મોરબીમાં ઘરેથી નીકળી ગયેલી મહિલાનું પતિ સાથે મિલન કરાવતી મોરબી જિલ્લા 181 અભયમ ટીમ મોરબીમાં શ્રમયોગીઓ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન કરી શકે તે માટે ૨૬ એપ્રિલે સવેતન રજા આપવીમોરબીમાં શ્રમયોગીઓ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન કરી શકે તે માટે ૨૬ એપ્રિલે સવેતન રજા આપવી મોરબી  :  લગ્ન મુહૂર્તે થતાં બાળલગ્નો અટકાવવા મોરબી જિલ્લામાં હેલ્પલાઇન નમ્બર્સ જાહેર કરાયા મોરબીના આમરણ નજીક કાર-માલ વાહક વાહન વચ્ચે અકસ્માત, બંને વાહનમાં નુકસાની મોરબીની ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે સહોદયા સૌરાષ્ટ્ર શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ સમારોહ યોજાયો મોરબીમાં સ્વ. શાંતાબેન બરાસરાની ઉત્તરક્રિયા નિમિત્તે યોજાયો રક્તદાન કેમ્પમાં 152 લોકોએ કર્યું રક્તદાન મોરબીના નારણકા ગામે બહુચરાજી માતાજી મંદિરે શીલાસ્થાપનનો કાર્યક્રમ યોજાશે મોરબી જિલ્લા-ગુજરાતનો વિકાસ રોકવાનું કામ કરનારાઓને હવે ઘર ભેગા કરવાના છે: હર્ષ સંઘવી
Breaking news
Morbi Today

કોંગ્રેસનાં શાસનમાં આમરણથી મોરબી બે કલાકે આવતા લોકો આજે માત્ર અડધા કલાકમાં આવે છે, આ વિકાસ કોંગ્રેસને દેખાતો નથી: હર્ષ સંઘવી


SHARE













કોંગ્રેસનાં શાસનમાં આમરણથી મોરબી બે કલાકે આવતા લોકો આજે માત્ર અડધા કલાકમાં આવે છે, આ વિકાસ કોંગ્રેસને દેખાતો નથી: હર્ષ સંઘવી

ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં મોરબી જિલ્લાના આમરણ (ડાયમંડનગર) ખાતે ચૂંટણી સભા યોજાઇ હતી જેમાં કોંગ્રેસને આડે હાથે લેતા કહ્યું હતુ કે, આઝાદીના લડવૈયાઓએ અનેક સપના જોયા હતા જે ભાજપની વર્તમાન સરકાર પૂરા કરી રહી છે અને ખાસ કરીને રોડ રસ્તા, આરોગ્ય સહિતની બાબતો માટે સરકાર દ્વારા જે કામ કરવામાં આવી રહ્યું છે અને વિકાસ થઈ રહ્યો છે તે કોંગ્રેસ વાળાઓને દેખાતો નથી તેવો ટોણો પણ માર્યો હતો.

મોરબી જીલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે પ્રચાર શરૂ થઈ ગયો છે ત્યારે ગુજરાત રાજ્ય નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં આજે મોરબી જિલ્લા પંચાયતની બગથળા, આમરણ અને ખાનપર બેઠક તેમજ તે બેઠકોની નીચે આવતી તાલુકા પંચાયતની બેઠકોના સભ્યોના પ્રચાર માટે ભાજપની ચૂંટણી સભા યોજાઇ હતી આ તકે મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા સહિતના ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા. જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીજણાવ્યું હતું કે દેશના લોકોને આઝાદી મળી ત્યારે આઝાદીના લડવૈયાઓ દ્વારા લોકોને વીજળી મળે, સારા રોડ રસ્તા મળે, સારી આરોગ્યની સેવાઓ મળે તેવા અનેક સપના જોયા હતા જો કે, કોંગ્રેસના શાસન વખતે લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો પરંતુ ગુજરમાં જયારથી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ વાળી ભાજપ સરકાર સત્તા ઉપર આવી છે ત્યારથી ગામડાઓ સુધી લોકોને વીજળી, આરોગ્યની 10 લાખ સુધીની સારવાર માટે આયુષમાન કાર્ડ વિગેરે અનેક સુવિધા મળી રહી છે આટલું જ નહીં ભૂતકાળના દિવસોને યાદ કરીને સભામાં આવેલા વડીલો સહિતના લોકો હાજર હતા તેઓએ સવાલ કર્યો હતો કે કોંગ્રેસનાં શાસનમાં આમરણથી મોરબી જવું હોય તો કેટલો સમય લાગતો હતો ત્યારે સામેથી જવાબ આવ્યો હતો કે દોઢ થી બે કલાક જો કે, આજે ભાજપની સરકારે ટનટન રોડ બનાવી દીધા છે જેથી માત્ર અડધા થી પોણા કલાકમાં જ મોરબી સુધી પહોચી જવાય છે, આ વિકાસ છે જો કે, તે કોંગ્રેસને દેખાતો નથી તેમ કહીને કોંગ્રેસને આડે હાથે લઈને ટોણો માર્યો હતો.






Latest News