મોરબી શહેર-જીલ્લામાં લાયકાત વગરના બોગસ પત્રકારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ: વેંચતા લીધેલા પ્રેસ કાર્ડ તાત્કાલિક જમા કરાવવા ડીવાયએસપીની તાકીદ મોરબી મહાપાલિકાની એક પણ સમિતિમાં પદ સ્વીકારવાનો દલવાડી સમાજના ચૂંટયેલા 8 કોર્પોરેટરોનો ઇન્કાર: જીલ્લા પ્રમુખને કરી રજૂઆત માળીયા (મી)ના ખાખરેચી ગામે કોંગ્રેસનું કાર્યકર્તા સંમેલન યોજાયું મોરબીની સબ જેલમાં બકરી ઇદ ઉજવાઇ મોરબીના વીરપર-લીલાપર વચ્ચે નવા બનેલા રોડને તોડીને બાંધકામ શરૂ કરાયું ! વાંકાનેરના રાજાવડલા ગામે વીર સાવરકરની જન્મજયંતિ નિમિતે વૃક્ષારોપણ કરાયું ગોરખધંધા: મોરબીમાં વાહન ચેકિંગ દરમ્યાન બનાવટી પ્રેસ કાર્ડનો પર્દાફાશ, વેચાતું પ્રેસ કાર્ડ લેનાર-આપનારની સામે ગુનો નોંધાયો મોરબીના વિરાટનગર પાસે અજાણ્યા ચાર શખ્સોએ નજીવી વાતમાં યુવાન ઉપર કર્યો છરી વડે હુમલો: ઢીકાપાટુ-ધોકાથી માર માર્યો
Breaking news
Morbi Today

વાંકાનેરના રાજાવડલા ગામે વીર સાવરકરની જન્મજયંતિ નિમિતે વૃક્ષારોપણ કરાયું


SHARE











વાંકાનેરના રાજાવડલા ગામે વીર સાવરકરની જન્મજયંતિ નિમિતે વૃક્ષારોપણ કરાયું

વીર સાવરકરની જન્મજયંતિ નિમિતે જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા વૃક્ષારોપણ કરાયું હતું. અને પર્યાવરણ પ્રેમી પ્રજાવત્સલ રાજવી સ્વ. દિગ્વિજયસિંહ ઝાલાની સ્મૃતિમાં વર્તમાન રાજવી રાજ્ય સભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. મોરબી જિલ્લા યુવા ભાજપ દ્વારા તાલુકાના રાજાવડલા ગામે વૃક્ષારોપણ કરી સ્વ. મહારાજ દિગ્વિજયસિંહજી ઝાલાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ તકે મોરબી જિલ્લા યુવા ભાજપ પ્રમુખ જતિનભાઈ ફુલતરિયા, ઉપપ્રમુખ કેવિનભાઈ શાહ સહિત જિલ્લા તાલુકાના યુવા મોરચાના અગ્રણીઓ તથા કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા અને વૃક્ષારોપણ કરાયું હતું. આ કાર્યક્રમનું આયોજન તથા સંચાલન મોરબી જિલ્લા ભાજપ યુવા મોરચાના ઉપાધ્યક્ષ જયેન્દ્રસિંહ ઝાલા દ્વારા કરાયું હતું.






Latest News