોકો સાથે વિઝા-એર ટિકિટના નામે 14.89 લાખની છેતરપિંડી


SHARE













મોરબીના યુવાન સહિત 34 લોકો સાથે વિઝા-એર ટિકિટના નામે 14.89 લાખની છેતરપિંડી

મોરબીથી 34 લોકોને ઉમરાહ પર જવું હતું જેથી કરીને અમદાવાદના એક શખ્સને વિઝા કઢાવવાનું કામ 4.65 લાખ રૂપિયામાં અપાયું હતું જો કે, સમયસર વિઝા કઢાવી આપવામાં આવેલ ન હતા જેથી કરીને યુવાન સહિત કુલ 34 લોકોને એર ટિકિટમાં નુકશાની ગયેલ છે જેથી કરીને યુવાને કુલ 14.89 લાખની છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચકોગતિમાન કરેલ છે.

મોરબીના વાવડી રોડ પર આવેલ લોમજીવન પાર્કમાં રહેતા સર્ફરાજ આલારાખાભાઈ દલવાણીએ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મહમદજુનેદ મહમદયુસુફ શેખ રહે. જુહાપુરા અમદાવાદ વાળા સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ કરી છે જેમાં જણાવ્યુ છે કે, વર્ષ 2022 માં આરોપીએ અમદાવાદ એરપોર્ટ ઉપર ફરીયાદીને વિશ્વાસમાં લઇ વિઝા લેવા માટેનું કહ્યું હતું અને વર્ષ 2025 માં ફરીયાદી પાસેથી કુલ 34 લોકોના વિઝા કરવા માટે 4.65 લાખ રૂપિયા લીધા હતા જો કે, રોકડા રૂપિયા લઈ લીધેલ હોવા છતાં પણ સમયસર વિઝા ન કરાવી આપીને ફરીયાદીને એર ટીકીટના 10,24,800 ની નુકશાની કરાવી છે અને ફરીયાદીને ખોટા બનાવટી વિઝાની પી.ડી.એફ. વ્હોટ્સએપમાં મોકલાવીને ફરીયાદી તથા અન્ય લોકોને ઉમરાહ કરીને અમદાવાદ એરપોર્ટ ઉપર આવ્યા ત્યારે ફોન ઉપર દોઢ લાખ રૂપીયા આપી દેજો નહીતર એરપોર્ટની બહાર નહી નીકળી શકો તેવી ધમકી આપી હતી જેથી ભોગ બનેલા વ્યક્તિની ફરિયાદ લઈને પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટેની તજવીજ શરૂ કરી છે.






Latest News