મોરબીના ઋષભનગર વિસ્તારમાંથી રાજકોટની પરણીતા ગુમ: શોધખોળ ચાલુ મોરબીમાં જુદાજુદા સમયે ગુમ થયેલ બે યુવાન હેમખેમ મળી આવ્યા મોરબી નજીક કારખાનામાં સર્જાયેલ અકસ્માતના બનાવમાં યુવાનનું મોત નિપજ્વા મામલે બે ક્રેન ઓપરેટરની કરાઇ ધરપકડ સિરામિક સિટી મોરબી હવે એજ્યુકેશન હબ; બોર્ડની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામો સાથે રાજ્યભરમાં અગ્રેસર મોરબી જિલ્લામાં દેશના વડાપ્રધાનના ૧૨ વર્ષના સફળ કાર્યકાળના અવસરે ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન મોરબીમાં પુરુષોત્તમ માસમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા શેરડીનો રસ-છાશનું વિતરણ મોરબી જલારામ મંદિરે સ્વ.પ્રભુદાસભાઈ ખખ્ખરના પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન મોરબીમાં યુનિક ઈન્ટર નેશનલ સ્પોર્ટ્સ એકેડમી ખાતે યોગ પ્રશિક્ષણ તથા પ્રાકૃતિક જીવન જાગૃતિ શિબિર યોજાશે
Breaking news
Morbi Today

માળીયા (મી)ના નાના દહીસરા ગામે મંદિરમાંથી ચાંદીના છતરની ચોરી કરનાર રીઢો ચોર પકડાયો: બીજા 4 મંદિરની ચોરીનો ભેદ ઉકેલાયો


SHARE











માળીયા (મી)ના નાના દહીસરા ગામે મંદિરમાંથી ચાંદીના છતરની ચોરી કરનાર રીઢો ચોર પકડાયો: બીજા 4 મંદિરની ચોરીનો ભેદ ઉકેલાયો

માળીયા (મી)ના જુના નાના દહીસરા ગામે આવેલ મહાકાળી માતાજીના મંદિરને તસ્કરે નિશાન બનાવ્યું હતું અને ત્યાં માતાજી ઉપર રાખવામાં આવેલા ચાંદીના નાના મોટા 13 છતરની ચોરી કરવામાં આવી હતી જેથી 40 હજારના ચાંદીની ચોરી થઈ હોવાની માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઇ હતી જે ગુનામાં મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુના નાના દહીસરા સહિત જીલ્લામાં પાંચ મંદિરમાં ચોરી કરનારા રીઢા ચોરીને પકડી પડેલ છે અને તેની પાસેથી 87 હજારનો મુદામાલ કબ્જે કરેલ છે.

માળીયા (મી)ના જુના નાના દહીસરા ગામે રહેતા ગજેન્દ્રભાઈ પ્રવીણભાઈ ભાડજા (36)એ અજાણ્યા શખ્સની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ કરી હતી જેમાં જણાવ્યુ હતું કે, જૂના નાના દહીસરા ગામે મહાકાળી માતાજીના મંદિરે માતાજીનાં દર્શન કરવાના બહાને આવેલા શખ્સે મંદિરને નિશાન બનાવ્યું હતું અને ત્યાં માતાજી ઉપર ચઢાવવામાં આવેલા ચાંદીના નાના-મોટા કુલ 13 છતર જેનો કુલ વજન 400 ગ્રામ થાય છે તેની ચોરી કરી હતી જેથી 40,000 ની કિંમતના ચાંદીની ચોરી થઈ હોવાનો પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી તેવામાં એલસીબીની ટીમને બાતમી મળી હતી જેથી મોરબીની રવિરાજ ચોકડી પાસે વોચમાં રાખી હતી તેવામાં મળેલ બાતમી મુજબનું બાઇક નંબર જીજે 36 એક્યું 4125 લઈ એક શખ્સ નીકળ્યો હતો જેને રોકીને પૂછપરછ કરતાં તેનું નામ કિશન સુરેશભાઈ જાની (26) રહે. રવાપર ગામ બોની પાર્ક મોરબી વાળો હોવાનું સામે આવ્યું હતું અને તેની પાસેથી ચાંદીના નાના મોટા 5 છતર જેનું કિંમત 10 હજાર રૂપિયા અને રોકડ રૂપિયા 32 હજાર તેમજ 40 હજારનું બાઇક અને 5 હજારનો એક મોબાઈલ ફોન આમ કુલ મળીને 87 હજારનો મુદામાલ કબજે કર્યો હતો અને આરોપીની વધુ પૂછપરછ કરવામાં આવતા તેના ઉપર દેવું વધી ગયું હોવાનું તેણે જુદાજુદા મંદિરમાં દર્શન કરવાના બહાને જઈને ચોરીઓ કરી હોવાનું કબૂલાત આપી હતી અને આ શખ્સે અગાઉ લુંટાવદર ગામે મોમાઈ માતાજીના મંદિરમાંથી એક  સોનાનું અને એક ચાંદીનું છતર ચોરી કર્યું હતું. તેવી જ રીતે હળવદમાં બસ સ્ટેન્ડ પાસે મેલડી માતાજીના મંદિરમાંથી ચાંદીના છતર અને હળવદમાં લક્ષ્મીનારાયણ ચોકમાં મામાદેવના મંદિરમાંથી ચાંદીના દસથી અગિયાર છતરની ચોરી કરી હતી અને મોરબીના ઘૂટું અને માંડલ ગામ વચ્ચે ખોડીયાર માતાજી મંદિરમાંથી સોના અને ચાંદીના છતર ચોરી કરી હતી આમ મોરબી જિલ્લા એલસીબીના પીઆઇ આર.સી.ગોહિલની સૂચના મુજબ સ્ટાફ દ્વારા કામગીરી કરીને જીલ્લામાં પાંચ મંદિરમાં થયેલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયેલ છે.






Latest News