મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસેથી કાર અને ઘર પાસેથી બાઈકની ચોરીન ગુનામાં પોલીસે ચોરાઉ મુદામાલ સાથે આરોપીને દબોચ્યો મોરબીમાં નવયુગ ગ્રૂપે નવા શૈક્ષણિક વર્ષમાં વિદ્યાર્થીઓનું હર્ષ અને ઉમંગથી કર્યું સ્વાગત મોરબીના મહેન્દ્રનગર ગામે પાણીના ધાંધીયા, કમિશનરને કરાઇ રજૂઆત ટંકારાના મેઘપર ઝાલા ગામે જમીન માપણીના વિવાદમાં તાલુકા ભાજપના ઉપપ્રમુખ અને તેના ભત્રીજાની હત્યા મોરબીના વાવડી રોડે રહેતા વૃદ્ધાને મરવા મજબુર કરવાના કેસમાં ૩ મહિલા સામે કાર્યવાહી, ૩ ને શોધવા કવાયત મોરબી જિલ્લામાં લેપ્રસી કેસ ડિટેક્શન અભિયાનનો સો ઓરડી અર્બન હેલ્થ સેન્ટર ખાતેથી શુભારંભ કરાયો હળવદ તાલુકાની ૩ ગ્રામ પંચાયતોમાં વિલેજ કોમ્પ્યુટર આંતરપ્રિન્યોરની ભરતી કરાશે મોરબી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને આરોગ્ય વિભાગની વિવિધ કમિટીઓની સમીક્ષા બેઠક યોજાઈ
Breaking news
Morbi Today

કચ્છમાં માતાના મઢે દર્શન કરીને દીવ જતાં પરિવારને નડ્યો અકસ્માત: માળીયા (મી)ના હરિપર નજીક ટાયર ફાટતાં ઇકો ગાડી ડિવાઇડર કૂદીને ટ્રક સાથે અથડાતાં બે બાળક સહિત કુલ ચાર વ્યક્તિઓના મોત, બેને ઈજા


SHARE











કચ્છમાં માતાના મઢે દર્શન કરીને દીવ જતાં પરિવારને નડ્યો અકસ્માત: માળીયા (મી)ના હરિપર નજીક ટાયર ફાટતાં ઇકો ગાડી ડિવાઇડર કૂદીને ટ્રક સાથે અથડાતાં બે બાળક સહિત કુલ ચાર વ્યક્તિઓના મોત, બેને ઈજા

મોરબી કચ્છ હાઇવે રોડ ઉપર આવેલ માળિયા (મી) તાલુકાના હરીપર ગામ નજીક ઇકો ગાડી અને ટ્રક વચ્ચે અકસ્માતમાં બનાવ બન્યો હતો જે બનાવમાં ઇકો ગાડીમાં બેઠેલા વ્યક્તિઓમાંથી બાળક સહિત કુલ મળીને 4 લોકોના મોત નિપજ્યાં છે અને મૃતક વ્યક્તિઓના મૃતદેહને સરકારી હોસ્પિટલે લઈ જવામાં આવેલ છે. અને અકસ્માતના આ બનાવની માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચીને અકસ્માત થયેલા વાહનોને રોડ સાઈડમાં કરીને રસ્તા ઉપરનો ટ્રાફિક ક્લિયર કરાવવા માટેની કામગીરી કરી છે.

દીવનો કાપડિયા પરિવાર પોતાની ઈકો ગાડી લઈને કચ્છમાં માતાના મઢે દર્શન કરવા માટે ગયો હતો અને માતાના મઢે માતાજીના દર્શન કરીને આ પરિવાર દીવ તરફ પાછો જઈ રહ્યો હતો ત્યારે માળિયા તાલુકાના હરીપર ગામના પાટીયા પાસેથી તેઓની ઇકો ગાડી પસાર થઈ રહી હતી દરમિયાન કોઈ કારણોસર ઇકો ગાડીનું ટાયર ફાટી ગયું હતું જેથી કારના ચાલકે કારના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવી દેતા ડિવાઇડર કૂદીને સામેની સાઈડમાં રોડ ઉપરથી પસાર થઈ રહેલ ટ્રક સાથે ઇકો ગાડી અથડાઈ હતી જેથી અકસ્માત થયો હતો અને અકસ્માતના આ બનાવમાં ઈકો ગાડીમાં બેઠેલા કુલ છ વ્યક્તિઓમાંથી બાળક સહિત કુલ ચાર વ્યક્તિઓના મોત નીપજયાં છે જેમાં ઇકો ગાડીના ચાલક ભરતકુમાર વીરજીભાઈ બાંભણિયા (50) રહે. રામનગર ખરા વિસ્તાર, દીવ, મૂળ ગીર સોમનાથ, કંચનબેન વિરજીભાઈ બાંભણિયા (60), જીવાંશુ મનોજ કાપડિયા (7) અને મનોજ લક્ષ્મણભાઈ કાપડિયા (50)નો  સમાવેશ થાય છે અને આ બનાવમાં જાગૃતિબેન મનોજભાઈ કાપડિયા (35) અને તેમની દીકરી વૈદર્શી મનોજભાઈ કાપડિયા (12)ને ઇજા થઈ છે જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા છે. હાલમાં મૃતકોના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવેલ છે આ બનાવની માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી છે અને સ્થળ ઉપર અકસ્માત થયેલ વાહનોને રોડ સાઈડમાં કરવા માટેની કામગીરી હાથ ધરી છે અને માળિયા કચ્છ હાઇવે રોડ ઉપરનો ટ્રાફિક ક્લીયર કરવા માટેની કાર્યવાહી હાલમાં ચાલી રહી છે.






Latest News