મોરબીમાં કાલે શ્રી સનાતન યુવા ગ્રુપ દ્વારા રાહત દરે ફુલસ્કેપ નોટબુકનું વિતરણ
SHARE
મોરબીમાં કાલે શ્રી સનાતન યુવા ગ્રુપ દ્વારા રાહત દરે ફુલસ્કેપ નોટબુકનું વિતરણ
મોરબીમાં શ્રી સનાતન યુવા ગ્રુપ દ્વારા સનાતન સમાજના ધો-૫ થી કોલેજના વિદ્યાર્થીઓ માટે રાહત દરે ફુલસ્કેપ નોટબુક વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે અને તા.31-5-2026 ને રવિવારે સવારે 9=00 વાગ્યાથી સ્ટોક હશે ત્યાં સુધી નોટબુક વિતરણ કરવામાં આવશે.
મોરબીમાં શ્રી સનાતન યુવા ગ્રુપ દ્વારા રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલ શ્રી જડેશ્વર મહાદેવ મંદિર ખાતે રવિવારે સવારે 9=00 વાગ્યાથી રાહત દરે ફુલસ્કેપ નોટબુક વિતરણ શરૂ કરવામાં આવશે અને જયા સુધી નોટબુક હશે ત્યાં સુધી લોકોને આપવામાં આવશે. ઉલેખનીય છે કે, શ્રી સનાતન યુવા ગ્રુપ દ્વારા પ્રતિવર્ષની જેમ પ્રવર્તનમાન વર્ષે પણ સનાતની સમાજના ધો-૫ થી કોલેજ સુધી અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઈઓ-બહેનોને રાહત દરે ફુલસ્કેપ નોટબુક વિતરણ કરવામાં આવશે. આ ફુલ સ્કેપ ચોપડા મેળવવા માટે વિદ્યાર્થીઓએ વર્ષ 2026 ની માર્કશીટ ઓરીજીનલ સાથે લાવવાની રહેશે તેને જ માન્ય ગણીને રાહત દરે ફુલસ્કેપ નોટબુક આપવામાં આવશે તેવું મોરબી શ્રી સનાતન યુવા ગ્રુપના પ્રમુખ અજય કોટકે જણાવ્યુ છે.