હળવદ તાલુકાનાં બ્રાહ્મણી-2 ડેમનો 1 દરવાજો 3 ઇંચ ખોલ્યો મોરબીના વોર્ડ નં 4-6 માં વિઝિબલ કલીનલિનેસ અંતર્ગત સ્થળ નિરીક્ષણ કરતાં ડેપ્યુટી મેયર મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણીમાં સરકાર અને અદાણી વિરુદ્ધ કિન્નરો અને મહિલાઓએ લીધા છાજીયા મોરબી જિલ્લા પંચાયત ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં જિલ્લા-તાલુકાનાં પદાધિકારીઓ-સભ્યોની ક્ષમતા નિર્માણ તાલીમ યોજાઈ મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રીકમભાઈ છાંગાએ લીધી એલ.ઈ. કોલેજની મુલાકાત મોરબીમાં કલેકટરના અધ્યક્ષ સ્થાને મવડાની વિકાસ યોજના માટે સ્ટેક હોલ્ડર બેઠક યોજાઈ અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું મોરબીના ટિંબડી ગામના પાટીયા પાસે ટ્રક પાછળ એસટીની બસ અથડાતાં પિતા-પુત્રને ઇજા
Breaking news
Morbi Today

મોરબી નજીકના ઘુનડા પાસે બાઇક સ્લીપ થતા સગીરનુંં મોત


SHARE







મોરબી નજીકના ઘુનડા પાસે બાઇક સ્લીપ થતા સગીરનુંં મોત

મોરબી નજીકના ટંકારા તાલુકામાં આવતા ઘુનડા ગામે રહેતો સગીર આજે સવારે ઘરેથી બાઇક લઈને વાડીએ કામે જવા માટે નીકળ્યો હતો.ત્યારે રસ્તામાં તેનું બાઇક વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ નજીક સ્લીપ થઈ ગયું હતું.આ બનાવમાં ગંભીર ઇજાઓ થવાથી સિવિલ હોસ્પિટલ ખાતે ટુંકી સારવાર બાદ તેનું મોત નિપજયુ હતું.બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના સ્ટાફે પ્રાથમિક તપાસ કરી બનાવ અંગે ટંકારા પોલીસને જાણ કરી હતી.

વધુમાં મળતી માહિતી પ્રમાણે ટંકારા તાલુકાના ઘુનડા ગામે રહેતા વિક્રમભાઈ દિનેશભાઈ પરેશા નામનો ૧૬ વર્ષનો કોળી સગીર બાઈક લઈને કામે જવા માટે નીકળ્યો હતો.તે ધઠઘરેથી વાડીએ જતો હતો અને ત્યાંથી ઢોર માટે નિરણ લેવા જવાનો હતો.ત્યારે આજે તા.૧૧-૫ ના સવારે આઠેક વાગ્યાના અરસામાં ઘુનડા ગામ પાસે આવેલ વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ પાસે તેનું બાઇક સ્લીપ થયું હતું.જે બનાવમાં માથા તથા શરીરે ગંભીર ઇજાઓ થવાથી વિક્રમ દિનેશભાઇ પરેસા (૧૬) ને અત્રેની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.અહીં ટુંકી સારવાર બાદ તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.બનાવને પગલે જાણ થયેલ હોય પ્રથમ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના વનિતાબેન સિચણાદા દ્વારા પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી.જોકે વિક્રમ કોળીનું મોત નીપજેલ હોય અને બનાવ ટંકારા પોલીસ મથકની હદનો હોય ટંકારા પોલીસને આગળની તપાસ માટે જાણ કરવામાં આવેલ છે.

મારામારીમાં ઇજા

મોરબીના જેલ ચોક સામે બોરીચાવાસ વિસ્તારમાં રહેતા નરેન્દ્રભાઈ દશરથભાઈ પંચાલ નામના ૩૫ વર્ષના યુવાનને મારામારીના બનાવમાં માથામાં ઇજા થયેલી હોય સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના શનાળા રોડ સમયના ગેઇટ પાસે વાહન અકસ્માતમાં ઇજા થતાં વિશાલ જગદીશભાઈ કણજારિયા (૩૫) રહે.વાંકાનેર ને ઇજાઓ થતા અત્રેની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

તેમજ મોરબીના વાવડી રોડ ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા જગદીશભાઈ અણદાભાઇ આલ નામના ૪૩ વર્ષના યુવાનને જુના બસ સ્ટેશન પાસેની ચામુંડા ટી સ્ટલની પાસે ત્રણ-ચાર લોકો દ્વારા માર મારવામાં આવતા ઇજા પામેલા જગદીશભાઈને પણ સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા






Latest News