મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

કચ્છમાં માતાના મઢે દર્શન કરીને દીવ જતાં પરિવારને નડ્યો અકસ્માત: માળીયા (મી)ના હરિપર નજીક ટાયર ફાટતાં ઇકો ગાડી ડિવાઇડર કૂદીને ટ્રક સાથે અથડાતાં બે બાળક સહિત કુલ ચાર વ્યક્તિઓના મોત, બેને ઈજા


SHARE







કચ્છમાં માતાના મઢે દર્શન કરીને દીવ જતાં પરિવારને નડ્યો અકસ્માત: માળીયા (મી)ના હરિપર નજીક ટાયર ફાટતાં ઇકો ગાડી ડિવાઇડર કૂદીને ટ્રક સાથે અથડાતાં બે બાળક સહિત કુલ ચાર વ્યક્તિઓના મોત, બેને ઈજા

મોરબી કચ્છ હાઇવે રોડ ઉપર આવેલ માળિયા (મી) તાલુકાના હરીપર ગામ નજીક ઇકો ગાડી અને ટ્રક વચ્ચે અકસ્માતમાં બનાવ બન્યો હતો જે બનાવમાં ઇકો ગાડીમાં બેઠેલા વ્યક્તિઓમાંથી બાળક સહિત કુલ મળીને 4 લોકોના મોત નિપજ્યાં છે અને મૃતક વ્યક્તિઓના મૃતદેહને સરકારી હોસ્પિટલે લઈ જવામાં આવેલ છે. અને અકસ્માતના આ બનાવની માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચીને અકસ્માત થયેલા વાહનોને રોડ સાઈડમાં કરીને રસ્તા ઉપરનો ટ્રાફિક ક્લિયર કરાવવા માટેની કામગીરી કરી છે.

દીવનો કાપડિયા પરિવાર પોતાની ઈકો ગાડી લઈને કચ્છમાં માતાના મઢે દર્શન કરવા માટે ગયો હતો અને માતાના મઢે માતાજીના દર્શન કરીને આ પરિવાર દીવ તરફ પાછો જઈ રહ્યો હતો ત્યારે માળિયા તાલુકાના હરીપર ગામના પાટીયા પાસેથી તેઓની ઇકો ગાડી પસાર થઈ રહી હતી દરમિયાન કોઈ કારણોસર ઇકો ગાડીનું ટાયર ફાટી ગયું હતું જેથી કારના ચાલકે કારના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવી દેતા ડિવાઇડર કૂદીને સામેની સાઈડમાં રોડ ઉપરથી પસાર થઈ રહેલ ટ્રક સાથે ઇકો ગાડી અથડાઈ હતી જેથી અકસ્માત થયો હતો અને અકસ્માતના આ બનાવમાં ઈકો ગાડીમાં બેઠેલા કુલ છ વ્યક્તિઓમાંથી બાળક સહિત કુલ ચાર વ્યક્તિઓના મોત નીપજયાં છે જેમાં ઇકો ગાડીના ચાલક ભરતકુમાર વીરજીભાઈ બાંભણિયા (50) રહે. રામનગર ખરા વિસ્તાર, દીવ, મૂળ ગીર સોમનાથ, કંચનબેન વિરજીભાઈ બાંભણિયા (60), જીવાંશુ મનોજ કાપડિયા (7) અને મનોજ લક્ષ્મણભાઈ કાપડિયા (50)નો  સમાવેશ થાય છે અને આ બનાવમાં જાગૃતિબેન મનોજભાઈ કાપડિયા (35) અને તેમની દીકરી વૈદર્શી મનોજભાઈ કાપડિયા (12)ને ઇજા થઈ છે જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા છે. હાલમાં મૃતકોના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવેલ છે આ બનાવની માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી છે અને સ્થળ ઉપર અકસ્માત થયેલ વાહનોને રોડ સાઈડમાં કરવા માટેની કામગીરી હાથ ધરી છે અને માળિયા કચ્છ હાઇવે રોડ ઉપરનો ટ્રાફિક ક્લીયર કરવા માટેની કાર્યવાહી હાલમાં ચાલી રહી છે.






Latest News