વાંકાનેરના મક્તાનપર પાસે ખાણમાં ભરેલ પાણીના ખાડામાં પડવાથી યુવાનનું મોત: મોરબીના જીવાપર ગામની સીમમાં કારખાનાના ક્વાર્ટરમાં પરિણીતાએ કર્યો આપઘાત મોરબી જિલ્લામાં સર્વત્ર વરસાદ: વાંકાનેરમાં 7, મોરબીમાં 4.5, માળિયામાં 4 ઇંચ તથા ટંકારા અને હળવદમાં 2-2 ઇંચ મોરબી માળિયા તાલુકા માટે આશીર્વાદ સમાન મચ્છુ 2 ડેમ ઓવરફ્લો, 4 દરવાજા 7 ફૂટ સુધી ખોલ્યા: 29 ગામોને એલર્ટ કરાયા હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા
Breaking news
Morbi Today

મોરબીમાં ચેક રીર્ટન કેસમાં એક વર્ષની કેદ-બમણી રકમ વ્યાજ સહીત ચુકવવા હુકમ કરતી કોર્ટ


SHARE







મોરબીમાં ચેક રીર્ટન કેસમાં એક વર્ષની કેદ-બમણી રકમ વ્યાજ સહીત ચુકવવા હુકમ કરતી કોર્ટ

મોરબી કોર્ટે ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની કેદની સજા તથા બમણી રકમ વ્યાજ સહીત ચુકવવાનો હુકમ કરેલ છે.

મોરબી કોર્ટે તાજેતરમાં ચેક રીર્ટનની ફરીયાદમાં મહત્વનો અને દાખલારૂપ ચુકાદો આપેલ છે.કેસની હકીકત જોઈએ તો, ફરીયાદી મનીષભાઈ નાથાભાઈ ધોડાસરાએ ભરતભાઈ રામજીભાઈ ડેડાણીયાને વર્ષ ૨૦૧૯ માં સંબંધના દાવે હાથ ઉછીના પેટે રૂપીયા ૧૩,૩૫,૦૦૦ આપેલ હતા.જે બાબતની મનીષભાઈ અને ભરતભાઈ વચ્ચે પ્રોમીસરી નોટ કરવામાં આવેલ હતી.જેની સામે ભરતભાઈએ મનીષભાઈને અલગ અલગ ચેકો આપેલ હતાં.જે ચેક મનીષભાઈએ પોતાના નાણાં વસુલવા પોતાના બેંક ખાતામાં રજુ કરતાં, ચેક વણચુકવ્યે પરત થતાં, મનીષભાઈએ ભરતભાઇને વકીલ મારફત નોટીસ આપેલ છતાં તેઓએ ચેકની રકમ ન આપતાં અંતે મનીષભાઈએ ભરતભાઈ રામજીભાઈ ડેડાણીયા વિરુધ્ધ મોરબી કોર્ટમાં ફોજદારી ફરીયાદ દાખલ કરેલ જે ફોજદારી કેસ નંબર ૫૬૦૩/૨૦૨૨ થી કેસ ચાલી જતાં, ફરીયાદી પક્ષે રજુ કરાયેલ પુરાવાઓ, દલીલો તથા રજુ કરાયેલ નામદાર હાઈકોર્ટ તથા નામદાર સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને ધ્યાને લઈ મોરબીના મહે.ચોથા એડી.ચીફ જયુડી.મેજીસ્ટ્રેટ સી.વાય.જાડેજા સાહેબે ભરતભાઈ રામજીભાઈ ડેડાણીયાને એક વર્ષની કેદની સજા અને ચેકની રકમથી ડબલ રકમનો દંડ રૂપીયા ૨૬,૭૦,૦૦૦ તથા ફરીયાદીને ફરીયાદ દાખલ કર્યા તારીખથી ચેકની રકમ ઉપર વાર્ષિક ૯ ટકા વ્યાજ વળતર પેટે ચુકવવાનો અને તેમ કરવામાં કસુર કર્યે વધુ ૯૦ દીવસની સજા ફરમાવવાનો મહત્વનો ચુકાદો જાહેર કરેલ છે.આ કેસમાં ફરીયાદી પક્ષે વકીલ તરીકે એડ.આશિષ.ડી.ચાવડા અને એડ.મિતરાજસિંહ કે.જાડેજા રોકાયેલ હતાં.






Latest News