મોરબીના ઋષભનગર વિસ્તારમાંથી રાજકોટની પરણીતા ગુમ: શોધખોળ ચાલુ મોરબીમાં જુદાજુદા સમયે ગુમ થયેલ બે યુવાન હેમખેમ મળી આવ્યા મોરબી નજીક કારખાનામાં સર્જાયેલ અકસ્માતના બનાવમાં યુવાનનું મોત નિપજ્વા મામલે બે ક્રેન ઓપરેટરની કરાઇ ધરપકડ સિરામિક સિટી મોરબી હવે એજ્યુકેશન હબ; બોર્ડની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામો સાથે રાજ્યભરમાં અગ્રેસર મોરબી જિલ્લામાં દેશના વડાપ્રધાનના ૧૨ વર્ષના સફળ કાર્યકાળના અવસરે ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન મોરબીમાં પુરુષોત્તમ માસમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા શેરડીનો રસ-છાશનું વિતરણ મોરબી જલારામ મંદિરે સ્વ.પ્રભુદાસભાઈ ખખ્ખરના પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન મોરબીમાં યુનિક ઈન્ટર નેશનલ સ્પોર્ટ્સ એકેડમી ખાતે યોગ પ્રશિક્ષણ તથા પ્રાકૃતિક જીવન જાગૃતિ શિબિર યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના વીરપર-લીલાપર વચ્ચે નવા બનેલા રોડને તોડીને બાંધકામ શરૂ કરાયું !


SHARE











મોરબીના વીરપર-લીલાપર વચ્ચે નવા બનેલા રોડને તોડીને બાંધકામ શરૂ કરાયું !

મોરબીના લીલાપરથી વીરપર બાજુ જવા માટે નવો રોડ ચાર મહિના પહેલા બનાવવામાં આવેલ છે અને તે રોડને તોડીને હાલમાં ખાનગી બાંધકામ કરવામાં આવી રહ્યું  છે જેથી ચકચાર મારી ગયેલ છે. અને માલીકીની જમીન રોડ માટે આપી હતી તેનાથી વધુ જમીન ઉપર રોડ બનાવેલ હોવાથી આ રોડને તોડીને બાંધકામ કરવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું છે.

મોરબીના લીલાપર અને ટંકારાના વીરપર ગામને જોડતો 8 કિલો મીટરનો 16 કરોડના ખર્ચે જીલ્લા પંચાયતની ગ્રાન્ટમાંથી નવો રોડ બનાવવામાં આવ્યો છે અને 4 મહિના પહેલા જ બનાવવામાં આવેલ રોડનું કામ પૂર્ણ થયું છે અને રોડ ગ્રામજનો માટે ખુલ્લો મુકાયો છે ત્યારે હાલ નવા બનેલા આ રોડને તોડીને બીમ કોલમ ઉભા કરીને ખાનગી બાંધકામ કરવામાં આવી રહ્યું છે જેથી નવો રોડ શા માટે તોડી નાખવામાં આવ્યો છે તેની જિલ્લા પંચાયતમાં કોઈ અધિકારીને જાણ નથી જો કે, આ નવો 16 કરોડના ખર્ચે બનેલ રોડ ખાનગી માલિકની સહમતીથી તેની જમીન ઉપર બનાવવામાં આવેલ છે પરંતુ જમીનના માલિકે જેટલી જમીન આપી હતી તેના કરતાં વધુ જમીન ઉપર રોડ બનાવવામાં આવેલ હોવાથી ત્યાં જમીનના માલિકે રોડને તોડીને બાંધકામ શરૂ કર્યું છે.






Latest News