મોરબી માળિયા તાલુકા માટે આશીર્વાદ સમાન મચ્છુ 2 ડેમ ઓવરફ્લો, 4 દરવાજા 7 ફૂટ સુધી ખોલ્યા: 29 ગામોને એલર્ટ કરાયા હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા
Breaking news
Morbi Today

મોરબી તાલુકા વિસ્તારમાં જુદાજુદા બે બનાવમાં યુવાન-આધેડનું મોત: હળવદના મિયાણી નજીક કેનાલના પાણીમાં ડૂબી જતાં યુવાનનું મોત


SHARE







મોરબી તાલુકા વિસ્તારમાં જુદાજુદા બે બનાવમાં યુવાન-આધેડનું મોત: હળવદના મિયાણી નજીક કેનાલના પાણીમાં ડૂબી જતાં યુવાનનું મોત

મોરબીના ભરતનગર ગામ પાસે કારખાનાના ક્વાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને આપઘાત કર્યો છે જ્યારે જાંબુડીયા ગામ નજીક કારખાનામાં ઊંચાઈ ઉપરથી નીચે પડતાં ઇજા પામેલા આધેડનું સારવાર દરમ્યાન મોત નીપજયું છે અને હળવદના મિયાણી ગામ નજીક ટીકર રોડ ઉપર નર્મદાની કેનાલમાં પડી જવાથી પાણીમાં ડૂબી જતાં યુવાનનું મોત નીપજ્યું છે આ ત્રણેય બનાવની સ્થાનિક પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી માળીયા હાઇવે રોડ ઉપર આવેલ ભરતનગર ગામની સીમમાં લેમિકોન કંપનીના લેબર ક્વાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા રોહિતભાઈ પપ્પુભાઈ સિંગર (19) નામના યુવાને કોઈપણ કારણોસર પોતે પોતાના લેબર કવાર્ટરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેના મૃતદેહને રમેશભાઈ ભુરીયા મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો ત્યારબાદ આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

મૂળ મોરબીના ત્રાજપર વિસ્તારના રહેવાસી અને હાલમાં રફાળેશ્વર ગામે આવેલ મચ્છુનગર વિસ્તારમાં રહેતા રમેશભાઈ જીવણભાઈ કુંવરિયા (51) નામના આધેડ મોરબી નજીકના જાંબુડીયા ગામ પાસે આવેલ સીરમિક કારખાનામાં ઊંચાઈ ઉપર કામ કરતા હતા દરમિયાન કોઈ કારણસર ઉપરથી નીચે ટકાવાના કારણે તેઓને શરીરે ગંભીર ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા જોકે રાજકોટ ખાતે સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

હળવદ તાલુકાના મિયાણી ગામે રહેતા અને મજૂરીકામ કરતાં સંજયભાઈ ધુળાભાઈ રંભાણી (38) નામનો યુવાન મિયાણી ગામથી ટીકર ગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલ ચંડી પેટ્રોલ પંપ પાસેથી પસાર થતી નર્મદાની કેનાલના પાણીમાં કોઈપણ કારણોસર અકસ્માતે પડી ગયો હતો જેથી પાણીમાં ડૂબી જવાના કારણે સંજયભાઈનું મોત નિપજ્યું હોય તેના મૃતદેને પીએમ માટે હોસ્પિટલે આવ્યા હતા અને આ બનાવ અંગેની સંજયભાઈના ભાઈ રમેશભાઈ રંભાણી (52) રહે. મિયાણી વાળાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News